ગોપાલ ઈટાલિયાએ પોતાની દીકરીની તસ્વીરો શેર કરી, કેપ્શનમાં લખ્યું.....


  • Published By :
  • Published Date : 2022-11-14 13:01:33

ગુજરાતમાં આ વખતે ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે. ત્યારે આમ આદમી પાર્ટી પણ પૂરજોશમાં પ્રચાર કરી રહી છે. આપ વિવિધ પ્રકારથી પોતાનો પ્રચાર કરી રહી છે. ત્યારે ગોપાલ ઈટાલિયાએ ટ્વિટર પર પોતાની દિકરીની તસ્વીર શેર કરી છે જેમાં તેમની દિકરી આમ આદમી પાર્ટીનો પ્રચાર કરતી નજરે પડી રહી છે.

 

પુત્રીનો ફોટો શેર કરી કર્યો આપનો પ્રચાર  

કોંગ્રેસ, ભાજપ તેમજ આમ આદમી પાર્ટી પોતાના પ્રચાર પર વધારે ધ્યાન આપી રહી છે. ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે. આમ આદમી પાર્ટીનો પ્રચાર અરવિંદ કેજરીવાલ તેમજ ભગવંત માન કરી રહ્યા છે. ઉપરાંત ગોપાલ ઈટાલિયા તેમજ ઈસુદાન ગઢવી પણ આપનો પ્રચાર કરી રહ્યા છે. ત્યારે ગોપાલ ઈટાલિયાએ પોતાની દિકરીને બે તસ્વીર શેર કરી છે અને ગોપાલ ઈટાલિયાએ કેપ્શન આપ્યું છે.  

મારી સુપરસ્ટાર કેમ્પેનર - ગોપાલ ઈટાલિયા 

એક તસ્વીરમાં ગોપાલની દિકરી વૈદેહી આપની ટોપી પહેરેલી નજરે પડે છે જ્યારે બીજા ફોટામાં આમ આદમી પાર્ટીને મત આપવાની અપીલ કરે છે. કેપ્શનમાં ગોપાલ ઈટાલિયાએ લખ્યું કે મારી સુપરસ્ટાર કેમ્પેનર વૈદેહી તેના પિતા માટે પ્રચાર કરી રહી છે.    




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.