સુરતના સચિન વિસ્તારમાં શ્રમિક પરિવારની 6 વર્ષની બાળકીને ચોરીની શંકામાં ડામ, આરોપી દંપતીની પોલીસે કરી અટકાયત


  • Published By :
  • Published Date : 2023-06-08 21:46:28

સુરત અને તેની આસપાસના વિસ્તારોમાં ગુનાઈત પ્રવૃતિઓ સતત વધી રહી છે. ખુન, બળાત્કાર, ચોરી અને લૂંટફાટની ઘટનાઓના કારણે સુરતની કાયદો અને વ્યવસ્થાની સ્થિતી અંગે સવાલો પણ થઈ રહ્યા છે. હવે સુરતની નજીકના સચિન વિસ્તારમાં એક શ્રમિક પરિવારની છ વર્ષની દીકરીને ડામ આપવાની ઘટના સામે આવી છે. આ ઘટના અંગે સામે આવલી વિગતો અનુસાર સાહિલ નામના વ્યક્તિએ બાળકી પર ચોરીનો આરોપ મૂકી ડામ આપ્યા હતા. સેન્ડવીચ ગરમ કરવાના મશીનથી બાળકીને ડામ અપાયા હોવાની માહિતી સામે આવી છે. આ ઘટના અંગે સચિન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ચોરીની શંકા રાખી માસુમ બાળકીને ડામ આપવામાં આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. 


બાળકી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ


આ સમગ્ર ઘટના અંગે સુરત ACP આર એલ માવાનીએ જણાવ્યું હતું કે, ભોગ બનનાર બાળકીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવેલી છે. પોલીસને આ મામલે જાણ થતા ફરિયાદ દાખલ કરેલી તેમજ આરોપીઓને પોલીસે ડિટેઈન કરી વધુ કાર્યવાહી હાથધરી છે. શ્રમિક પરિવારની 6 વર્ષની બાળકી પર ચોરીના આક્ષેપ મૂકી આરોપી દંપતીએ તે બાળકીની પૂછપરછ કરી ત્યારબાદ તેઓ બાળકીને ડામ આપ્યો હતો.   



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.