OPS પર ગોપાલ ઈટાલિયાનું સરકારને અલ્ટીમેટમ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-17 17:48:40

જૂની પેન્શન યોજના લાગુ કરવા સરકારી કર્મચારીઓ આંદોલન કરી રહ્યા છે તો બીજી તરફ રાજકીય પાર્ટીઓ પોતાની રાજનીતિ કરી રહી છે. ચાલતા આંદોલન વચ્ચે આમ આદમી પાર્ટીએ 15 દિવસમાં નિર્ણય લેવા સરકારને અલ્ટીમેટમ આપ્યું છે. જો 15 દિવસમાં સરકાર આ અંગે નિર્ણય નહીં કરે તો આગામી દિવસોમાં અરવિંદ કેજરીવાલ કર્મચારીઓ માટે મોટી જાહેરાત કરશે.

ભાજપ સરકારને સત્તાનો ઘમંડ-ગોપાલ ઈટાલીયા 

પ્રેસ કોન્ફરન્સ યોજી ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે છેલ્લા ઘણા સમયથી તમામ વર્ગના સરકારી કર્મચારીઓ પોતાની વિવિધ માંગણીઓને લઈને આંદોલન કરી રહ્યા છે, પરંતુ ૨૭ વર્ષથી સત્તામાં રહેલી ભ્રષ્ટ ભાજપ સત્તાના ઘમંડમાં સરકારી કર્મચારીઓનો અવાજ સાંભળી રહી નથી. તમામ કર્મચારીઓએ ગુજરાતના વિકાસમાં મહત્વપૂર્ણ ફાળો આપ્યો છે અને આ લોકસેવાના બદલામાં જૂની પેન્શન યોજનાની માગણી કરી રહ્યા છે.

 

 આપે સરકારને આપ્યું 15 દિવસનું અલ્ટીમેટમ

વધુમાં ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે મહાભ્રષ્ટ ભાજપ સરકાર આવનારા ૧૫ દિવસમાં કર્મચારીઓને લઈને કોઈ સચોટ નિર્ણય નહીં કરે, તો પંદરમાં દિવસે આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ સરકારી કર્મચારીઓને લઈને એક મોટી જાહેરાત કરશે. 




થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .