હર્ષ સંઘવી વિશે શું કહ્યું કે ગોપાલ ઈટાલિયા સામે થઈ ફરિયાદ?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-05 18:46:10



ભાજપના નેતા સામે અમુક શબ્દોનો ઉપયોગ કરતા ગોપાલ ઈટાલિયા સામે સુરતના ઉંમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. ભાજપના જ નેતા પ્રતાપભાઈ જીરાવાલાએ ગોપાલ ઈટાલિયા સામે બદનક્ષીની ફરિયાદ નોંધાવી છે. ચૂંટણી પહેલાના નિવેદનોમાં ગોપાલ ઈટાલિયા વારંવાર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના નેતા સામે ચોક્કસ શબ્દોનો ઉપયોગ કરતા તેમના સામે ફરિયાદ નોંધાઈ હતી. 


ગુજરાત પ્રવાસે આવેલા કેજરીવાલે સમગ્ર મામલે શું કહ્યું?

ગોપાલ ઈટાલિયા સામે થયેલી ફરિયાદ મામલે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી કાયરોની પાર્ટી છે. અમે ઈમાનદાર પાર્ટી છીએ અને દેશના ભલા માટે કામ કરીએ છીએ. હજુ તો ભાજપ ઈડી અને સીબીઆઈ પણ બોલાવશે અને અમને હેરાન કરશે. 


ફરિયાદ થતાં ગોપાલ ઈટાલિયાએ શું નિવેદન આપ્યું?

ત્યારે ગોપાલ ઈટાલિયાએ સમગ્ર બાબતે નિવેદન આપતા જણાવ્યું હતું કે, ગુજરાતના અદાણી પોર્ટ પર કરોડોનું ડ્રગ્સ પકડાય છે ત્યારે કેમ કોઈના પર કાર્યવાહી નથી કરવામાં આવતી. ભારતીય જનતા પાર્ટીના નેતા ગેરકાયદેસર રીતે દારૂના ધંધા કરી રહ્યા છે. તાજેતરમાં જ બોટાદ અને અમદાવાદમાં થયેલા કથિત લઠ્ઠાકાંડ મામલે ભાજપના નેતાની સંડોવણી સામે આવી હતી. ભાજપના લોકોને કંઈ કામ નથી એટલે તેવા લોકોને પકડવાની જગ્યાએ આમ આદમી પાર્ટીના નેતાને પકડવાની તૈયારી કરી રહ્યા છે. હું નશો નથી વેચતો, જે વેચે છે તે તેમને પકડો. 


જાહેર છે કે ચૂંટણીનો સમય નજીક આવી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાની રીતે લોકોને રીજવવા માટે જમીન પર ઉતરી ગયા છે. ચૂંટણી પહેલાની નિવેદનબાજીએ જોર પકડ્યું છે અને નેતાઓ બેફામ થયા છે. આગામી સમયમાં નિવેદનબાજી હજુ તીખી થશે ત્યારે કેવી કાર્યવાહી કરવામાં આવશે તે જોવાનું રહેશે.   


 




થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .