59 લોકોના મોત માટે જવાબદાર ગોધરાકાંડના પથ્થરબાજોને મુક્ત ન કરી શકાય: ગુજરાત સરકાર


  • Published By :
  • Published Date : 2022-12-03 15:34:07

ગોધરાકાંડ માટે દોષિત ઠરેલા 15 પથ્થરબાજોને જેલ મુક્ત કરવાનો ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં વિરોધ કર્યો છે. વર્ષ 2002માં થયેલા ગોધરા કાંડમાં 59 લોકોના મોત થયા હતા. આ નિર્દોષ લોકો ટ્રેનની બોગીઓમાંથી બહાર નિકળવા માંગતા હતા પણ તેઓ પથ્થરમારાના કારણે બહાર નિકળી શક્યા ન હતા.


સમગ્ર મામલો શું હતો


પથ્થરબાજો વતી સુપ્રીમ કોર્ટમાં ગોધરાકાંડમાં 15 દોષિતોને મુક્ત કરવાની અરજી કરવામાં આવી હતી. જેનો ગુજરાત સરકારે જોરદાર વિરોધ કર્યો હતો. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટમાં દલીલ કરી હતી કે સરકારે આ માત્ર પથ્થરમારો કરવાનો મામલો નથી પણ પથ્થરમારાના કારણે 59 પીડિત સળગતી બોગીમાંથી બહાર નીકળી શક્યા ન હતા.તેમણે પથ્થરબાજોની ભૂમિકાને ગંભીર ગણાવી હતી. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ વધમાં કહ્યું કે પથ્થરબાજોનો ઈરાદો એ હતો કે સળગતી બોગીમાંથી કોઈ મુસાફર બહાર ન નીકળી શકે અને બહારથી કોઈ તેમને બચાવવા ન જઈ શકે. 


ગુજરાત સરકારને રિપોર્ટ રજૂ કરવા આદેશ


સુપ્રીમ કોર્ટે કહ્યું કે આમાંના કેટલાક દોષિતો પથ્થરબાજો હતા અને તેઓએ જેલમાં લાંબો સમય વિતાવ્યો છે. આવી સ્થિતિમાં કેટલાકને જામીન પર છોડવામાં આવી શકે છે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને ખાતરી આપી છે કે તેઓ દરેક દોષિતની ભૂમિકાની તપાસ કરશે કે શું આમાંથી કેટલાક લોકોને ખરેખર જામીન પર મુક્ત કરી શકાય છે. સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને આ અંગે 15 ડિસેમ્બરે પોતાનો રિપોર્ટ રજૂ કરવાનો આદેશ કર્યો છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.