પોસ્ટર લગાવી ગોપાલ ઈટાલિયાએ મતદારોનો માન્યો આભાર


  • Published By :
  • Published Date : 2022-12-10 11:40:39

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામ આવી ગયા છે. ભાજપે બહુમતી સાથે ઐતિહાસિક જીત હાંસલ કરી છે. કોંગ્રેસે બહુ ઓછી સીટો જીતી છે. પરંતુ આમ આદમી પાર્ટીએ ગુજરાતના રાજકારણમાં એન્ટ્રી કરી લીધી છે. આમ આદમી પાર્ટીએ પાંચ સીટો જીતી છે. આપના મજબૂત ગણાતા ચહેરાઓ હારી ગયા છે. જેમાં ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા, અલ્પેશ કથીરિયા જેવા ઉમેદવારોનો સમાવેશ થાય છે.

 

લોકોએ આપેલા જનાદેશને હું શીરોમાન્ય રાખું છં - ઈટાલિયા 

ગોપાલ ઈટાલિયાએ કતારગામમાં પોસ્ટરો લગાવ્યા છે. જેમાં વિધાનસભા ચૂંટણીમાં 55713 મતો આપવા બદલ જનતાનો આભાર માન્યો હતો. વધુમાં તેમણે લખ્યું કે હું મારા જીવનની પ્રથમ ચૂંટણી પુરા દમ અને જુસ્સો સાથે લડ્યો. આ ચૂંટણીમાં મને સાથ આપનાર તમામ લોકોનો આભાર માનું છું. લોકોએ આપેલા જનાદેશને હું શીરોમાન્ય રાખું છું.

મતદારોનો આભાર માનતા પોસ્ટરો લગાવાયા 

ગુજરાતમાં આ વખતે ત્રિ-પાંખીયો જંગ જામ્યો હતો. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો. આ વખતની ચૂંટણીમાં પણ ભાજપનો વિજય થયો છે. 156 સીટો જીતી ભાજપે રેકોર્ડ બનાવ્યો છે. ત્યારે પ્રથમ વખત ચૂંટણી લડી રહેલી આમ આદમી પાર્ટીએ પણ અનેક સીટો પોતાના કબજો કર્યો છે. ત્યારે કતારગામથી લડી રહેલા ગોપાલ ઈટાલિયાએ તેમને મત આપવા બદલ જનતાનો આભાર માન્યો હતો. અને ઠેર-ઠેર ગોપાલ ઈટાલિયાએ આપના કાર્યકરો સાથે મળી કતારગામની જનતાનો આભાર માનતા પોસ્ટરો લગાવ્યા છે. 




ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી