59 લોકોના મોત માટે જવાબદાર ગોધરાકાંડના પથ્થરબાજોને મુક્ત ન કરી શકાય: ગુજરાત સરકાર


  • Published By :
  • Published Date : 2022-12-03 15:34:07

ગોધરાકાંડ માટે દોષિત ઠરેલા 15 પથ્થરબાજોને જેલ મુક્ત કરવાનો ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં વિરોધ કર્યો છે. વર્ષ 2002માં થયેલા ગોધરા કાંડમાં 59 લોકોના મોત થયા હતા. આ નિર્દોષ લોકો ટ્રેનની બોગીઓમાંથી બહાર નિકળવા માંગતા હતા પણ તેઓ પથ્થરમારાના કારણે બહાર નિકળી શક્યા ન હતા.


સમગ્ર મામલો શું હતો


પથ્થરબાજો વતી સુપ્રીમ કોર્ટમાં ગોધરાકાંડમાં 15 દોષિતોને મુક્ત કરવાની અરજી કરવામાં આવી હતી. જેનો ગુજરાત સરકારે જોરદાર વિરોધ કર્યો હતો. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટમાં દલીલ કરી હતી કે સરકારે આ માત્ર પથ્થરમારો કરવાનો મામલો નથી પણ પથ્થરમારાના કારણે 59 પીડિત સળગતી બોગીમાંથી બહાર નીકળી શક્યા ન હતા.તેમણે પથ્થરબાજોની ભૂમિકાને ગંભીર ગણાવી હતી. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ વધમાં કહ્યું કે પથ્થરબાજોનો ઈરાદો એ હતો કે સળગતી બોગીમાંથી કોઈ મુસાફર બહાર ન નીકળી શકે અને બહારથી કોઈ તેમને બચાવવા ન જઈ શકે. 


ગુજરાત સરકારને રિપોર્ટ રજૂ કરવા આદેશ


સુપ્રીમ કોર્ટે કહ્યું કે આમાંના કેટલાક દોષિતો પથ્થરબાજો હતા અને તેઓએ જેલમાં લાંબો સમય વિતાવ્યો છે. આવી સ્થિતિમાં કેટલાકને જામીન પર છોડવામાં આવી શકે છે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને ખાતરી આપી છે કે તેઓ દરેક દોષિતની ભૂમિકાની તપાસ કરશે કે શું આમાંથી કેટલાક લોકોને ખરેખર જામીન પર મુક્ત કરી શકાય છે. સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને આ અંગે 15 ડિસેમ્બરે પોતાનો રિપોર્ટ રજૂ કરવાનો આદેશ કર્યો છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.