સિદ્ધુ મૂસેવાલા હત્યાકાંડનો મુખ્ય આરોપી ગોલ્ડી બરાડ આવ્યો પોલીસની ગિરફ્તમાં


  • Published By :
  • Published Date : 2022-12-02 12:47:44

29 મેના રોજ પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલાની ગોળી મારીને હત્યા થઈ હતી. આ ઘટના બાદ હત્યાના મુખ્ય આરોપીની શોધખોળ કરવામાં આવી રહી હતી. પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર પંજાબી સિંગરની હત્યા કરનાર ગોલ્ડી બરાડને કેલિફોર્નિયાથી ધરપકડ કરી લેવામાં આવી છે. માનસાના જવાહરકે ગામમાં મુસેલાવાની હત્યા થઈ હતી. થાર જીપમાં બેસી જ્યારે તે જઈ રહ્યા હતા તે દરમિયાન 6 હુમલાવરોએ તેમને ઘેરી લીધા અને તે બાદ ફાયરિંગની ઘટના બની હતી. 

Sidhu Moosewala: સિદ્ધુ મુસેવાલા હત્યાના માસ્ટરમાઈન્ડ ગેંગસ્ટર ગોલ્ડી બરારની અમેરિકામાં FBI એ કરી પૂછપરછ

સિદ્ધુ મુસેવાલાની હત્યા બાદ તેના આરોપીને જલ્દી સજા મળે તે માટે તેના પિતાએ કેન્દ્ર સરકારને ભલામણ કરી હતી. પરંતુ કોઈ પરિણામ ન આવ્યું હતું. જેને કારણે તેમણે એક જાહેરાત પણ કરી કે જે પણ વ્યક્તિ બરાડની માહિતી આપશે તેને 2 કરોડ રૂપિયા આપશે. ગોલ્ડી બરાડને મૂસેવાલાની હત્યાનો માસ્ટરમાઈન્ડ માનવામાં આવે છે. હત્યા થયા બાદ ગોલ્ડીએ આ હત્યાની જવાબદારી સ્વીકારી છે.  




અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.