લગ્નસરાની સીઝનમાં સોનાનો ભાવ ઘટીને એક વર્ષના તળીયે, જાણો કેટલી છે કિંમત


  • Published By :
  • Published Date : 2023-02-27 21:03:27

લગ્નની સિઝન પહેલા સારા સમાચાર આવ્યા છે, આંતરરાષ્ટ્રીય સ્તરે સોનાનો ભાવ બે મહિનાની નીચી સપાટીએ પહોંચી ગયો છે. સ્થાનિક સ્તરે પણ સોનાની કિંમતમાં ઘટાડો થયો છે. આ જ કારણે સોના પર રોકાણકારોની ધારણા પર અસર પડી છે. સોમવારે આંતરરાષ્ટ્રીય બજારમાં કારોબાર દરમિયાન હાજર સોનું ઘટીને 1806.50 ડોલર પ્રતિ ઔંસ થઈ ગયું હતું. ડિસેમ્બરના છેલ્લા દિવસો પછી આ તેનું આ સૌથી નીચું સ્તર છે. એપ્રિલ 2022 પછી સોનું તેના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યું હતું. પરંતુ ત્યાર બાદ તેમાં સાત ટકાથી વધુનો ઘટાડો થયો છે.


શા માટે ભાવ ઘટ્યો?


વૈશ્વિક બજારોમાં કિંમતી ધાતુના ભાવમાં નબળા વલણ વચ્ચે સોમવારે રાષ્ટ્રીય રાજધાનીના બુલિયન માર્કેટમાં સોનું રૂ. 185 ઘટીને રૂ. 55,520 પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું હતું. અગાઉના ટ્રેડિંગ સેશનમાં સોનું 55,705 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. ચાંદીનો ભાવ પણ રૂ.798 ઘટીને રૂ.63,227 પ્રતિ કિલો બંધ રહ્યો હતો. નિષ્ણતોના જણાવ્યા પ્રમાણે મોંઘવારીના મારથી ત્રસ્ત લોકો સોનું ખરીદવા માટે નિરસ બન્યા છે, સોનાની માગ ઘટતા સ્વાભાવિકપણે જ તેનો ભાવ નીચો આવ્યો છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.