પુષ્પા ફેન્સ માટે ખુશખબરીના સમાચાર, નવા લુકમાં દેખાયા અલ્લુ અર્જુન


  • Published By :
  • Published Date : 2022-11-02 15:27:36

પુષ્પા 2 એટલે કે પુષ્પા ધ રૂલનું શુટિંગ શરૂ થઈ ગયું છે. અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાના સ્ટારર આ ફિલ્મના પહેલા ભાગે સિનેમા હાઉસથી લઈ ઓટીટી પ્લેટફોર્મ પર ધમાલ મચાવી હતી. પહેલી ફિલ્મ એવા સ્ટેજ પર આવીને રોકાઈ જાય છે કે લોકોને બીજા ભાગની ઉતાવળ રહે, અને આજે એ ઉતાવળ ખતમ થવાનો સમય શરૂ થઈ ગયો છે. કારણ કે પુષ્પા ધ રૂલ એટલે કે પુષ્પા 2 ફિલ્મનું શુટિંગ શરૂ થઈ ગયું છે. 


2023ના અંતમાં ફિલ્મ થશે રિલીઝ

પુષ્પા 2ની શુટિંગ માટે 22 ઓગસ્ટના રોજ એક પૂજા સમારોહ રાખવામાં આવ્યો હતો. પુષ્પા ધ રૂલમાં અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાના ફરી એક વાર પોતાની ધમાકેદાર કેમેસ્ટ્રી આ ફિલ્મની અંદર દેખાડશે તેના માટે લોકો ઉત્સાહિત છે. ફેન્સને સસ્પેન્સમાં બનાવી રાખવા માટે ફિલ્મનિર્માતાઓએ કોઈ માહિતી શેર કરી ના હતી. પરંતુ અલ્લુ અર્જુન અલગ રૂપમાં નજર આવી રહ્યા છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. વર્ષ 2023ના અંત સુધીમાં પુષ્પા ધ રૂલ થીયેટરની અંદર આવી જશે.  




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.