સિદ્ધુ મૂસેવાલા હત્યાકાંડનો મુખ્ય આરોપી ગોલ્ડી બરાડ આવ્યો પોલીસની ગિરફ્તમાં


  • Published By :
  • Published Date : 2022-12-02 12:47:44

29 મેના રોજ પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલાની ગોળી મારીને હત્યા થઈ હતી. આ ઘટના બાદ હત્યાના મુખ્ય આરોપીની શોધખોળ કરવામાં આવી રહી હતી. પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર પંજાબી સિંગરની હત્યા કરનાર ગોલ્ડી બરાડને કેલિફોર્નિયાથી ધરપકડ કરી લેવામાં આવી છે. માનસાના જવાહરકે ગામમાં મુસેલાવાની હત્યા થઈ હતી. થાર જીપમાં બેસી જ્યારે તે જઈ રહ્યા હતા તે દરમિયાન 6 હુમલાવરોએ તેમને ઘેરી લીધા અને તે બાદ ફાયરિંગની ઘટના બની હતી. 

Sidhu Moosewala: સિદ્ધુ મુસેવાલા હત્યાના માસ્ટરમાઈન્ડ ગેંગસ્ટર ગોલ્ડી બરારની અમેરિકામાં FBI એ કરી પૂછપરછ

સિદ્ધુ મુસેવાલાની હત્યા બાદ તેના આરોપીને જલ્દી સજા મળે તે માટે તેના પિતાએ કેન્દ્ર સરકારને ભલામણ કરી હતી. પરંતુ કોઈ પરિણામ ન આવ્યું હતું. જેને કારણે તેમણે એક જાહેરાત પણ કરી કે જે પણ વ્યક્તિ બરાડની માહિતી આપશે તેને 2 કરોડ રૂપિયા આપશે. ગોલ્ડી બરાડને મૂસેવાલાની હત્યાનો માસ્ટરમાઈન્ડ માનવામાં આવે છે. હત્યા થયા બાદ ગોલ્ડીએ આ હત્યાની જવાબદારી સ્વીકારી છે.  




આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.