ઘનશ્યામ લાંધવાને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ શિક્ષકની ફરજમાંથી કર્યો સસ્પેન્ડ, ડમી કાંડમાં સામેલ હતો ઘનશ્યામ લાંધવા!


  • Published By :
  • Published Date : 2023-04-28 10:26:09

ડમીકાંડ મામલે રોજ રોજ નવા અપડેટ આવી રહ્યા છે. પરીક્ષામાં ડમી ઉમેદવાર બેસાડવા મામલે ભાવનગર પોલીસની ટીમ કડક પગલા લઈ રહી છે. આ મામલો હજી શાંત નથી થયો ત્યારે યુવરાજસિંહ પર આક્ષેપો લાગ્યા હતા. બિપીન ત્રિવેદીનો વીડિયો વાયરલ થયો હતો જેમાં યુવરાજસિંહ પર પૈસા લગાવવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. જે બાદ યુવરાજસિંહને સમન્સ પાઠવવામાં આવ્યું હતું. પોલીસ સમક્ષ હાજર થયા બાદ યુવરાજસિંહ વિરૂદ્ધ કેસ દાખલ કર્યો હતો. જેમાં યુવરાજસિંહ સહિત 6 લોકો વિરૂદ્ધ કેસ દાખલ કરાયો હતો. ત્યારે ઘનશ્યામ લાંધવા વિરૂદ્ધ શિક્ષણ અધિકારીએ પગલા લીધા છે. ડમીકાંડના આરોપી ઘનશ્યામ લાંધવાને શિક્ષકની ફરજમાંથી સસ્પેન્ડ કરાયો છે. 


ઘનશ્યામ લાધવાને કરાયા સસ્પેન્ડ!

થોડા સમય પહેલા યુવરાજસિંહે મોટા ઘટસ્ફોટ કર્યા હતા. સ્પાર્ધત્મક પરીક્ષામાં ડમી ઉમેદવારો બેસાડવાની વાતનો ખુલાસો યુવરાજસિંહે કર્યો હતો. જે બાદ ભાવનગર પોલીસે આ મામલે 36 જેટલા લોકો વિરૂદ્ધ એફઆઈઆર કરવામાં આવી હતી. યુવરાજસિંહ પર પૈસા લેવાના આરોપ બિપીન ત્રિવેદી નામના વ્યક્તિએ લગાવ્યા હતા. ત્યારે યુવરાજસિંહને હાજર થવા સમન્સ પાઠવવામાં આવ્યું હતું. લાંબી પૂછપરછ બાદ તેમની વિરૂદ્ધ કેસ દાખલ થયો અને જે બાદ મોડી રાત્રે તેમની ધરપકડ કરવામાં આવી હતી. યુવરાજસિંહ સહિત 6 લોકો વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં યુવરાજસિંહ, યુવરાજસિંહના બે સાળા, બિપીન ત્રિવેદી, ઘનશ્યામ લાધવા સહિત રાજુ નામના વ્યક્તિનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ઘનશ્યામ લાંધવા વિરૂદ્ધ શિક્ષણ વિભાગે કાર્યવાહી કરી છે. મળતી માહિતી અનુસાર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ ઘનશ્યામ લાધવાને સસ્પેન્ડ કરી દીધો છે.   

યુવરાજસિંહના સાળાના બદલાયા બોલ!

યુવરાજસિંહના બે સાળાની પોલીસે ધરપકડ કરી લીધી છે. કાનભા ગોહિલ સુરતથી ઝડપાયા હતા જ્યારે શિવભા ગોહિલે સામે ચાલીને પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું. પોલીસે સાળાઓ પાસેથી લાખો રુપિયા પણ રિકવર કરી લીધા હતા. પોલીસ સમક્ષ હાજર થાય તે પહેલા શિવભાના બોલ અલગ હતા. તે વખતે કહેતા હતા કે પૈસાની લેતી દેતી થઈ નથી પરંતુ પોલીસની કસ્ટડીમાં આવ્યા બાદ તેમના બોલ બદલાયેલા દેખાયા હતા. બીજા દિવસે તેમણે કહ્યું કાયદેસર રીતે આગળ વધીશું.           



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.