હર્ષ સંઘવી વિશે શું કહ્યું કે ગોપાલ ઈટાલિયા સામે થઈ ફરિયાદ?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-05 18:46:10



ભાજપના નેતા સામે અમુક શબ્દોનો ઉપયોગ કરતા ગોપાલ ઈટાલિયા સામે સુરતના ઉંમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. ભાજપના જ નેતા પ્રતાપભાઈ જીરાવાલાએ ગોપાલ ઈટાલિયા સામે બદનક્ષીની ફરિયાદ નોંધાવી છે. ચૂંટણી પહેલાના નિવેદનોમાં ગોપાલ ઈટાલિયા વારંવાર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના નેતા સામે ચોક્કસ શબ્દોનો ઉપયોગ કરતા તેમના સામે ફરિયાદ નોંધાઈ હતી. 


ગુજરાત પ્રવાસે આવેલા કેજરીવાલે સમગ્ર મામલે શું કહ્યું?

ગોપાલ ઈટાલિયા સામે થયેલી ફરિયાદ મામલે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી કાયરોની પાર્ટી છે. અમે ઈમાનદાર પાર્ટી છીએ અને દેશના ભલા માટે કામ કરીએ છીએ. હજુ તો ભાજપ ઈડી અને સીબીઆઈ પણ બોલાવશે અને અમને હેરાન કરશે. 


ફરિયાદ થતાં ગોપાલ ઈટાલિયાએ શું નિવેદન આપ્યું?

ત્યારે ગોપાલ ઈટાલિયાએ સમગ્ર બાબતે નિવેદન આપતા જણાવ્યું હતું કે, ગુજરાતના અદાણી પોર્ટ પર કરોડોનું ડ્રગ્સ પકડાય છે ત્યારે કેમ કોઈના પર કાર્યવાહી નથી કરવામાં આવતી. ભારતીય જનતા પાર્ટીના નેતા ગેરકાયદેસર રીતે દારૂના ધંધા કરી રહ્યા છે. તાજેતરમાં જ બોટાદ અને અમદાવાદમાં થયેલા કથિત લઠ્ઠાકાંડ મામલે ભાજપના નેતાની સંડોવણી સામે આવી હતી. ભાજપના લોકોને કંઈ કામ નથી એટલે તેવા લોકોને પકડવાની જગ્યાએ આમ આદમી પાર્ટીના નેતાને પકડવાની તૈયારી કરી રહ્યા છે. હું નશો નથી વેચતો, જે વેચે છે તે તેમને પકડો. 


જાહેર છે કે ચૂંટણીનો સમય નજીક આવી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાની રીતે લોકોને રીજવવા માટે જમીન પર ઉતરી ગયા છે. ચૂંટણી પહેલાની નિવેદનબાજીએ જોર પકડ્યું છે અને નેતાઓ બેફામ થયા છે. આગામી સમયમાં નિવેદનબાજી હજુ તીખી થશે ત્યારે કેવી કાર્યવાહી કરવામાં આવશે તે જોવાનું રહેશે.   


 




અમદાવાદના બોપલ વિસ્તારમાં 80 કરોડના ખર્ચે એએમસી અને AUDA દ્વારા એક બ્રિજ બનાવવામાં આવ્યો જેનું કામ 80 ટકા જેટલું પૂર્ણ પણ થઈ ગયું. તે બાદ ખબર ઇજનેરો અને અધિકારીઓને ખબર પડી કે જ્યાં તેઓ બ્રિજ બનાવી રહ્યા છે ત્યાં તો કોઈ રોડ જ નથી. એટલે કે બ્રિજના બીજા છેડે રસ્તો જ નથી અને બ્રિજ ઉતરતાની સાથે જ ઊંચી દીવાલ આવી જાય છે.

પરષોત્તમ રૂપાલાના નિવેદનનો ક્ષત્રિય સમાજ વિરોધ કરી રહ્યો છે. ઠેર ઠેર વિરોધ પ્રદર્શનના દ્રશ્યો સામે આવ્યા છે. ત્યારે થોડા દિવસ પહેલા ક્ષત્રિય સમાજ દ્વારા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે શંકરસિંહ વાઘેલાએ નિવેદન આપ્યું હતું.

ભરૂચ લોકસભા બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત આપના નેતા ચૈતર વસાવાને ઉતારવામાં આવ્યા છે. પ્રચારનો ધમધમાટ ચાલી રહ્યો છે અને આ બધા વચ્ચે અહમદ પટેલની દીકરી મુમતાઝ પટેલનું નિવેદન સામે આવ્યું છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન ચૂંટણી હોવાને કારણે મળી શકે છે. સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.