ગૂગલે જેમના જન્મદિને ખાસ ડૂડલ બનાવીને યાદ કર્યા તે ઝરીના હાશ્મી કોણ છે? જાણો


  • Published By :
  • Published Date : 2023-07-16 18:16:17

ગૂગલે રવિવારે ભારતીય-અમેરિકન કલાકાર અને પ્રિન્ટમેકર ઝરીના હાશ્મીને તેમની 86મી જન્મજયંતિ પર ડૂડલ બનાવીને શ્રદ્ધાંજલિ આપી. આ ડૂડલ ન્યૂયોર્ક સ્થિત ગેસ્ટ આર્ટિસ્ટ તારા આનંદ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. ઝરીનાને ખાસ કરીને આધુનિકતાવાદ અને અમૂર્તતા જેવી કળા આંદોલનોના કારણે ઓળખવામાં આવે છે.


અલીગઢમાં થયો હતો જન્મ


ઝરીના રશીદનો જન્મ 16 જુલાઈ, 1937ના રોજ ભારતના નાના શહેર અલીગઢમાં પાંચ બાળકોમાં સૌથી નાની પુત્રી તરીકે થયો હતો, ઝરીના રશીદના પિતા શેખ અબ્દુર રશીદ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં ભણાવતા હતા. તેમની માતા ફહમીદા બેગમ એક ગૃહિણી હતી. તેઓ અને તેમના ચાર ભાઈ-બહેનો 1947માં ભારતના ભાગલા સુધી સુખી જીવન જીવી રહ્યા હતા પરંતું ભાગલાના કારણેના ઝરીનાના પરિવારને દુ:ખદ રીતે પાકિસ્તાનમાં કરાચી જવાની ફરજ પડી હતી.


21 વર્ષની ઉંમરે થયા લગ્ન 


ઝરીના હાશ્મીએ 21 વર્ષની ઉંમરે એક યુવાન ફોરેન સર્વિસ ડિપ્લોમેટ સાથે લગ્ન કર્યા અને દુનિયાની મુસાફરી શરૂ કરી હતી. તેમણે બેંગકોક, પેરિસ અને જાપાનમાં સમય વિતાવ્યો હતો, જ્યાં તેઓ પ્રિન્ટમેકિંગ અને આધુનિકતાવાદ અને અમૂર્તતા જેવી કલા ચળવળોમાં સામેલ થયા હતા.


નારીવાદી ચળવળમાં જોડાયા


ઝરીના હાશ્મી 1977માં ન્યૂયોર્ક સિટીમાં રહેવા ગયા, જ્યાં તેમણે મહિલાઓ અને કલાકારો માટે મજબૂત ચળવળકાર બનવાનું નક્કી કર્યું. તેઓ ટૂંક સમયમાં હેરેસીસ કલેક્ટિવમાં જોડાઈ ગયા હતા, જે એક નારીવાદી સામયિક છે જેણે કલા, રાજકારણ અને સામાજિક ન્યાય વચ્ચેના સંબંધોની તપાસ કરી. આ પછી, તેમણે ન્યૂયોર્ક ફેમિનિસ્ટ આર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રોફેસર તરીકે ભણાવવાનું શરૂ કર્યું. જ્યાં મહિલા કલાકારોને સમાન શિક્ષણની તકો પૂરી પાડવામાં આવતી હતી.


વુડકટ્સ અને ઇન્ટેગ્લિયો પ્રિન્ટ્સથી મળી ઓળખ


મિનિમલિઝમ આર્ટ ચળવળનો એક ભાગ એવા હાશ્મી આંતરરાષ્ટ્રીય સ્તરે તેના આકર્ષક વૂડકટ્સ અને ઇન્ટાગ્લિયો પ્રિન્ટ્સ માટે જાણીતી છે, તેઓ જ્યાં રહેતા હતા તે ઘરો અને શહેરોની અર્ધ-અમૂર્ત છબીઓને આકર્ષક વૂડકટ્સ અને ઇન્ટાગ્લિયો પ્રિન્ટ્સથી જોડે છે. તેમના કામમાં ઘણીવાર તેમના મૂળ ઉર્દૂમાં શિલાલેખો અને ઇસ્લામિક કલાથી પ્રેરિત ભૌમિતિક તત્વોનો સમાવેશ થતો હતો. સાન ફ્રાન્સિસ્કો મ્યુઝિયમ ઑફ મોડર્ન આર્ટ, વ્હિટની મ્યુઝિયમ ઑફ અમેરિકન આર્ટ, સોલોમન આર. ગુગેનહેમ મ્યુઝિયમ અને મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટ સહિત અન્ય જાણીતી ગેલેરીઓમાં ઝરીનાની કળા સંગ્રહિત કરવામાં આવી છે. 25 એપ્રિલ, 2020ના રોજ અલ્ઝાઈમર રોગને કારણે લંડનમાં તેમનું અવસાન થયું હતું.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.