ઘનશ્યામ લાંધવાને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ શિક્ષકની ફરજમાંથી કર્યો સસ્પેન્ડ, ડમી કાંડમાં સામેલ હતો ઘનશ્યામ લાંધવા!


  • Published By :
  • Published Date : 2023-04-28 10:26:09

ડમીકાંડ મામલે રોજ રોજ નવા અપડેટ આવી રહ્યા છે. પરીક્ષામાં ડમી ઉમેદવાર બેસાડવા મામલે ભાવનગર પોલીસની ટીમ કડક પગલા લઈ રહી છે. આ મામલો હજી શાંત નથી થયો ત્યારે યુવરાજસિંહ પર આક્ષેપો લાગ્યા હતા. બિપીન ત્રિવેદીનો વીડિયો વાયરલ થયો હતો જેમાં યુવરાજસિંહ પર પૈસા લગાવવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. જે બાદ યુવરાજસિંહને સમન્સ પાઠવવામાં આવ્યું હતું. પોલીસ સમક્ષ હાજર થયા બાદ યુવરાજસિંહ વિરૂદ્ધ કેસ દાખલ કર્યો હતો. જેમાં યુવરાજસિંહ સહિત 6 લોકો વિરૂદ્ધ કેસ દાખલ કરાયો હતો. ત્યારે ઘનશ્યામ લાંધવા વિરૂદ્ધ શિક્ષણ અધિકારીએ પગલા લીધા છે. ડમીકાંડના આરોપી ઘનશ્યામ લાંધવાને શિક્ષકની ફરજમાંથી સસ્પેન્ડ કરાયો છે. 


ઘનશ્યામ લાધવાને કરાયા સસ્પેન્ડ!

થોડા સમય પહેલા યુવરાજસિંહે મોટા ઘટસ્ફોટ કર્યા હતા. સ્પાર્ધત્મક પરીક્ષામાં ડમી ઉમેદવારો બેસાડવાની વાતનો ખુલાસો યુવરાજસિંહે કર્યો હતો. જે બાદ ભાવનગર પોલીસે આ મામલે 36 જેટલા લોકો વિરૂદ્ધ એફઆઈઆર કરવામાં આવી હતી. યુવરાજસિંહ પર પૈસા લેવાના આરોપ બિપીન ત્રિવેદી નામના વ્યક્તિએ લગાવ્યા હતા. ત્યારે યુવરાજસિંહને હાજર થવા સમન્સ પાઠવવામાં આવ્યું હતું. લાંબી પૂછપરછ બાદ તેમની વિરૂદ્ધ કેસ દાખલ થયો અને જે બાદ મોડી રાત્રે તેમની ધરપકડ કરવામાં આવી હતી. યુવરાજસિંહ સહિત 6 લોકો વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં યુવરાજસિંહ, યુવરાજસિંહના બે સાળા, બિપીન ત્રિવેદી, ઘનશ્યામ લાધવા સહિત રાજુ નામના વ્યક્તિનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ઘનશ્યામ લાંધવા વિરૂદ્ધ શિક્ષણ વિભાગે કાર્યવાહી કરી છે. મળતી માહિતી અનુસાર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ ઘનશ્યામ લાધવાને સસ્પેન્ડ કરી દીધો છે.   

યુવરાજસિંહના સાળાના બદલાયા બોલ!

યુવરાજસિંહના બે સાળાની પોલીસે ધરપકડ કરી લીધી છે. કાનભા ગોહિલ સુરતથી ઝડપાયા હતા જ્યારે શિવભા ગોહિલે સામે ચાલીને પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું. પોલીસે સાળાઓ પાસેથી લાખો રુપિયા પણ રિકવર કરી લીધા હતા. પોલીસ સમક્ષ હાજર થાય તે પહેલા શિવભાના બોલ અલગ હતા. તે વખતે કહેતા હતા કે પૈસાની લેતી દેતી થઈ નથી પરંતુ પોલીસની કસ્ટડીમાં આવ્યા બાદ તેમના બોલ બદલાયેલા દેખાયા હતા. બીજા દિવસે તેમણે કહ્યું કાયદેસર રીતે આગળ વધીશું.           



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.