કૂતરું કરડે તો રસી લઈ લેજો રસી ના લેતા 21 વર્ષીય મહિલાનું મોત


  • Published By :
  • Published Date : 2023-10-05 17:38:46

ફોટો આરોગ્ય અધિકારીનો છે

કૂતરું કરડયા બાદ હડકવાની રસી નહિ લેવાનું જીવલેણ સાબિત થાય છે  જેનો ઉદાહરણ મહેસાણાથી સામે આવ્યું છે મહેસાણામાં રસી ન લેવાના કારણે 21 વર્ષીય પરિણીતાનું મોત થયું છે

મહેસાણા તાલુકાના ભાકડિયા ગામની 21 વર્ષીય મહિલાનો પ્રસૂતિના 24 કલાક બાદ મૃત્યુ થયું છે ડૉક્ટરોના રિપોર્ટ પ્રમાણે પ્રસૂતિ બાદ આ મહિલાને હડકવા ઉપડ્યો હતો જેના કારણે આ મહિલાની મોત થયું હોવાનું સામે આવ્યું છે 


એક વર્ષ પહેલાં કૂતરું કરડ્યું હતું

મહેસાણાના નાગલપુરમાં એક વર્ષ પહેલાં પિયરમાં આવેલી મહિલાને કૂતરું કરડ્યું હતું પંરતુ ઇન્જેક્શન લેવાના ડરથી આ મહિલાએ રસી લીધી નહોતી જેના કારણે આ મહિલાને હડકવા ઉપડ્યો હતો ઉલ્લેખનીય છે કે હડકવાની અસર બાદ તેની અસરકાર કોઈ દવા હોતી નથી 

નાગલપુર વિસ્તારમાં કૂતરું કરડ્યું હોવાની જાણ આરોગ્ય વિભાગને થતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું હતું આરોગ્ય વિભાગે આ વિસ્તારમાં સર્વેલન્સની કામગીરી પણ હાથ ધરી હતી વિસ્તારમાં જો કોઈને કૂતરું કરડ્યું હોય તેને તાત્કાલિક અસરથી રસી આપવાની તજવીજ હાથ ધરી છે



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી