પોસ્ટર લગાવી ગોપાલ ઈટાલિયાએ મતદારોનો માન્યો આભાર


  • Published By :
  • Published Date : 2022-12-10 11:40:39

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામ આવી ગયા છે. ભાજપે બહુમતી સાથે ઐતિહાસિક જીત હાંસલ કરી છે. કોંગ્રેસે બહુ ઓછી સીટો જીતી છે. પરંતુ આમ આદમી પાર્ટીએ ગુજરાતના રાજકારણમાં એન્ટ્રી કરી લીધી છે. આમ આદમી પાર્ટીએ પાંચ સીટો જીતી છે. આપના મજબૂત ગણાતા ચહેરાઓ હારી ગયા છે. જેમાં ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા, અલ્પેશ કથીરિયા જેવા ઉમેદવારોનો સમાવેશ થાય છે.

 

લોકોએ આપેલા જનાદેશને હું શીરોમાન્ય રાખું છં - ઈટાલિયા 

ગોપાલ ઈટાલિયાએ કતારગામમાં પોસ્ટરો લગાવ્યા છે. જેમાં વિધાનસભા ચૂંટણીમાં 55713 મતો આપવા બદલ જનતાનો આભાર માન્યો હતો. વધુમાં તેમણે લખ્યું કે હું મારા જીવનની પ્રથમ ચૂંટણી પુરા દમ અને જુસ્સો સાથે લડ્યો. આ ચૂંટણીમાં મને સાથ આપનાર તમામ લોકોનો આભાર માનું છું. લોકોએ આપેલા જનાદેશને હું શીરોમાન્ય રાખું છું.

મતદારોનો આભાર માનતા પોસ્ટરો લગાવાયા 

ગુજરાતમાં આ વખતે ત્રિ-પાંખીયો જંગ જામ્યો હતો. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો. આ વખતની ચૂંટણીમાં પણ ભાજપનો વિજય થયો છે. 156 સીટો જીતી ભાજપે રેકોર્ડ બનાવ્યો છે. ત્યારે પ્રથમ વખત ચૂંટણી લડી રહેલી આમ આદમી પાર્ટીએ પણ અનેક સીટો પોતાના કબજો કર્યો છે. ત્યારે કતારગામથી લડી રહેલા ગોપાલ ઈટાલિયાએ તેમને મત આપવા બદલ જનતાનો આભાર માન્યો હતો. અને ઠેર-ઠેર ગોપાલ ઈટાલિયાએ આપના કાર્યકરો સાથે મળી કતારગામની જનતાનો આભાર માનતા પોસ્ટરો લગાવ્યા છે. 




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.