ગૂગલે જેમના જન્મદિને ખાસ ડૂડલ બનાવીને યાદ કર્યા તે ઝરીના હાશ્મી કોણ છે? જાણો


  • Published By :
  • Published Date : 2023-07-16 18:16:17

ગૂગલે રવિવારે ભારતીય-અમેરિકન કલાકાર અને પ્રિન્ટમેકર ઝરીના હાશ્મીને તેમની 86મી જન્મજયંતિ પર ડૂડલ બનાવીને શ્રદ્ધાંજલિ આપી. આ ડૂડલ ન્યૂયોર્ક સ્થિત ગેસ્ટ આર્ટિસ્ટ તારા આનંદ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. ઝરીનાને ખાસ કરીને આધુનિકતાવાદ અને અમૂર્તતા જેવી કળા આંદોલનોના કારણે ઓળખવામાં આવે છે.


અલીગઢમાં થયો હતો જન્મ


ઝરીના રશીદનો જન્મ 16 જુલાઈ, 1937ના રોજ ભારતના નાના શહેર અલીગઢમાં પાંચ બાળકોમાં સૌથી નાની પુત્રી તરીકે થયો હતો, ઝરીના રશીદના પિતા શેખ અબ્દુર રશીદ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં ભણાવતા હતા. તેમની માતા ફહમીદા બેગમ એક ગૃહિણી હતી. તેઓ અને તેમના ચાર ભાઈ-બહેનો 1947માં ભારતના ભાગલા સુધી સુખી જીવન જીવી રહ્યા હતા પરંતું ભાગલાના કારણેના ઝરીનાના પરિવારને દુ:ખદ રીતે પાકિસ્તાનમાં કરાચી જવાની ફરજ પડી હતી.


21 વર્ષની ઉંમરે થયા લગ્ન 


ઝરીના હાશ્મીએ 21 વર્ષની ઉંમરે એક યુવાન ફોરેન સર્વિસ ડિપ્લોમેટ સાથે લગ્ન કર્યા અને દુનિયાની મુસાફરી શરૂ કરી હતી. તેમણે બેંગકોક, પેરિસ અને જાપાનમાં સમય વિતાવ્યો હતો, જ્યાં તેઓ પ્રિન્ટમેકિંગ અને આધુનિકતાવાદ અને અમૂર્તતા જેવી કલા ચળવળોમાં સામેલ થયા હતા.


નારીવાદી ચળવળમાં જોડાયા


ઝરીના હાશ્મી 1977માં ન્યૂયોર્ક સિટીમાં રહેવા ગયા, જ્યાં તેમણે મહિલાઓ અને કલાકારો માટે મજબૂત ચળવળકાર બનવાનું નક્કી કર્યું. તેઓ ટૂંક સમયમાં હેરેસીસ કલેક્ટિવમાં જોડાઈ ગયા હતા, જે એક નારીવાદી સામયિક છે જેણે કલા, રાજકારણ અને સામાજિક ન્યાય વચ્ચેના સંબંધોની તપાસ કરી. આ પછી, તેમણે ન્યૂયોર્ક ફેમિનિસ્ટ આર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રોફેસર તરીકે ભણાવવાનું શરૂ કર્યું. જ્યાં મહિલા કલાકારોને સમાન શિક્ષણની તકો પૂરી પાડવામાં આવતી હતી.


વુડકટ્સ અને ઇન્ટેગ્લિયો પ્રિન્ટ્સથી મળી ઓળખ


મિનિમલિઝમ આર્ટ ચળવળનો એક ભાગ એવા હાશ્મી આંતરરાષ્ટ્રીય સ્તરે તેના આકર્ષક વૂડકટ્સ અને ઇન્ટાગ્લિયો પ્રિન્ટ્સ માટે જાણીતી છે, તેઓ જ્યાં રહેતા હતા તે ઘરો અને શહેરોની અર્ધ-અમૂર્ત છબીઓને આકર્ષક વૂડકટ્સ અને ઇન્ટાગ્લિયો પ્રિન્ટ્સથી જોડે છે. તેમના કામમાં ઘણીવાર તેમના મૂળ ઉર્દૂમાં શિલાલેખો અને ઇસ્લામિક કલાથી પ્રેરિત ભૌમિતિક તત્વોનો સમાવેશ થતો હતો. સાન ફ્રાન્સિસ્કો મ્યુઝિયમ ઑફ મોડર્ન આર્ટ, વ્હિટની મ્યુઝિયમ ઑફ અમેરિકન આર્ટ, સોલોમન આર. ગુગેનહેમ મ્યુઝિયમ અને મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટ સહિત અન્ય જાણીતી ગેલેરીઓમાં ઝરીનાની કળા સંગ્રહિત કરવામાં આવી છે. 25 એપ્રિલ, 2020ના રોજ અલ્ઝાઈમર રોગને કારણે લંડનમાં તેમનું અવસાન થયું હતું.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .