સિંહ દર્શન માટે ગીર અભયારણ્ય પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-16 14:56:03

દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. ત્યારે ફરવાના શોખીન એવા ગુજરાતીઓ માટે ગીર અભયારણ્ય ખોલી દેવામાં આવ્યું છે. સાસણ ગીરનું અભિયારણ ચાર મહિના બાદ ફરી એક વખત પ્રવાસીયો માટે ખુલ્લું મૂકાયું છે. સિંહોને જોવા માટે અનેક લોકો અભયારણ્યની મુલાકાત લેતા હોય છે. તેને કારણે ગીરમાં પ્રવાસીઓની સંખ્યમાં સતત વધારો થઈ રહ્યો છે. 4 મહિના માટે અભયારણ્ય બંધ રાખવામાં આવ્યું હતું . પરંતુ સિંહની રજાઓ પૂર્ણ થતા અભયારણ્ય ખુલ્લું મૂકી દેવામાં આવ્યું છે. 


હમણાંથી લોકો કરાવી રહ્યા છે એડવાન્સ બુકિંગ   

એશિયાટિક સિંહને જોવા અનેક લોકો ગીર અભયારણ્યની મુલાકાત લેતા હોય છે. તેમાં પણ હવે દિવાળી વેકેશન શરૂ થઈ રહ્યું છે તેવામાં આ સ્થળ પર લોકોનો ઘસારો વધારે જોવા મળશે. દિવાળીને કારણે હમણાંથી લોકો એડવાન્સ બુકિંગ કરાવી રહ્યા છે.  વનવિભાગ પણ પ્રવાસીઓને અગવડ ના પડે તે માટે તૈયારીઓ કરી રહ્યું છે.      

4 મહિના માટે બંધ હોય છે અભયારણ્ય

ચોમાસાના 4 મહિના દરમિયાન આ અભયારણ્ય પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવે છે. આટલા મહિના બાદ અભયારણ્ય ખુલતા અભયારણ્યની મુલાકાત લેવા લોકો તલપાપડ થઈ રહ્યા છે. વેકેશન હોવાને કારણે બાળકોમાં પણ સિંહ જોવાનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .