પોસ્ટર લગાવી ગોપાલ ઈટાલિયાએ મતદારોનો માન્યો આભાર


  • Published By :
  • Published Date : 2022-12-10 11:40:39

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામ આવી ગયા છે. ભાજપે બહુમતી સાથે ઐતિહાસિક જીત હાંસલ કરી છે. કોંગ્રેસે બહુ ઓછી સીટો જીતી છે. પરંતુ આમ આદમી પાર્ટીએ ગુજરાતના રાજકારણમાં એન્ટ્રી કરી લીધી છે. આમ આદમી પાર્ટીએ પાંચ સીટો જીતી છે. આપના મજબૂત ગણાતા ચહેરાઓ હારી ગયા છે. જેમાં ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા, અલ્પેશ કથીરિયા જેવા ઉમેદવારોનો સમાવેશ થાય છે.

 

લોકોએ આપેલા જનાદેશને હું શીરોમાન્ય રાખું છં - ઈટાલિયા 

ગોપાલ ઈટાલિયાએ કતારગામમાં પોસ્ટરો લગાવ્યા છે. જેમાં વિધાનસભા ચૂંટણીમાં 55713 મતો આપવા બદલ જનતાનો આભાર માન્યો હતો. વધુમાં તેમણે લખ્યું કે હું મારા જીવનની પ્રથમ ચૂંટણી પુરા દમ અને જુસ્સો સાથે લડ્યો. આ ચૂંટણીમાં મને સાથ આપનાર તમામ લોકોનો આભાર માનું છું. લોકોએ આપેલા જનાદેશને હું શીરોમાન્ય રાખું છું.

મતદારોનો આભાર માનતા પોસ્ટરો લગાવાયા 

ગુજરાતમાં આ વખતે ત્રિ-પાંખીયો જંગ જામ્યો હતો. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો. આ વખતની ચૂંટણીમાં પણ ભાજપનો વિજય થયો છે. 156 સીટો જીતી ભાજપે રેકોર્ડ બનાવ્યો છે. ત્યારે પ્રથમ વખત ચૂંટણી લડી રહેલી આમ આદમી પાર્ટીએ પણ અનેક સીટો પોતાના કબજો કર્યો છે. ત્યારે કતારગામથી લડી રહેલા ગોપાલ ઈટાલિયાએ તેમને મત આપવા બદલ જનતાનો આભાર માન્યો હતો. અને ઠેર-ઠેર ગોપાલ ઈટાલિયાએ આપના કાર્યકરો સાથે મળી કતારગામની જનતાનો આભાર માનતા પોસ્ટરો લગાવ્યા છે. 




પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.