લગ્નસરાની સીઝનમાં સોનાનો ભાવ ઘટીને એક વર્ષના તળીયે, જાણો કેટલી છે કિંમત


  • Published By :
  • Published Date : 2023-02-27 21:03:27

લગ્નની સિઝન પહેલા સારા સમાચાર આવ્યા છે, આંતરરાષ્ટ્રીય સ્તરે સોનાનો ભાવ બે મહિનાની નીચી સપાટીએ પહોંચી ગયો છે. સ્થાનિક સ્તરે પણ સોનાની કિંમતમાં ઘટાડો થયો છે. આ જ કારણે સોના પર રોકાણકારોની ધારણા પર અસર પડી છે. સોમવારે આંતરરાષ્ટ્રીય બજારમાં કારોબાર દરમિયાન હાજર સોનું ઘટીને 1806.50 ડોલર પ્રતિ ઔંસ થઈ ગયું હતું. ડિસેમ્બરના છેલ્લા દિવસો પછી આ તેનું આ સૌથી નીચું સ્તર છે. એપ્રિલ 2022 પછી સોનું તેના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યું હતું. પરંતુ ત્યાર બાદ તેમાં સાત ટકાથી વધુનો ઘટાડો થયો છે.


શા માટે ભાવ ઘટ્યો?


વૈશ્વિક બજારોમાં કિંમતી ધાતુના ભાવમાં નબળા વલણ વચ્ચે સોમવારે રાષ્ટ્રીય રાજધાનીના બુલિયન માર્કેટમાં સોનું રૂ. 185 ઘટીને રૂ. 55,520 પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું હતું. અગાઉના ટ્રેડિંગ સેશનમાં સોનું 55,705 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. ચાંદીનો ભાવ પણ રૂ.798 ઘટીને રૂ.63,227 પ્રતિ કિલો બંધ રહ્યો હતો. નિષ્ણતોના જણાવ્યા પ્રમાણે મોંઘવારીના મારથી ત્રસ્ત લોકો સોનું ખરીદવા માટે નિરસ બન્યા છે, સોનાની માગ ઘટતા સ્વાભાવિકપણે જ તેનો ભાવ નીચો આવ્યો છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.