કૂતરું કરડે તો રસી લઈ લેજો રસી ના લેતા 21 વર્ષીય મહિલાનું મોત


  • Published By :
  • Published Date : 2023-10-05 17:38:46

ફોટો આરોગ્ય અધિકારીનો છે

કૂતરું કરડયા બાદ હડકવાની રસી નહિ લેવાનું જીવલેણ સાબિત થાય છે  જેનો ઉદાહરણ મહેસાણાથી સામે આવ્યું છે મહેસાણામાં રસી ન લેવાના કારણે 21 વર્ષીય પરિણીતાનું મોત થયું છે

મહેસાણા તાલુકાના ભાકડિયા ગામની 21 વર્ષીય મહિલાનો પ્રસૂતિના 24 કલાક બાદ મૃત્યુ થયું છે ડૉક્ટરોના રિપોર્ટ પ્રમાણે પ્રસૂતિ બાદ આ મહિલાને હડકવા ઉપડ્યો હતો જેના કારણે આ મહિલાની મોત થયું હોવાનું સામે આવ્યું છે 


એક વર્ષ પહેલાં કૂતરું કરડ્યું હતું

મહેસાણાના નાગલપુરમાં એક વર્ષ પહેલાં પિયરમાં આવેલી મહિલાને કૂતરું કરડ્યું હતું પંરતુ ઇન્જેક્શન લેવાના ડરથી આ મહિલાએ રસી લીધી નહોતી જેના કારણે આ મહિલાને હડકવા ઉપડ્યો હતો ઉલ્લેખનીય છે કે હડકવાની અસર બાદ તેની અસરકાર કોઈ દવા હોતી નથી 

નાગલપુર વિસ્તારમાં કૂતરું કરડ્યું હોવાની જાણ આરોગ્ય વિભાગને થતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું હતું આરોગ્ય વિભાગે આ વિસ્તારમાં સર્વેલન્સની કામગીરી પણ હાથ ધરી હતી વિસ્તારમાં જો કોઈને કૂતરું કરડ્યું હોય તેને તાત્કાલિક અસરથી રસી આપવાની તજવીજ હાથ ધરી છે



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે