સિદ્ધુ મૂસેવાલા હત્યાકાંડનો મુખ્ય આરોપી ગોલ્ડી બરાડ આવ્યો પોલીસની ગિરફ્તમાં


  • Published By :
  • Published Date : 2022-12-02 12:47:44

29 મેના રોજ પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલાની ગોળી મારીને હત્યા થઈ હતી. આ ઘટના બાદ હત્યાના મુખ્ય આરોપીની શોધખોળ કરવામાં આવી રહી હતી. પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર પંજાબી સિંગરની હત્યા કરનાર ગોલ્ડી બરાડને કેલિફોર્નિયાથી ધરપકડ કરી લેવામાં આવી છે. માનસાના જવાહરકે ગામમાં મુસેલાવાની હત્યા થઈ હતી. થાર જીપમાં બેસી જ્યારે તે જઈ રહ્યા હતા તે દરમિયાન 6 હુમલાવરોએ તેમને ઘેરી લીધા અને તે બાદ ફાયરિંગની ઘટના બની હતી. 

Sidhu Moosewala: સિદ્ધુ મુસેવાલા હત્યાના માસ્ટરમાઈન્ડ ગેંગસ્ટર ગોલ્ડી બરારની અમેરિકામાં FBI એ કરી પૂછપરછ

સિદ્ધુ મુસેવાલાની હત્યા બાદ તેના આરોપીને જલ્દી સજા મળે તે માટે તેના પિતાએ કેન્દ્ર સરકારને ભલામણ કરી હતી. પરંતુ કોઈ પરિણામ ન આવ્યું હતું. જેને કારણે તેમણે એક જાહેરાત પણ કરી કે જે પણ વ્યક્તિ બરાડની માહિતી આપશે તેને 2 કરોડ રૂપિયા આપશે. ગોલ્ડી બરાડને મૂસેવાલાની હત્યાનો માસ્ટરમાઈન્ડ માનવામાં આવે છે. હત્યા થયા બાદ ગોલ્ડીએ આ હત્યાની જવાબદારી સ્વીકારી છે.  




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.