સિંહ દર્શન માટે ગીર અભયારણ્ય પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-16 14:56:03

દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. ત્યારે ફરવાના શોખીન એવા ગુજરાતીઓ માટે ગીર અભયારણ્ય ખોલી દેવામાં આવ્યું છે. સાસણ ગીરનું અભિયારણ ચાર મહિના બાદ ફરી એક વખત પ્રવાસીયો માટે ખુલ્લું મૂકાયું છે. સિંહોને જોવા માટે અનેક લોકો અભયારણ્યની મુલાકાત લેતા હોય છે. તેને કારણે ગીરમાં પ્રવાસીઓની સંખ્યમાં સતત વધારો થઈ રહ્યો છે. 4 મહિના માટે અભયારણ્ય બંધ રાખવામાં આવ્યું હતું . પરંતુ સિંહની રજાઓ પૂર્ણ થતા અભયારણ્ય ખુલ્લું મૂકી દેવામાં આવ્યું છે. 


હમણાંથી લોકો કરાવી રહ્યા છે એડવાન્સ બુકિંગ   

એશિયાટિક સિંહને જોવા અનેક લોકો ગીર અભયારણ્યની મુલાકાત લેતા હોય છે. તેમાં પણ હવે દિવાળી વેકેશન શરૂ થઈ રહ્યું છે તેવામાં આ સ્થળ પર લોકોનો ઘસારો વધારે જોવા મળશે. દિવાળીને કારણે હમણાંથી લોકો એડવાન્સ બુકિંગ કરાવી રહ્યા છે.  વનવિભાગ પણ પ્રવાસીઓને અગવડ ના પડે તે માટે તૈયારીઓ કરી રહ્યું છે.      

4 મહિના માટે બંધ હોય છે અભયારણ્ય

ચોમાસાના 4 મહિના દરમિયાન આ અભયારણ્ય પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવે છે. આટલા મહિના બાદ અભયારણ્ય ખુલતા અભયારણ્યની મુલાકાત લેવા લોકો તલપાપડ થઈ રહ્યા છે. વેકેશન હોવાને કારણે બાળકોમાં પણ સિંહ જોવાનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.