પુષ્પા ફેન્સ માટે ખુશખબરીના સમાચાર, નવા લુકમાં દેખાયા અલ્લુ અર્જુન


  • Published By :
  • Published Date : 2022-11-02 15:27:36

પુષ્પા 2 એટલે કે પુષ્પા ધ રૂલનું શુટિંગ શરૂ થઈ ગયું છે. અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાના સ્ટારર આ ફિલ્મના પહેલા ભાગે સિનેમા હાઉસથી લઈ ઓટીટી પ્લેટફોર્મ પર ધમાલ મચાવી હતી. પહેલી ફિલ્મ એવા સ્ટેજ પર આવીને રોકાઈ જાય છે કે લોકોને બીજા ભાગની ઉતાવળ રહે, અને આજે એ ઉતાવળ ખતમ થવાનો સમય શરૂ થઈ ગયો છે. કારણ કે પુષ્પા ધ રૂલ એટલે કે પુષ્પા 2 ફિલ્મનું શુટિંગ શરૂ થઈ ગયું છે. 


2023ના અંતમાં ફિલ્મ થશે રિલીઝ

પુષ્પા 2ની શુટિંગ માટે 22 ઓગસ્ટના રોજ એક પૂજા સમારોહ રાખવામાં આવ્યો હતો. પુષ્પા ધ રૂલમાં અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાના ફરી એક વાર પોતાની ધમાકેદાર કેમેસ્ટ્રી આ ફિલ્મની અંદર દેખાડશે તેના માટે લોકો ઉત્સાહિત છે. ફેન્સને સસ્પેન્સમાં બનાવી રાખવા માટે ફિલ્મનિર્માતાઓએ કોઈ માહિતી શેર કરી ના હતી. પરંતુ અલ્લુ અર્જુન અલગ રૂપમાં નજર આવી રહ્યા છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. વર્ષ 2023ના અંત સુધીમાં પુષ્પા ધ રૂલ થીયેટરની અંદર આવી જશે.  




જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.