પતંગરસિયાઓ માટે આનંદના સમાચાર! Uttarayanમાં આટલી ઝડપે ફૂંકાશે પવન, હવામાન વિભાગે આગાહી કરતા જાણાવ્યું..


  • Published By :
  • Published Date : 2024-01-13 09:36:57

ગુજરાતમાં ધીરે ધીરે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. બે-ત્રણ દિવસથી પવન નથી જેને કારણે ઠંડીનું પ્રમાણ ઓછું છે. થોડા દિવસો પહેલા કમોસમી વરસાદને લઈ આગાહી કરવામાં આવી હતી રાજ્યના અનેક ભાગો માટે. આગાહી પ્રમાણે કમોસમી વરસાદ વરસ્યો પણ ખરો ત્યાં. ત્યારે આગામી દિવસોમાં વાતાવરણ કેવું રહેશે તેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આવનાર દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધશે, પવન ફૂંકાશે જેને કારણે ઉત્તરાયણમાં પતંગ રસિયાઓને વાંધો નહીં આવે. વરસાદ ઉત્તરાયણની મજા નહીં બગાડે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

મકર સંક્રાંતિ – દિન વિશેષ ✍

ઉત્તરાયણ દરમિયાન વાતાવરણ રહેશે સાનુકુળ 

સામાન્ય રીતે એવું જોવામાં આવ્યું છે કે ઉત્તરાયણના દિવસે જોઈએ તેટલો પવન નથી હોતો. પતંગ ચગાવવામાં મજા આવે તેટલો પવન પણન હોવાને કારણે પતંગ રસિયાઓ નિરાશ થઈ જતા હોય છે. એવું પણ અનુભવાયું છે કે ઉત્તરાયણના પહેલા સારો પવન હોય છે, ઉત્તરાયણ બાદ સારો પવન હોય છે પરંતુ ઉત્તરાયણ દરમિયાન સારો પવન નથી હોતો, એવો પવન નથી હોતો જે પતંગ ચગાવવા માટે જોઈ તો હોય છે. પરંતુ આ વખતે ઉત્તરાયણ તેમજ વાસી ઉત્તરાયણ દરમિયાન પવન સારો રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

Uttarayan 2023: ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગ ચગાવતી વખતે ધ્યાનમાં રાખો આ  બાબતો, પક્ષીનો જીવ પણ બચાવીએ - Gujarati News | Uttarayan 2023 Keep these  things in mind while flying kites ...


15થી 20 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના 

ઠંડીને લઈ હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર આગામી પાંચ દિવસ વરસાદ આવવાની સંભાવના નહીંવત જેવી છે. આગામી 24 કલાક દરમિયાન ઠંડો પવન વહેશે. આગામી દિવસોમાં ઠંડીનો પારો 2થી 3 ડિગ્રી ગગડી શકે છે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા લગાવવામાં આવ્યું છે. ઉત્તરાયણના દિવસે પવન કેવો રહેશે તે અંગેની આગાહી કરતા હવામાન વિભાગે જણાવાયું છે કે, 15થી 20 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને ઠંડી સામાન્ય રહેશે. જેના કારણે પવન અને વાતાવરણ સાનુકુળ રહેશે. 

Gujarat : રાજ્યમાં જોવા મળ્યો ઠંડીનો ચમકારો, જાણો ક્યાં કેટલું નોંધાયું  તાપમાન, હવામાન વિભાગે આગાહી કરતા કહ્યું કે...

ક્યાં કેટલું નોંધાયું તાપમાન? 

શુક્રવારે નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો દર વખતની જેમ નલિયામાં સૌથી ઓછું તાપમાન નોંધાયું છે. નલિયાનું તાપમાન 06.4 ડિગ્રી નોંધાયું છે, અમદાવાદનું તાપમાન 16.5 ડિગ્રી, ડીસાનું તાપમાન 11.7 ડિગ્રી, ગાંધીનગરનું તાપમાન 13.4 ડિગ્રી, દમણનું તાપમાન 21.0 ડિગ્રી, વડોદરાનું તાપમાન 16.6 ડિગ્રી નોંધાયું છે. ભુજનું તાપમાન 12.0 ડિગ્રી, ભાવનગરનું તાપમાન 17.4, રાજકોટનું તાપમાન 13.0, વેરાવળનું તાપમાન 21.1 નોંધાયું છે. મહત્વનું છે કે આગામી દિવસોમાં તાપમાનનો પારો ગગડી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે. અંબાલાલ પટેલ દ્વારા પણ આવી જ આગાહી કરવામાં આવી છે.   



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.