ગોપાલ ઇટાલિયાએ BJP પર પ્રહાર કર્યા કહ્યું " ભાજપ અને વિનુ મોરડીયાએ ગુંડાગીરી ચાલુ કરી "


  • Published By : Payal rathod
  • Published Date : 2022-11-20 17:39:52


ગુજરાત વિધાનસભા ચુંટણી નજીક છે અને દરેક ઉમેદવાર પ્રચાર પ્રસારમાં લાગી ગયા છે. જેમાં સુરતમાંસૌથી વધારે આક્રમક જોવા મળી રહેલી આમ આદમી પાર્ટીને ખાળવા માટે ભાજપે પણ આક્રમક રણનીતિ અપનાવી છે. જો કે આવા સમચે અચાનક ગોપાલ ઇટાલિયાના એક ટ્વીટથી રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.


ગોપાલ ઇટાલિયાએ શું ટ્વીટ કર્યું ?

ગોપાલ ઇટાલિયાએ એક વીડિયો અને કેટલીક તસ્વીરો શેર કરી હતી. જેમાં કેટલાક લોકો આમ આદમી પાર્ટી દ્વારા પ્રચાર માટે રખાયેલી સાયકલોમાં લગાવાયેલા પોસ્ટરો ફાડી રહ્યા છે. ગોપાલ ઇટાલિયા દ્વારા ભાજપ અને વિનુ મોરડીયાના કેટલાક ગુંડાઓ દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું હોવાના આરોપો લગાવ્યા હતા. 



ભાજપ પર લગાય આરોપ 

આમ આદમી પાર્ટી દ્વારા આ મુદ્દાને આક્રમક રીતે ઉપાડવામાં આવી રહ્યો છે. ગોપાલ ઇટાલિયાએ ભાજપ પર આકરા પ્રહારો કરતા ટ્વીટ કરીને લખ્યું કે,આખરે ભાજપીયાઓ પોતાના અસલ સ્વરૂપ પર આવી ગયા. કતારગામ ભાજપના ઉમેદવાર વિનુ મોરડીયાએ કેબિનેટ મંત્રી વિનુ મોરડીયાએ ગુંડા મોકલીએ આમ આદમી પાર્ટીના બેનર તથા સાયકલ પ્રચારના હોર્ડિંગમાં તોડફોડ કરાવી હતી. જો પાંચ વર્ષમાં કામ કર્યા હોય તો વિનુ મોરડીયાએ આ પ્રકારની ગુંડાગીરી ન કરવી પડી હોત.





ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.