હર્ષ સંઘવી વિશે શું કહ્યું કે ગોપાલ ઈટાલિયા સામે થઈ ફરિયાદ?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-05 18:46:10



ભાજપના નેતા સામે અમુક શબ્દોનો ઉપયોગ કરતા ગોપાલ ઈટાલિયા સામે સુરતના ઉંમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. ભાજપના જ નેતા પ્રતાપભાઈ જીરાવાલાએ ગોપાલ ઈટાલિયા સામે બદનક્ષીની ફરિયાદ નોંધાવી છે. ચૂંટણી પહેલાના નિવેદનોમાં ગોપાલ ઈટાલિયા વારંવાર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના નેતા સામે ચોક્કસ શબ્દોનો ઉપયોગ કરતા તેમના સામે ફરિયાદ નોંધાઈ હતી. 


ગુજરાત પ્રવાસે આવેલા કેજરીવાલે સમગ્ર મામલે શું કહ્યું?

ગોપાલ ઈટાલિયા સામે થયેલી ફરિયાદ મામલે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી કાયરોની પાર્ટી છે. અમે ઈમાનદાર પાર્ટી છીએ અને દેશના ભલા માટે કામ કરીએ છીએ. હજુ તો ભાજપ ઈડી અને સીબીઆઈ પણ બોલાવશે અને અમને હેરાન કરશે. 


ફરિયાદ થતાં ગોપાલ ઈટાલિયાએ શું નિવેદન આપ્યું?

ત્યારે ગોપાલ ઈટાલિયાએ સમગ્ર બાબતે નિવેદન આપતા જણાવ્યું હતું કે, ગુજરાતના અદાણી પોર્ટ પર કરોડોનું ડ્રગ્સ પકડાય છે ત્યારે કેમ કોઈના પર કાર્યવાહી નથી કરવામાં આવતી. ભારતીય જનતા પાર્ટીના નેતા ગેરકાયદેસર રીતે દારૂના ધંધા કરી રહ્યા છે. તાજેતરમાં જ બોટાદ અને અમદાવાદમાં થયેલા કથિત લઠ્ઠાકાંડ મામલે ભાજપના નેતાની સંડોવણી સામે આવી હતી. ભાજપના લોકોને કંઈ કામ નથી એટલે તેવા લોકોને પકડવાની જગ્યાએ આમ આદમી પાર્ટીના નેતાને પકડવાની તૈયારી કરી રહ્યા છે. હું નશો નથી વેચતો, જે વેચે છે તે તેમને પકડો. 


જાહેર છે કે ચૂંટણીનો સમય નજીક આવી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાની રીતે લોકોને રીજવવા માટે જમીન પર ઉતરી ગયા છે. ચૂંટણી પહેલાની નિવેદનબાજીએ જોર પકડ્યું છે અને નેતાઓ બેફામ થયા છે. આગામી સમયમાં નિવેદનબાજી હજુ તીખી થશે ત્યારે કેવી કાર્યવાહી કરવામાં આવશે તે જોવાનું રહેશે.   


 




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.