લગ્નસરાની સીઝનમાં સોનાનો ભાવ ઘટીને એક વર્ષના તળીયે, જાણો કેટલી છે કિંમત


  • Published By :
  • Published Date : 2023-02-27 21:03:27

લગ્નની સિઝન પહેલા સારા સમાચાર આવ્યા છે, આંતરરાષ્ટ્રીય સ્તરે સોનાનો ભાવ બે મહિનાની નીચી સપાટીએ પહોંચી ગયો છે. સ્થાનિક સ્તરે પણ સોનાની કિંમતમાં ઘટાડો થયો છે. આ જ કારણે સોના પર રોકાણકારોની ધારણા પર અસર પડી છે. સોમવારે આંતરરાષ્ટ્રીય બજારમાં કારોબાર દરમિયાન હાજર સોનું ઘટીને 1806.50 ડોલર પ્રતિ ઔંસ થઈ ગયું હતું. ડિસેમ્બરના છેલ્લા દિવસો પછી આ તેનું આ સૌથી નીચું સ્તર છે. એપ્રિલ 2022 પછી સોનું તેના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યું હતું. પરંતુ ત્યાર બાદ તેમાં સાત ટકાથી વધુનો ઘટાડો થયો છે.


શા માટે ભાવ ઘટ્યો?


વૈશ્વિક બજારોમાં કિંમતી ધાતુના ભાવમાં નબળા વલણ વચ્ચે સોમવારે રાષ્ટ્રીય રાજધાનીના બુલિયન માર્કેટમાં સોનું રૂ. 185 ઘટીને રૂ. 55,520 પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું હતું. અગાઉના ટ્રેડિંગ સેશનમાં સોનું 55,705 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. ચાંદીનો ભાવ પણ રૂ.798 ઘટીને રૂ.63,227 પ્રતિ કિલો બંધ રહ્યો હતો. નિષ્ણતોના જણાવ્યા પ્રમાણે મોંઘવારીના મારથી ત્રસ્ત લોકો સોનું ખરીદવા માટે નિરસ બન્યા છે, સોનાની માગ ઘટતા સ્વાભાવિકપણે જ તેનો ભાવ નીચો આવ્યો છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે