ગોરધનભાઈ ભાજપમાં છે એટલે સેફ છેઃ ઈસુદાન


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-11 16:00:36

ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે માત્ર ગણતરીનો સમય બાકી રહ્યો છે. ગુજરાતમાં પોતાની પાર્ટી મજબૂત બને તે માટે દરેક પાર્ટી પ્રચાર કરવામાં લાગી ગઈ છે. પ્રચાર દરમિયાન દરેક પાર્ટી બીજી પાર્ટી પર આરોપો લગાવતી હોય છે. ચૂંટણી નજીક આવતા આરોપ-પ્રતિઆરોપની રાજનીતિ શરૂ થઈ ગઈ છે. આપ અને ભાજપ વચ્ચે ઘણા સમયથી વાક યુદ્ધ ચાલી રહ્યું છે. ત્યારે હાલ ગોપાલ ઈટાલીયાનો જૂનો વિડીયો વાયરલ થયો છે જેમાં તેઓ વડાપ્રધાન મોદી માટે અપશબ્દ વાપર્યો હતો. જેને કારણે ફરી એક વખત ભાજપ અને આપ વચ્ચે વિવાદ સર્જાયો છે.

  

ઈસુદાન ગઢવીએ ગોરધનભાઈ પર કર્યા પ્રહાર

ભાજપ દ્વારા આ અંગે પત્રકાર પરિષદ કરવામાં આવી હતી. જેમાં ભાજપે આપના કાર્યકરોને ચેતવણી આપવામાં આવી હતી. ઈસુદાન ગઢવીએ ગોરધન ઝડફિયા પર પ્રહાર કર્યા હતા. ગોપાલ ઈટાલીયાએ ટ્વીટ કરતા કહ્યું કે ગોરધનભાઈ ભાજપમાં ના હોત તો આજે એમને પણ મહિલા આયોગની નોટિસ આવત કે પીએમ વિરુદ્ધ આવું બોલો છો? અને ભાજપના પાટીદાર નેતા એમની વિરુદ્ધ પ્રેસ કરીને કહેત કે આ ભાષા પીએમ વિરૂદ્ધ યોગ્ય નથી. હવે એ ભાજપના ખેમામાં છે એટલે સેફ છે.       




સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"