પોસ્ટર લગાવી ગોપાલ ઈટાલિયાએ મતદારોનો માન્યો આભાર


  • Published By :
  • Published Date : 2022-12-10 11:40:39

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામ આવી ગયા છે. ભાજપે બહુમતી સાથે ઐતિહાસિક જીત હાંસલ કરી છે. કોંગ્રેસે બહુ ઓછી સીટો જીતી છે. પરંતુ આમ આદમી પાર્ટીએ ગુજરાતના રાજકારણમાં એન્ટ્રી કરી લીધી છે. આમ આદમી પાર્ટીએ પાંચ સીટો જીતી છે. આપના મજબૂત ગણાતા ચહેરાઓ હારી ગયા છે. જેમાં ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા, અલ્પેશ કથીરિયા જેવા ઉમેદવારોનો સમાવેશ થાય છે.

 

લોકોએ આપેલા જનાદેશને હું શીરોમાન્ય રાખું છં - ઈટાલિયા 

ગોપાલ ઈટાલિયાએ કતારગામમાં પોસ્ટરો લગાવ્યા છે. જેમાં વિધાનસભા ચૂંટણીમાં 55713 મતો આપવા બદલ જનતાનો આભાર માન્યો હતો. વધુમાં તેમણે લખ્યું કે હું મારા જીવનની પ્રથમ ચૂંટણી પુરા દમ અને જુસ્સો સાથે લડ્યો. આ ચૂંટણીમાં મને સાથ આપનાર તમામ લોકોનો આભાર માનું છું. લોકોએ આપેલા જનાદેશને હું શીરોમાન્ય રાખું છું.

મતદારોનો આભાર માનતા પોસ્ટરો લગાવાયા 

ગુજરાતમાં આ વખતે ત્રિ-પાંખીયો જંગ જામ્યો હતો. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો. આ વખતની ચૂંટણીમાં પણ ભાજપનો વિજય થયો છે. 156 સીટો જીતી ભાજપે રેકોર્ડ બનાવ્યો છે. ત્યારે પ્રથમ વખત ચૂંટણી લડી રહેલી આમ આદમી પાર્ટીએ પણ અનેક સીટો પોતાના કબજો કર્યો છે. ત્યારે કતારગામથી લડી રહેલા ગોપાલ ઈટાલિયાએ તેમને મત આપવા બદલ જનતાનો આભાર માન્યો હતો. અને ઠેર-ઠેર ગોપાલ ઈટાલિયાએ આપના કાર્યકરો સાથે મળી કતારગામની જનતાનો આભાર માનતા પોસ્ટરો લગાવ્યા છે. 




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે