ગૂગલે જેમના જન્મદિને ખાસ ડૂડલ બનાવીને યાદ કર્યા તે ઝરીના હાશ્મી કોણ છે? જાણો


  • Published By :
  • Published Date : 2023-07-16 18:16:17

ગૂગલે રવિવારે ભારતીય-અમેરિકન કલાકાર અને પ્રિન્ટમેકર ઝરીના હાશ્મીને તેમની 86મી જન્મજયંતિ પર ડૂડલ બનાવીને શ્રદ્ધાંજલિ આપી. આ ડૂડલ ન્યૂયોર્ક સ્થિત ગેસ્ટ આર્ટિસ્ટ તારા આનંદ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. ઝરીનાને ખાસ કરીને આધુનિકતાવાદ અને અમૂર્તતા જેવી કળા આંદોલનોના કારણે ઓળખવામાં આવે છે.


અલીગઢમાં થયો હતો જન્મ


ઝરીના રશીદનો જન્મ 16 જુલાઈ, 1937ના રોજ ભારતના નાના શહેર અલીગઢમાં પાંચ બાળકોમાં સૌથી નાની પુત્રી તરીકે થયો હતો, ઝરીના રશીદના પિતા શેખ અબ્દુર રશીદ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં ભણાવતા હતા. તેમની માતા ફહમીદા બેગમ એક ગૃહિણી હતી. તેઓ અને તેમના ચાર ભાઈ-બહેનો 1947માં ભારતના ભાગલા સુધી સુખી જીવન જીવી રહ્યા હતા પરંતું ભાગલાના કારણેના ઝરીનાના પરિવારને દુ:ખદ રીતે પાકિસ્તાનમાં કરાચી જવાની ફરજ પડી હતી.


21 વર્ષની ઉંમરે થયા લગ્ન 


ઝરીના હાશ્મીએ 21 વર્ષની ઉંમરે એક યુવાન ફોરેન સર્વિસ ડિપ્લોમેટ સાથે લગ્ન કર્યા અને દુનિયાની મુસાફરી શરૂ કરી હતી. તેમણે બેંગકોક, પેરિસ અને જાપાનમાં સમય વિતાવ્યો હતો, જ્યાં તેઓ પ્રિન્ટમેકિંગ અને આધુનિકતાવાદ અને અમૂર્તતા જેવી કલા ચળવળોમાં સામેલ થયા હતા.


નારીવાદી ચળવળમાં જોડાયા


ઝરીના હાશ્મી 1977માં ન્યૂયોર્ક સિટીમાં રહેવા ગયા, જ્યાં તેમણે મહિલાઓ અને કલાકારો માટે મજબૂત ચળવળકાર બનવાનું નક્કી કર્યું. તેઓ ટૂંક સમયમાં હેરેસીસ કલેક્ટિવમાં જોડાઈ ગયા હતા, જે એક નારીવાદી સામયિક છે જેણે કલા, રાજકારણ અને સામાજિક ન્યાય વચ્ચેના સંબંધોની તપાસ કરી. આ પછી, તેમણે ન્યૂયોર્ક ફેમિનિસ્ટ આર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રોફેસર તરીકે ભણાવવાનું શરૂ કર્યું. જ્યાં મહિલા કલાકારોને સમાન શિક્ષણની તકો પૂરી પાડવામાં આવતી હતી.


વુડકટ્સ અને ઇન્ટેગ્લિયો પ્રિન્ટ્સથી મળી ઓળખ


મિનિમલિઝમ આર્ટ ચળવળનો એક ભાગ એવા હાશ્મી આંતરરાષ્ટ્રીય સ્તરે તેના આકર્ષક વૂડકટ્સ અને ઇન્ટાગ્લિયો પ્રિન્ટ્સ માટે જાણીતી છે, તેઓ જ્યાં રહેતા હતા તે ઘરો અને શહેરોની અર્ધ-અમૂર્ત છબીઓને આકર્ષક વૂડકટ્સ અને ઇન્ટાગ્લિયો પ્રિન્ટ્સથી જોડે છે. તેમના કામમાં ઘણીવાર તેમના મૂળ ઉર્દૂમાં શિલાલેખો અને ઇસ્લામિક કલાથી પ્રેરિત ભૌમિતિક તત્વોનો સમાવેશ થતો હતો. સાન ફ્રાન્સિસ્કો મ્યુઝિયમ ઑફ મોડર્ન આર્ટ, વ્હિટની મ્યુઝિયમ ઑફ અમેરિકન આર્ટ, સોલોમન આર. ગુગેનહેમ મ્યુઝિયમ અને મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટ સહિત અન્ય જાણીતી ગેલેરીઓમાં ઝરીનાની કળા સંગ્રહિત કરવામાં આવી છે. 25 એપ્રિલ, 2020ના રોજ અલ્ઝાઈમર રોગને કારણે લંડનમાં તેમનું અવસાન થયું હતું.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.