OPS પર ગોપાલ ઈટાલિયાનું સરકારને અલ્ટીમેટમ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-17 17:48:40

જૂની પેન્શન યોજના લાગુ કરવા સરકારી કર્મચારીઓ આંદોલન કરી રહ્યા છે તો બીજી તરફ રાજકીય પાર્ટીઓ પોતાની રાજનીતિ કરી રહી છે. ચાલતા આંદોલન વચ્ચે આમ આદમી પાર્ટીએ 15 દિવસમાં નિર્ણય લેવા સરકારને અલ્ટીમેટમ આપ્યું છે. જો 15 દિવસમાં સરકાર આ અંગે નિર્ણય નહીં કરે તો આગામી દિવસોમાં અરવિંદ કેજરીવાલ કર્મચારીઓ માટે મોટી જાહેરાત કરશે.

ભાજપ સરકારને સત્તાનો ઘમંડ-ગોપાલ ઈટાલીયા 

પ્રેસ કોન્ફરન્સ યોજી ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે છેલ્લા ઘણા સમયથી તમામ વર્ગના સરકારી કર્મચારીઓ પોતાની વિવિધ માંગણીઓને લઈને આંદોલન કરી રહ્યા છે, પરંતુ ૨૭ વર્ષથી સત્તામાં રહેલી ભ્રષ્ટ ભાજપ સત્તાના ઘમંડમાં સરકારી કર્મચારીઓનો અવાજ સાંભળી રહી નથી. તમામ કર્મચારીઓએ ગુજરાતના વિકાસમાં મહત્વપૂર્ણ ફાળો આપ્યો છે અને આ લોકસેવાના બદલામાં જૂની પેન્શન યોજનાની માગણી કરી રહ્યા છે.

 

 આપે સરકારને આપ્યું 15 દિવસનું અલ્ટીમેટમ

વધુમાં ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે મહાભ્રષ્ટ ભાજપ સરકાર આવનારા ૧૫ દિવસમાં કર્મચારીઓને લઈને કોઈ સચોટ નિર્ણય નહીં કરે, તો પંદરમાં દિવસે આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ સરકારી કર્મચારીઓને લઈને એક મોટી જાહેરાત કરશે. 




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.