ગોપાલ ઈટાલિયાએ પોતાની દીકરીની તસ્વીરો શેર કરી, કેપ્શનમાં લખ્યું.....


  • Published By :
  • Published Date : 2022-11-14 13:01:33

ગુજરાતમાં આ વખતે ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે. ત્યારે આમ આદમી પાર્ટી પણ પૂરજોશમાં પ્રચાર કરી રહી છે. આપ વિવિધ પ્રકારથી પોતાનો પ્રચાર કરી રહી છે. ત્યારે ગોપાલ ઈટાલિયાએ ટ્વિટર પર પોતાની દિકરીની તસ્વીર શેર કરી છે જેમાં તેમની દિકરી આમ આદમી પાર્ટીનો પ્રચાર કરતી નજરે પડી રહી છે.

 

પુત્રીનો ફોટો શેર કરી કર્યો આપનો પ્રચાર  

કોંગ્રેસ, ભાજપ તેમજ આમ આદમી પાર્ટી પોતાના પ્રચાર પર વધારે ધ્યાન આપી રહી છે. ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે. આમ આદમી પાર્ટીનો પ્રચાર અરવિંદ કેજરીવાલ તેમજ ભગવંત માન કરી રહ્યા છે. ઉપરાંત ગોપાલ ઈટાલિયા તેમજ ઈસુદાન ગઢવી પણ આપનો પ્રચાર કરી રહ્યા છે. ત્યારે ગોપાલ ઈટાલિયાએ પોતાની દિકરીને બે તસ્વીર શેર કરી છે અને ગોપાલ ઈટાલિયાએ કેપ્શન આપ્યું છે.  

મારી સુપરસ્ટાર કેમ્પેનર - ગોપાલ ઈટાલિયા 

એક તસ્વીરમાં ગોપાલની દિકરી વૈદેહી આપની ટોપી પહેરેલી નજરે પડે છે જ્યારે બીજા ફોટામાં આમ આદમી પાર્ટીને મત આપવાની અપીલ કરે છે. કેપ્શનમાં ગોપાલ ઈટાલિયાએ લખ્યું કે મારી સુપરસ્ટાર કેમ્પેનર વૈદેહી તેના પિતા માટે પ્રચાર કરી રહી છે.    




સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"