OPS પર ગોપાલ ઈટાલિયાનું સરકારને અલ્ટીમેટમ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-17 17:48:40

જૂની પેન્શન યોજના લાગુ કરવા સરકારી કર્મચારીઓ આંદોલન કરી રહ્યા છે તો બીજી તરફ રાજકીય પાર્ટીઓ પોતાની રાજનીતિ કરી રહી છે. ચાલતા આંદોલન વચ્ચે આમ આદમી પાર્ટીએ 15 દિવસમાં નિર્ણય લેવા સરકારને અલ્ટીમેટમ આપ્યું છે. જો 15 દિવસમાં સરકાર આ અંગે નિર્ણય નહીં કરે તો આગામી દિવસોમાં અરવિંદ કેજરીવાલ કર્મચારીઓ માટે મોટી જાહેરાત કરશે.

ભાજપ સરકારને સત્તાનો ઘમંડ-ગોપાલ ઈટાલીયા 

પ્રેસ કોન્ફરન્સ યોજી ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે છેલ્લા ઘણા સમયથી તમામ વર્ગના સરકારી કર્મચારીઓ પોતાની વિવિધ માંગણીઓને લઈને આંદોલન કરી રહ્યા છે, પરંતુ ૨૭ વર્ષથી સત્તામાં રહેલી ભ્રષ્ટ ભાજપ સત્તાના ઘમંડમાં સરકારી કર્મચારીઓનો અવાજ સાંભળી રહી નથી. તમામ કર્મચારીઓએ ગુજરાતના વિકાસમાં મહત્વપૂર્ણ ફાળો આપ્યો છે અને આ લોકસેવાના બદલામાં જૂની પેન્શન યોજનાની માગણી કરી રહ્યા છે.

 

 આપે સરકારને આપ્યું 15 દિવસનું અલ્ટીમેટમ

વધુમાં ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે મહાભ્રષ્ટ ભાજપ સરકાર આવનારા ૧૫ દિવસમાં કર્મચારીઓને લઈને કોઈ સચોટ નિર્ણય નહીં કરે, તો પંદરમાં દિવસે આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ સરકારી કર્મચારીઓને લઈને એક મોટી જાહેરાત કરશે. 




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.