ઘનશ્યામ લાંધવાને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ શિક્ષકની ફરજમાંથી કર્યો સસ્પેન્ડ, ડમી કાંડમાં સામેલ હતો ઘનશ્યામ લાંધવા!


  • Published By :
  • Published Date : 2023-04-28 10:26:09

ડમીકાંડ મામલે રોજ રોજ નવા અપડેટ આવી રહ્યા છે. પરીક્ષામાં ડમી ઉમેદવાર બેસાડવા મામલે ભાવનગર પોલીસની ટીમ કડક પગલા લઈ રહી છે. આ મામલો હજી શાંત નથી થયો ત્યારે યુવરાજસિંહ પર આક્ષેપો લાગ્યા હતા. બિપીન ત્રિવેદીનો વીડિયો વાયરલ થયો હતો જેમાં યુવરાજસિંહ પર પૈસા લગાવવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. જે બાદ યુવરાજસિંહને સમન્સ પાઠવવામાં આવ્યું હતું. પોલીસ સમક્ષ હાજર થયા બાદ યુવરાજસિંહ વિરૂદ્ધ કેસ દાખલ કર્યો હતો. જેમાં યુવરાજસિંહ સહિત 6 લોકો વિરૂદ્ધ કેસ દાખલ કરાયો હતો. ત્યારે ઘનશ્યામ લાંધવા વિરૂદ્ધ શિક્ષણ અધિકારીએ પગલા લીધા છે. ડમીકાંડના આરોપી ઘનશ્યામ લાંધવાને શિક્ષકની ફરજમાંથી સસ્પેન્ડ કરાયો છે. 


ઘનશ્યામ લાધવાને કરાયા સસ્પેન્ડ!

થોડા સમય પહેલા યુવરાજસિંહે મોટા ઘટસ્ફોટ કર્યા હતા. સ્પાર્ધત્મક પરીક્ષામાં ડમી ઉમેદવારો બેસાડવાની વાતનો ખુલાસો યુવરાજસિંહે કર્યો હતો. જે બાદ ભાવનગર પોલીસે આ મામલે 36 જેટલા લોકો વિરૂદ્ધ એફઆઈઆર કરવામાં આવી હતી. યુવરાજસિંહ પર પૈસા લેવાના આરોપ બિપીન ત્રિવેદી નામના વ્યક્તિએ લગાવ્યા હતા. ત્યારે યુવરાજસિંહને હાજર થવા સમન્સ પાઠવવામાં આવ્યું હતું. લાંબી પૂછપરછ બાદ તેમની વિરૂદ્ધ કેસ દાખલ થયો અને જે બાદ મોડી રાત્રે તેમની ધરપકડ કરવામાં આવી હતી. યુવરાજસિંહ સહિત 6 લોકો વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં યુવરાજસિંહ, યુવરાજસિંહના બે સાળા, બિપીન ત્રિવેદી, ઘનશ્યામ લાધવા સહિત રાજુ નામના વ્યક્તિનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ઘનશ્યામ લાંધવા વિરૂદ્ધ શિક્ષણ વિભાગે કાર્યવાહી કરી છે. મળતી માહિતી અનુસાર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ ઘનશ્યામ લાધવાને સસ્પેન્ડ કરી દીધો છે.   

યુવરાજસિંહના સાળાના બદલાયા બોલ!

યુવરાજસિંહના બે સાળાની પોલીસે ધરપકડ કરી લીધી છે. કાનભા ગોહિલ સુરતથી ઝડપાયા હતા જ્યારે શિવભા ગોહિલે સામે ચાલીને પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું. પોલીસે સાળાઓ પાસેથી લાખો રુપિયા પણ રિકવર કરી લીધા હતા. પોલીસ સમક્ષ હાજર થાય તે પહેલા શિવભાના બોલ અલગ હતા. તે વખતે કહેતા હતા કે પૈસાની લેતી દેતી થઈ નથી પરંતુ પોલીસની કસ્ટડીમાં આવ્યા બાદ તેમના બોલ બદલાયેલા દેખાયા હતા. બીજા દિવસે તેમણે કહ્યું કાયદેસર રીતે આગળ વધીશું.           



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.