લગ્નસરાની સીઝનમાં સોનાનો ભાવ ઘટીને એક વર્ષના તળીયે, જાણો કેટલી છે કિંમત


  • Published By :
  • Published Date : 2023-02-27 21:03:27

લગ્નની સિઝન પહેલા સારા સમાચાર આવ્યા છે, આંતરરાષ્ટ્રીય સ્તરે સોનાનો ભાવ બે મહિનાની નીચી સપાટીએ પહોંચી ગયો છે. સ્થાનિક સ્તરે પણ સોનાની કિંમતમાં ઘટાડો થયો છે. આ જ કારણે સોના પર રોકાણકારોની ધારણા પર અસર પડી છે. સોમવારે આંતરરાષ્ટ્રીય બજારમાં કારોબાર દરમિયાન હાજર સોનું ઘટીને 1806.50 ડોલર પ્રતિ ઔંસ થઈ ગયું હતું. ડિસેમ્બરના છેલ્લા દિવસો પછી આ તેનું આ સૌથી નીચું સ્તર છે. એપ્રિલ 2022 પછી સોનું તેના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યું હતું. પરંતુ ત્યાર બાદ તેમાં સાત ટકાથી વધુનો ઘટાડો થયો છે.


શા માટે ભાવ ઘટ્યો?


વૈશ્વિક બજારોમાં કિંમતી ધાતુના ભાવમાં નબળા વલણ વચ્ચે સોમવારે રાષ્ટ્રીય રાજધાનીના બુલિયન માર્કેટમાં સોનું રૂ. 185 ઘટીને રૂ. 55,520 પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું હતું. અગાઉના ટ્રેડિંગ સેશનમાં સોનું 55,705 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. ચાંદીનો ભાવ પણ રૂ.798 ઘટીને રૂ.63,227 પ્રતિ કિલો બંધ રહ્યો હતો. નિષ્ણતોના જણાવ્યા પ્રમાણે મોંઘવારીના મારથી ત્રસ્ત લોકો સોનું ખરીદવા માટે નિરસ બન્યા છે, સોનાની માગ ઘટતા સ્વાભાવિકપણે જ તેનો ભાવ નીચો આવ્યો છે.



સમાજમાં કેટલીકવાર એવી ઘટનાઓ અને ગુનાઓ બનતા હોય છે કે જેના કારણે સમાજની આત્માને કુઠારાઘાત પહોંચતો હોય છે. આવી જ એક ઘટના અમદાવાદના હાટકેશ્વર ખાતે બની છે . જ્યાં સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે ધોરણ ૮ માં ભણતો વિદ્યાર્થી દસમા ધોરણમાં ભણતા છોકરાને ધારદાર વસ્તુના ઘા મારીને મારી નાખે છે . જેના પ્રત્યાઘાત હવે ખુબ ઊંડા પડ્યા છે. આજે ૨૧ ઓગસ્ટના રોજ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું છે. ઉપરાંત વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખી વિસ્તારને બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે . સાથે જ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટ આજે બંધ છે.

ગુજરાતમાં આગામી ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીઓને લઇને કોંગ્રેસે તૈયારીઓ શરુ કરી દીધી છે. આગામી સમયમાં ગુજરાત કોંગ્રેસ વિવિધ પ્રશ્નોને લઇને વિધાનસભાનો ઘેરાવ કરવાની છે. નલ સે જલ અને મનરેગા કૌભાંડને લઇને કોંગ્રેસ આક્રમક દેખાઈ રહી છે. આ પહેલા , કોંગ્રેસ ગુજરાતમાં વોટર અધિકારી યાત્રા કાઢવા જઈ રહી છે. આ બાબતે , ગુજરાત કોંગ્રેસ કાર્યાલય ખાતે પોલિટિકલ અફેર્સની બેઠક યોજાઈ હતી .

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે આઝાદીના પર્વ લાલ કિલ્લાની પ્રાચીર પરથી , દેશના યુવાનોને રોજગાર આપવા માટે , "પીએમ વિકસિત ભારત રોજગાર યોજના"ની જાહેરાત કરી હતી. જે અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , "આ યોજનાનો કુલ ખર્ચો ૧ લાખ કરોડ છે સાથે જ આવનારા બે વર્ષમાં ૩.૫ કરોડથી વધારે નોકરીઓનું સર્જન થશે." તો હવે લોકસભાના વિરોધપક્ષના નેતા નેતા રાહુલ ગાંધીએ પીએમ મોદી પર આ યોજનાને લઇને કહ્યું છે કે , "આ ૧ લાખ કરોડનો નવો જુમલો આપવામાં આવ્યો. મોદીજી પાસે નવા કોઈ જ નવા આઈડિયા નથી. "

આજના દિવસે પાર - તાપી - નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં વલસાડના ધરમપુર ખાતે કોંગ્રેસ દ્વારા રેલી યોજવામાં આવી હતી. ત્યારે સરકારે એવી જાહેરાત કરી છે કે, આ પ્રોજેક્ટ થવાનો જ નથી ઉપરાંત કોંગ્રેસ આદિવાસીઓને ઉશ્કેરી રહી છે. તો હવે આજે વીડિયોમાં સૌપ્રથમ આપણે સમજીશું કે પાર - તાપી - નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ શું છે? એ પણ સમજીશું કોંગ્રેસ કેમ આ પ્રોજેક્ટનો વિરોધ કરી રહી છે.