પુષ્પા ફેન્સ માટે ખુશખબરીના સમાચાર, નવા લુકમાં દેખાયા અલ્લુ અર્જુન


  • Published By :
  • Published Date : 2022-11-02 15:27:36

પુષ્પા 2 એટલે કે પુષ્પા ધ રૂલનું શુટિંગ શરૂ થઈ ગયું છે. અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાના સ્ટારર આ ફિલ્મના પહેલા ભાગે સિનેમા હાઉસથી લઈ ઓટીટી પ્લેટફોર્મ પર ધમાલ મચાવી હતી. પહેલી ફિલ્મ એવા સ્ટેજ પર આવીને રોકાઈ જાય છે કે લોકોને બીજા ભાગની ઉતાવળ રહે, અને આજે એ ઉતાવળ ખતમ થવાનો સમય શરૂ થઈ ગયો છે. કારણ કે પુષ્પા ધ રૂલ એટલે કે પુષ્પા 2 ફિલ્મનું શુટિંગ શરૂ થઈ ગયું છે. 


2023ના અંતમાં ફિલ્મ થશે રિલીઝ

પુષ્પા 2ની શુટિંગ માટે 22 ઓગસ્ટના રોજ એક પૂજા સમારોહ રાખવામાં આવ્યો હતો. પુષ્પા ધ રૂલમાં અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાના ફરી એક વાર પોતાની ધમાકેદાર કેમેસ્ટ્રી આ ફિલ્મની અંદર દેખાડશે તેના માટે લોકો ઉત્સાહિત છે. ફેન્સને સસ્પેન્સમાં બનાવી રાખવા માટે ફિલ્મનિર્માતાઓએ કોઈ માહિતી શેર કરી ના હતી. પરંતુ અલ્લુ અર્જુન અલગ રૂપમાં નજર આવી રહ્યા છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. વર્ષ 2023ના અંત સુધીમાં પુષ્પા ધ રૂલ થીયેટરની અંદર આવી જશે.  




થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .