સુરતના સચિન વિસ્તારમાં શ્રમિક પરિવારની 6 વર્ષની બાળકીને ચોરીની શંકામાં ડામ, આરોપી દંપતીની પોલીસે કરી અટકાયત


  • Published By :
  • Published Date : 2023-06-08 21:46:28

સુરત અને તેની આસપાસના વિસ્તારોમાં ગુનાઈત પ્રવૃતિઓ સતત વધી રહી છે. ખુન, બળાત્કાર, ચોરી અને લૂંટફાટની ઘટનાઓના કારણે સુરતની કાયદો અને વ્યવસ્થાની સ્થિતી અંગે સવાલો પણ થઈ રહ્યા છે. હવે સુરતની નજીકના સચિન વિસ્તારમાં એક શ્રમિક પરિવારની છ વર્ષની દીકરીને ડામ આપવાની ઘટના સામે આવી છે. આ ઘટના અંગે સામે આવલી વિગતો અનુસાર સાહિલ નામના વ્યક્તિએ બાળકી પર ચોરીનો આરોપ મૂકી ડામ આપ્યા હતા. સેન્ડવીચ ગરમ કરવાના મશીનથી બાળકીને ડામ અપાયા હોવાની માહિતી સામે આવી છે. આ ઘટના અંગે સચિન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ચોરીની શંકા રાખી માસુમ બાળકીને ડામ આપવામાં આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. 


બાળકી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ


આ સમગ્ર ઘટના અંગે સુરત ACP આર એલ માવાનીએ જણાવ્યું હતું કે, ભોગ બનનાર બાળકીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવેલી છે. પોલીસને આ મામલે જાણ થતા ફરિયાદ દાખલ કરેલી તેમજ આરોપીઓને પોલીસે ડિટેઈન કરી વધુ કાર્યવાહી હાથધરી છે. શ્રમિક પરિવારની 6 વર્ષની બાળકી પર ચોરીના આક્ષેપ મૂકી આરોપી દંપતીએ તે બાળકીની પૂછપરછ કરી ત્યારબાદ તેઓ બાળકીને ડામ આપ્યો હતો.   



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.