સિંહ દર્શન માટે ગીર અભયારણ્ય પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-16 14:56:03

દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. ત્યારે ફરવાના શોખીન એવા ગુજરાતીઓ માટે ગીર અભયારણ્ય ખોલી દેવામાં આવ્યું છે. સાસણ ગીરનું અભિયારણ ચાર મહિના બાદ ફરી એક વખત પ્રવાસીયો માટે ખુલ્લું મૂકાયું છે. સિંહોને જોવા માટે અનેક લોકો અભયારણ્યની મુલાકાત લેતા હોય છે. તેને કારણે ગીરમાં પ્રવાસીઓની સંખ્યમાં સતત વધારો થઈ રહ્યો છે. 4 મહિના માટે અભયારણ્ય બંધ રાખવામાં આવ્યું હતું . પરંતુ સિંહની રજાઓ પૂર્ણ થતા અભયારણ્ય ખુલ્લું મૂકી દેવામાં આવ્યું છે. 


હમણાંથી લોકો કરાવી રહ્યા છે એડવાન્સ બુકિંગ   

એશિયાટિક સિંહને જોવા અનેક લોકો ગીર અભયારણ્યની મુલાકાત લેતા હોય છે. તેમાં પણ હવે દિવાળી વેકેશન શરૂ થઈ રહ્યું છે તેવામાં આ સ્થળ પર લોકોનો ઘસારો વધારે જોવા મળશે. દિવાળીને કારણે હમણાંથી લોકો એડવાન્સ બુકિંગ કરાવી રહ્યા છે.  વનવિભાગ પણ પ્રવાસીઓને અગવડ ના પડે તે માટે તૈયારીઓ કરી રહ્યું છે.      

4 મહિના માટે બંધ હોય છે અભયારણ્ય

ચોમાસાના 4 મહિના દરમિયાન આ અભયારણ્ય પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવે છે. આટલા મહિના બાદ અભયારણ્ય ખુલતા અભયારણ્યની મુલાકાત લેવા લોકો તલપાપડ થઈ રહ્યા છે. વેકેશન હોવાને કારણે બાળકોમાં પણ સિંહ જોવાનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.