'હા, મેં જ સિદ્ધુ મુસેવાલાની હત્યા કરાવી છે, સલમાન ખાનને પણ મારીશું: ગેંગસ્ટર ગોલ્ડી બ્રાર


  • Published By :
  • Published Date : 2023-06-26 22:30:39

સલમાન ખાનના જીવને જોખમ છે, દેશના મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર સતવિંદર સિંહ ઉર્ફે ગોલ્ડી બ્રારએ ફરી એક વખત ધમકી સલમાન ખાનને મોતની ધમકી આપી છે. ગેંગસ્ટર સતવિંદર સિંહ ઉર્ફે ગોલ્ડી બ્રારે એક ખાનગી ન્યુઝ ચેનલ સાથે વાત કરતા સલમાનને ધમકી આપી હતી. ગોલ્ડીએ આ ન્યુઝ ચેનલ સાથે વાતચીત દરમિયાન પોતાનું સૌથી મોટું નિવેદન આપ્યું હતું. તેણે કહ્યું- 'હા, મેં જ સિદ્ધુ મુસેવાલાની હત્યા કરાવી છે. આ સાથે તેણે આનું કારણ પણ જણાવ્યું. આ સિવાય તેણે કહ્યું કે સલમાન ખાન પણ અમારા નિશાના પર છે, જો અમને તક મળશે તો અમે તેને ચોક્કસ મારીશું. ગેંગસ્ટર ગોલ્ડીએ સ્પષ્ટ કર્યું કે તે ખાલિસ્તાનને સમર્થન નથી કરતો. તેણે એમ પણ કહ્યું કે તેની આઈએસઆઈ અને ખાલિસ્તાન સાથે કોઈ મિત્રતા નથી.


સિદ્ધુ મુસેવાલાને શા માટે માર્યો?


સિદ્ધુ મુસેવાલાની હત્યાની કબૂલાત કરતાં ગોલ્ડી બ્રારે એક ટીવી ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે 'તેણે આ ખૂબ જ સમજી વિચારીને કર્યું છે. આ માટે ગમે તેટલું બલિદાન આપવું પડશે, અમે આપીશું, પરંતુ અમે જે જરૂરી હતું તે કર્યું છે. મુસેવાલાની હત્યા પાછળનું કારણ જણાવતા ગોલ્ડી બ્રારે કહ્યું, 'તે ખૂબ જ ઘમંડી અને બગડેલો હતો. તેની પાસે જરૂર કરતાં વધુ પૈસા હતા. રાજકીય પાવર અને પોલીસનો પાવર તેની પાસે જરૂરિયાત કરતાં વધુ હતો, જેનો તે દુરુપયોગ કરી રહ્યો હતો. તેને પાઠ ભણાવવો જરૂરી હતો. ગોલ્ડી બ્રારે વધુમાં કહ્યું કે, 'તેણે અમારું કેટલુંક વ્યક્તિગત નુકસાન કર્યું છે, કેટલીક એવી ભૂલો કરી છે જે માફીને પાત્ર નહોતી.


'સલમાનને ચોક્કસ મારીશું'


અભિનેતા સલમાન ખાન અંગે, ગોલ્ડી બ્રારે કહ્યું, 'અમે તેને મારી નાખીશું, ચોક્કસ મારીશું. ભાઈ સાહેબ (લૉરેન્સ)એ તેને માફી માંગવા કહ્યું હતું, પરંતુ તેણે માફી નહોતી. જેમ કે અમે અગાઉ પણ કહ્યું છે. વાત માત્ર સલમાન ખાનની જ નથી. જે કોઈ અમારો દુશ્મન હશે, અમે તેને મારી નાખીશું. સલમાન ખાન અમારો ટાર્ગેટ છે.


દાઉદ ઈબ્રાહિમ સાથે સંબંધનો કર્યો ઈનકાર


દાઉદ ઈબ્રાહિમ સાથે સાઠગાઠ અંગે ગોલ્ડી બ્રારે કહ્યું કે ઘણા દિવસોથી મીડિયામાં ચર્ચા ચાલી રહી છે કે અમે દાઉદ ઈબ્રાહિમ સાથે જોડાણ કર્યું છે. હું સ્પષ્ટ કરવા માંગુ છું કે દેશમાં બોમ્બ વિસ્ફોટ કરનારાઓ સાથે અમારી કોઈ મિત્રતા નથી. તેણે કહ્યું કે તે પાકિસ્તાનમાં બેઠેલા આતંકી હરવિંદર સિંહ રિંડા સાથે વાત કરતો હતો. તેણે જ સિદ્ધુ મૂઝવાલાને સમાધાન કરાવ્યું હતું. તેણે કહ્યું કે તે ડ્રગ્સનો કારોબાર કરતો નથી પરંતુ તેણે પાકિસ્તાન કે હથિયારોની દાણચોરીનો ઇનકાર કર્યો નથી.



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.