ગોરધનભાઈ ભાજપમાં છે એટલે સેફ છેઃ ઈસુદાન


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-11 16:00:36

ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે માત્ર ગણતરીનો સમય બાકી રહ્યો છે. ગુજરાતમાં પોતાની પાર્ટી મજબૂત બને તે માટે દરેક પાર્ટી પ્રચાર કરવામાં લાગી ગઈ છે. પ્રચાર દરમિયાન દરેક પાર્ટી બીજી પાર્ટી પર આરોપો લગાવતી હોય છે. ચૂંટણી નજીક આવતા આરોપ-પ્રતિઆરોપની રાજનીતિ શરૂ થઈ ગઈ છે. આપ અને ભાજપ વચ્ચે ઘણા સમયથી વાક યુદ્ધ ચાલી રહ્યું છે. ત્યારે હાલ ગોપાલ ઈટાલીયાનો જૂનો વિડીયો વાયરલ થયો છે જેમાં તેઓ વડાપ્રધાન મોદી માટે અપશબ્દ વાપર્યો હતો. જેને કારણે ફરી એક વખત ભાજપ અને આપ વચ્ચે વિવાદ સર્જાયો છે.

  

ઈસુદાન ગઢવીએ ગોરધનભાઈ પર કર્યા પ્રહાર

ભાજપ દ્વારા આ અંગે પત્રકાર પરિષદ કરવામાં આવી હતી. જેમાં ભાજપે આપના કાર્યકરોને ચેતવણી આપવામાં આવી હતી. ઈસુદાન ગઢવીએ ગોરધન ઝડફિયા પર પ્રહાર કર્યા હતા. ગોપાલ ઈટાલીયાએ ટ્વીટ કરતા કહ્યું કે ગોરધનભાઈ ભાજપમાં ના હોત તો આજે એમને પણ મહિલા આયોગની નોટિસ આવત કે પીએમ વિરુદ્ધ આવું બોલો છો? અને ભાજપના પાટીદાર નેતા એમની વિરુદ્ધ પ્રેસ કરીને કહેત કે આ ભાષા પીએમ વિરૂદ્ધ યોગ્ય નથી. હવે એ ભાજપના ખેમામાં છે એટલે સેફ છે.       




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.