બળજબરીથી ધર્મ પરિવર્તનના વિરોધમાં ગર્લફ્રેન્ડને ચોથા માળેથી નીચે ફેંકી, યુવતીનું મોત, આરોપી ફરાર


  • Published By :
  • Published Date : 2022-11-16 15:15:56

લખનૌના દુબગ્ગામાં બળજબરીથી ધર્મ પરિવર્તનના વિરોધમાં પ્રેમીએ પ્રેમિકાને ચોથા માળેથી નીચે ફેંકી દીધી હતી. ગંભીર રીતે ઘાયલ યુવતીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. સારવાર દરમિયાન થોડા સમય બાદ તેમનું મોત થયું હતું. તે જ સમયે, આરોપી ઘટના બાદ ફરાર થઈ ગયો હતો. પીડિતાના પરિવારજનોની ફરિયાદ પર હત્યા અને બળજબરીથી ધર્મ પરિવર્તનનો કેસ નોંધવામાં આવ્યો છે.

Image

નિધિ ગુપ્તા (19) તેના પરિવાર સાથે દુબગ્ગાની દુદા કોલોનીમાં રહેતી હતી. તેણીને નજીકના બ્લોક નંબર-40માં રહેતા સુફીયાન નામના યુવક સાથે પ્રેમસંબંધ હતો. પોલીસના જણાવ્યા અનુસાર સુફિયાને તેને થોડા દિવસ પહેલા મોબાઈલ ફોન આપ્યો હતો. સંબંધીઓને મંગળવારે આ અંગેની જાણ થઈ હતી. આ અંગે ફરિયાદ કરવા તેઓ સુફીયાનના ઘરે પહોંચ્યા ત્યારે બંને પરિવારો વચ્ચે બોલાચાલી થઈ હતી. તે દરમિયાન યુવતી ટેરેસ પર ગઈ હતી. સુફીયાન પણ તેની પાછળ ગયો. યુવતીના સંબંધીઓનો આરોપ છે કે સુફિયાને યુવતીને ટેરેસ પરથી નીચે ફેંકી દીધી હતી.

Image

ઘણા દિવસોથી ધર્મ બદલવાનું દબાણ હતું

પરિવારજનોના જણાવ્યા અનુસાર હાઈસ્કૂલ પાસે નિધિ બ્યુટી પાર્લરમાં કામ કરવાનું શીખી રહી હતી. સુફિયાન તેનું ધર્મપરિવર્તન કરીને મુસ્લિમ રીતિ-રિવાજ મુજબ તેની સાથે લગ્ન કરવા માંગતો હતો. આ માટે તે ઘણા દિવસોથી દબાણ કરતો હતો. જ્યારે નિધિ તેનો વિરોધ કરી રહી હતી.


આરોપીની શોધમાં પોલીસની ત્રણ ટીમો તપાસ કરી રહી છે

સુફીયાન અને નિધિ બંને પરિવારો વચ્ચેના વિવાદને કારણે બ્લોકના મોટાભાગના લોકો ત્યાં એકઠા થઈ ગયા હતા. દરમિયાન અચાનક ચોથા માળેથી કઈક પડવાનો અવાજ સંભળાયો હતો. લોકોએ જોયું તો નિધિ લોહીથી લથપથ રોડ પર પડી હતી. સ્વજનો તેને બેભાન અવસ્થામાં ટ્રોમા સેન્ટરમાં લઈ ગયા હતા. તે જ સમયે પડોશીઓએ આ અંગે પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી.


પોલીસના જણાવ્યા અનુસાર થોડા સમય બાદ નિધિનું સારવાર દરમિયાન મોત થયું હતું. ગુનો કર્યા બાદ માત્ર સુફીયાન જ નહીં પરંતુ તેનો આખો પરિવાર ઘરને તાળું મારીને ભાગી ગયો હતો. સુફીયાન મોબાઈલ પર પણ યુવતી પર ધર્મ બદલવા માટે દબાણ કરતો હતો. ઈન્સપેક્ટર-ઈન્ચાર્જ દુબગ્ગા સુખબીર સિંહ ભદૌરિયાના જણાવ્યા મુજબ, યુવતીના પરિવારજનોની ફરિયાદ પર કેસ નોંધવામાં આવ્યો છે. સાથે જ પોલીસની ત્રણ ટીમ આરોપીની શોધખોળ રહી છે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.