પતંગરસિયાઓ માટે આનંદના સમાચાર! Uttarayanમાં આટલી ઝડપે ફૂંકાશે પવન, હવામાન વિભાગે આગાહી કરતા જાણાવ્યું..


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-01-13 09:36:57

ગુજરાતમાં ધીરે ધીરે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. બે-ત્રણ દિવસથી પવન નથી જેને કારણે ઠંડીનું પ્રમાણ ઓછું છે. થોડા દિવસો પહેલા કમોસમી વરસાદને લઈ આગાહી કરવામાં આવી હતી રાજ્યના અનેક ભાગો માટે. આગાહી પ્રમાણે કમોસમી વરસાદ વરસ્યો પણ ખરો ત્યાં. ત્યારે આગામી દિવસોમાં વાતાવરણ કેવું રહેશે તેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આવનાર દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધશે, પવન ફૂંકાશે જેને કારણે ઉત્તરાયણમાં પતંગ રસિયાઓને વાંધો નહીં આવે. વરસાદ ઉત્તરાયણની મજા નહીં બગાડે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

મકર સંક્રાંતિ – દિન વિશેષ ✍

ઉત્તરાયણ દરમિયાન વાતાવરણ રહેશે સાનુકુળ 

સામાન્ય રીતે એવું જોવામાં આવ્યું છે કે ઉત્તરાયણના દિવસે જોઈએ તેટલો પવન નથી હોતો. પતંગ ચગાવવામાં મજા આવે તેટલો પવન પણન હોવાને કારણે પતંગ રસિયાઓ નિરાશ થઈ જતા હોય છે. એવું પણ અનુભવાયું છે કે ઉત્તરાયણના પહેલા સારો પવન હોય છે, ઉત્તરાયણ બાદ સારો પવન હોય છે પરંતુ ઉત્તરાયણ દરમિયાન સારો પવન નથી હોતો, એવો પવન નથી હોતો જે પતંગ ચગાવવા માટે જોઈ તો હોય છે. પરંતુ આ વખતે ઉત્તરાયણ તેમજ વાસી ઉત્તરાયણ દરમિયાન પવન સારો રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

Uttarayan 2023: ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગ ચગાવતી વખતે ધ્યાનમાં રાખો આ  બાબતો, પક્ષીનો જીવ પણ બચાવીએ - Gujarati News | Uttarayan 2023 Keep these  things in mind while flying kites ...


15થી 20 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના 

ઠંડીને લઈ હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર આગામી પાંચ દિવસ વરસાદ આવવાની સંભાવના નહીંવત જેવી છે. આગામી 24 કલાક દરમિયાન ઠંડો પવન વહેશે. આગામી દિવસોમાં ઠંડીનો પારો 2થી 3 ડિગ્રી ગગડી શકે છે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા લગાવવામાં આવ્યું છે. ઉત્તરાયણના દિવસે પવન કેવો રહેશે તે અંગેની આગાહી કરતા હવામાન વિભાગે જણાવાયું છે કે, 15થી 20 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને ઠંડી સામાન્ય રહેશે. જેના કારણે પવન અને વાતાવરણ સાનુકુળ રહેશે. 

Gujarat : રાજ્યમાં જોવા મળ્યો ઠંડીનો ચમકારો, જાણો ક્યાં કેટલું નોંધાયું  તાપમાન, હવામાન વિભાગે આગાહી કરતા કહ્યું કે...

ક્યાં કેટલું નોંધાયું તાપમાન? 

શુક્રવારે નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો દર વખતની જેમ નલિયામાં સૌથી ઓછું તાપમાન નોંધાયું છે. નલિયાનું તાપમાન 06.4 ડિગ્રી નોંધાયું છે, અમદાવાદનું તાપમાન 16.5 ડિગ્રી, ડીસાનું તાપમાન 11.7 ડિગ્રી, ગાંધીનગરનું તાપમાન 13.4 ડિગ્રી, દમણનું તાપમાન 21.0 ડિગ્રી, વડોદરાનું તાપમાન 16.6 ડિગ્રી નોંધાયું છે. ભુજનું તાપમાન 12.0 ડિગ્રી, ભાવનગરનું તાપમાન 17.4, રાજકોટનું તાપમાન 13.0, વેરાવળનું તાપમાન 21.1 નોંધાયું છે. મહત્વનું છે કે આગામી દિવસોમાં તાપમાનનો પારો ગગડી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે. અંબાલાલ પટેલ દ્વારા પણ આવી જ આગાહી કરવામાં આવી છે.   



સંતરામપુરથી એક વીડિયો સામે આવ્યો છે જે અનેક સવાલ ઉભા કરે છે. બુથ પર હાજર અધિકારી, ત્યાં હાજર પોલીસ અધિકારી.. જો વીડિયો વાયરલ ના થયો હોત તો ખબર જ ના પડત તે આવી ઘટના બની છે.

નાની નાની વાતોમાં સુખ રહેલું છે તે આપણે માનીએ તો પણ જીવનને જોવાનો આપણો અભિગમ બદલાઈ જાય છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ચંદ્રકાન્ત બક્ષીની રચના જેમાં આ વાતને સમજાવવામાં આવી છે.

વલસાડ લોકસભા બેઠક પણ ચર્ચામાં રહી પોતાના ઉમેદવારોને કારણે.. ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ટિકીટ આપવામાં આવી હતી જ્યારે ભારતીય જનતા પાર્ટીએ ધવલ પટેલને ટિકીટ આપી છે.. જમાવટની ટીમે ધવલ પટેલ સાથે ટેલિફોનિક વાત કરી હતી.

ચૂંટણી પૂર્ણ થયા બાદ પરષોત્તમ રૂપાલાએ એક નિવેદન આપ્યું જેમાં તેમણે ક્ષત્રિય સમાજની માફી માગી હતી. આ બાદ ક્ષત્રિય સમાજે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. ક્ષત્રિય સમાજે પરશોત્તમ રૂપાલાને જણાવ્યું છે કે,‘કદાચ તેમને આગળ કોઇ પદભાર મેળવવું હોય તેથી આજે તેમણે અમારી ફરીથી માફી માંગી છે તેવું અમારું માનવું છે.'