કૂતરું કરડે તો રસી લઈ લેજો રસી ના લેતા 21 વર્ષીય મહિલાનું મોત


  • Published By :
  • Published Date : 2023-10-05 17:38:46

ફોટો આરોગ્ય અધિકારીનો છે

કૂતરું કરડયા બાદ હડકવાની રસી નહિ લેવાનું જીવલેણ સાબિત થાય છે  જેનો ઉદાહરણ મહેસાણાથી સામે આવ્યું છે મહેસાણામાં રસી ન લેવાના કારણે 21 વર્ષીય પરિણીતાનું મોત થયું છે

મહેસાણા તાલુકાના ભાકડિયા ગામની 21 વર્ષીય મહિલાનો પ્રસૂતિના 24 કલાક બાદ મૃત્યુ થયું છે ડૉક્ટરોના રિપોર્ટ પ્રમાણે પ્રસૂતિ બાદ આ મહિલાને હડકવા ઉપડ્યો હતો જેના કારણે આ મહિલાની મોત થયું હોવાનું સામે આવ્યું છે 


એક વર્ષ પહેલાં કૂતરું કરડ્યું હતું

મહેસાણાના નાગલપુરમાં એક વર્ષ પહેલાં પિયરમાં આવેલી મહિલાને કૂતરું કરડ્યું હતું પંરતુ ઇન્જેક્શન લેવાના ડરથી આ મહિલાએ રસી લીધી નહોતી જેના કારણે આ મહિલાને હડકવા ઉપડ્યો હતો ઉલ્લેખનીય છે કે હડકવાની અસર બાદ તેની અસરકાર કોઈ દવા હોતી નથી 

નાગલપુર વિસ્તારમાં કૂતરું કરડ્યું હોવાની જાણ આરોગ્ય વિભાગને થતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું હતું આરોગ્ય વિભાગે આ વિસ્તારમાં સર્વેલન્સની કામગીરી પણ હાથ ધરી હતી વિસ્તારમાં જો કોઈને કૂતરું કરડ્યું હોય તેને તાત્કાલિક અસરથી રસી આપવાની તજવીજ હાથ ધરી છે



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.