બળજબરીથી ધર્મ પરિવર્તનના વિરોધમાં ગર્લફ્રેન્ડને ચોથા માળેથી નીચે ફેંકી, યુવતીનું મોત, આરોપી ફરાર


  • Published By :
  • Published Date : 2022-11-16 15:15:56

લખનૌના દુબગ્ગામાં બળજબરીથી ધર્મ પરિવર્તનના વિરોધમાં પ્રેમીએ પ્રેમિકાને ચોથા માળેથી નીચે ફેંકી દીધી હતી. ગંભીર રીતે ઘાયલ યુવતીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. સારવાર દરમિયાન થોડા સમય બાદ તેમનું મોત થયું હતું. તે જ સમયે, આરોપી ઘટના બાદ ફરાર થઈ ગયો હતો. પીડિતાના પરિવારજનોની ફરિયાદ પર હત્યા અને બળજબરીથી ધર્મ પરિવર્તનનો કેસ નોંધવામાં આવ્યો છે.

Image

નિધિ ગુપ્તા (19) તેના પરિવાર સાથે દુબગ્ગાની દુદા કોલોનીમાં રહેતી હતી. તેણીને નજીકના બ્લોક નંબર-40માં રહેતા સુફીયાન નામના યુવક સાથે પ્રેમસંબંધ હતો. પોલીસના જણાવ્યા અનુસાર સુફિયાને તેને થોડા દિવસ પહેલા મોબાઈલ ફોન આપ્યો હતો. સંબંધીઓને મંગળવારે આ અંગેની જાણ થઈ હતી. આ અંગે ફરિયાદ કરવા તેઓ સુફીયાનના ઘરે પહોંચ્યા ત્યારે બંને પરિવારો વચ્ચે બોલાચાલી થઈ હતી. તે દરમિયાન યુવતી ટેરેસ પર ગઈ હતી. સુફીયાન પણ તેની પાછળ ગયો. યુવતીના સંબંધીઓનો આરોપ છે કે સુફિયાને યુવતીને ટેરેસ પરથી નીચે ફેંકી દીધી હતી.

Image

ઘણા દિવસોથી ધર્મ બદલવાનું દબાણ હતું

પરિવારજનોના જણાવ્યા અનુસાર હાઈસ્કૂલ પાસે નિધિ બ્યુટી પાર્લરમાં કામ કરવાનું શીખી રહી હતી. સુફિયાન તેનું ધર્મપરિવર્તન કરીને મુસ્લિમ રીતિ-રિવાજ મુજબ તેની સાથે લગ્ન કરવા માંગતો હતો. આ માટે તે ઘણા દિવસોથી દબાણ કરતો હતો. જ્યારે નિધિ તેનો વિરોધ કરી રહી હતી.


આરોપીની શોધમાં પોલીસની ત્રણ ટીમો તપાસ કરી રહી છે

સુફીયાન અને નિધિ બંને પરિવારો વચ્ચેના વિવાદને કારણે બ્લોકના મોટાભાગના લોકો ત્યાં એકઠા થઈ ગયા હતા. દરમિયાન અચાનક ચોથા માળેથી કઈક પડવાનો અવાજ સંભળાયો હતો. લોકોએ જોયું તો નિધિ લોહીથી લથપથ રોડ પર પડી હતી. સ્વજનો તેને બેભાન અવસ્થામાં ટ્રોમા સેન્ટરમાં લઈ ગયા હતા. તે જ સમયે પડોશીઓએ આ અંગે પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી.


પોલીસના જણાવ્યા અનુસાર થોડા સમય બાદ નિધિનું સારવાર દરમિયાન મોત થયું હતું. ગુનો કર્યા બાદ માત્ર સુફીયાન જ નહીં પરંતુ તેનો આખો પરિવાર ઘરને તાળું મારીને ભાગી ગયો હતો. સુફીયાન મોબાઈલ પર પણ યુવતી પર ધર્મ બદલવા માટે દબાણ કરતો હતો. ઈન્સપેક્ટર-ઈન્ચાર્જ દુબગ્ગા સુખબીર સિંહ ભદૌરિયાના જણાવ્યા મુજબ, યુવતીના પરિવારજનોની ફરિયાદ પર કેસ નોંધવામાં આવ્યો છે. સાથે જ પોલીસની ત્રણ ટીમ આરોપીની શોધખોળ રહી છે.



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.