સિદ્ધુ મૂસેવાલા હત્યાકાંડનો મુખ્ય આરોપી ગોલ્ડી બરાડ આવ્યો પોલીસની ગિરફ્તમાં


  • Published By :
  • Published Date : 2022-12-02 12:47:44

29 મેના રોજ પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલાની ગોળી મારીને હત્યા થઈ હતી. આ ઘટના બાદ હત્યાના મુખ્ય આરોપીની શોધખોળ કરવામાં આવી રહી હતી. પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર પંજાબી સિંગરની હત્યા કરનાર ગોલ્ડી બરાડને કેલિફોર્નિયાથી ધરપકડ કરી લેવામાં આવી છે. માનસાના જવાહરકે ગામમાં મુસેલાવાની હત્યા થઈ હતી. થાર જીપમાં બેસી જ્યારે તે જઈ રહ્યા હતા તે દરમિયાન 6 હુમલાવરોએ તેમને ઘેરી લીધા અને તે બાદ ફાયરિંગની ઘટના બની હતી. 

Sidhu Moosewala: સિદ્ધુ મુસેવાલા હત્યાના માસ્ટરમાઈન્ડ ગેંગસ્ટર ગોલ્ડી બરારની અમેરિકામાં FBI એ કરી પૂછપરછ

સિદ્ધુ મુસેવાલાની હત્યા બાદ તેના આરોપીને જલ્દી સજા મળે તે માટે તેના પિતાએ કેન્દ્ર સરકારને ભલામણ કરી હતી. પરંતુ કોઈ પરિણામ ન આવ્યું હતું. જેને કારણે તેમણે એક જાહેરાત પણ કરી કે જે પણ વ્યક્તિ બરાડની માહિતી આપશે તેને 2 કરોડ રૂપિયા આપશે. ગોલ્ડી બરાડને મૂસેવાલાની હત્યાનો માસ્ટરમાઈન્ડ માનવામાં આવે છે. હત્યા થયા બાદ ગોલ્ડીએ આ હત્યાની જવાબદારી સ્વીકારી છે.  




અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.