સુરતના સચિન વિસ્તારમાં શ્રમિક પરિવારની 6 વર્ષની બાળકીને ચોરીની શંકામાં ડામ, આરોપી દંપતીની પોલીસે કરી અટકાયત


  • Published By :
  • Published Date : 2023-06-08 21:46:28

સુરત અને તેની આસપાસના વિસ્તારોમાં ગુનાઈત પ્રવૃતિઓ સતત વધી રહી છે. ખુન, બળાત્કાર, ચોરી અને લૂંટફાટની ઘટનાઓના કારણે સુરતની કાયદો અને વ્યવસ્થાની સ્થિતી અંગે સવાલો પણ થઈ રહ્યા છે. હવે સુરતની નજીકના સચિન વિસ્તારમાં એક શ્રમિક પરિવારની છ વર્ષની દીકરીને ડામ આપવાની ઘટના સામે આવી છે. આ ઘટના અંગે સામે આવલી વિગતો અનુસાર સાહિલ નામના વ્યક્તિએ બાળકી પર ચોરીનો આરોપ મૂકી ડામ આપ્યા હતા. સેન્ડવીચ ગરમ કરવાના મશીનથી બાળકીને ડામ અપાયા હોવાની માહિતી સામે આવી છે. આ ઘટના અંગે સચિન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ચોરીની શંકા રાખી માસુમ બાળકીને ડામ આપવામાં આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. 


બાળકી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ


આ સમગ્ર ઘટના અંગે સુરત ACP આર એલ માવાનીએ જણાવ્યું હતું કે, ભોગ બનનાર બાળકીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવેલી છે. પોલીસને આ મામલે જાણ થતા ફરિયાદ દાખલ કરેલી તેમજ આરોપીઓને પોલીસે ડિટેઈન કરી વધુ કાર્યવાહી હાથધરી છે. શ્રમિક પરિવારની 6 વર્ષની બાળકી પર ચોરીના આક્ષેપ મૂકી આરોપી દંપતીએ તે બાળકીની પૂછપરછ કરી ત્યારબાદ તેઓ બાળકીને ડામ આપ્યો હતો.   



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે