59 લોકોના મોત માટે જવાબદાર ગોધરાકાંડના પથ્થરબાજોને મુક્ત ન કરી શકાય: ગુજરાત સરકાર


  • Published By :
  • Published Date : 2022-12-03 15:34:07

ગોધરાકાંડ માટે દોષિત ઠરેલા 15 પથ્થરબાજોને જેલ મુક્ત કરવાનો ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં વિરોધ કર્યો છે. વર્ષ 2002માં થયેલા ગોધરા કાંડમાં 59 લોકોના મોત થયા હતા. આ નિર્દોષ લોકો ટ્રેનની બોગીઓમાંથી બહાર નિકળવા માંગતા હતા પણ તેઓ પથ્થરમારાના કારણે બહાર નિકળી શક્યા ન હતા.


સમગ્ર મામલો શું હતો


પથ્થરબાજો વતી સુપ્રીમ કોર્ટમાં ગોધરાકાંડમાં 15 દોષિતોને મુક્ત કરવાની અરજી કરવામાં આવી હતી. જેનો ગુજરાત સરકારે જોરદાર વિરોધ કર્યો હતો. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટમાં દલીલ કરી હતી કે સરકારે આ માત્ર પથ્થરમારો કરવાનો મામલો નથી પણ પથ્થરમારાના કારણે 59 પીડિત સળગતી બોગીમાંથી બહાર નીકળી શક્યા ન હતા.તેમણે પથ્થરબાજોની ભૂમિકાને ગંભીર ગણાવી હતી. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ વધમાં કહ્યું કે પથ્થરબાજોનો ઈરાદો એ હતો કે સળગતી બોગીમાંથી કોઈ મુસાફર બહાર ન નીકળી શકે અને બહારથી કોઈ તેમને બચાવવા ન જઈ શકે. 


ગુજરાત સરકારને રિપોર્ટ રજૂ કરવા આદેશ


સુપ્રીમ કોર્ટે કહ્યું કે આમાંના કેટલાક દોષિતો પથ્થરબાજો હતા અને તેઓએ જેલમાં લાંબો સમય વિતાવ્યો છે. આવી સ્થિતિમાં કેટલાકને જામીન પર છોડવામાં આવી શકે છે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને ખાતરી આપી છે કે તેઓ દરેક દોષિતની ભૂમિકાની તપાસ કરશે કે શું આમાંથી કેટલાક લોકોને ખરેખર જામીન પર મુક્ત કરી શકાય છે. સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને આ અંગે 15 ડિસેમ્બરે પોતાનો રિપોર્ટ રજૂ કરવાનો આદેશ કર્યો છે.



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.