ગોરધનભાઈ ભાજપમાં છે એટલે સેફ છેઃ ઈસુદાન


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-11 16:00:36

ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે માત્ર ગણતરીનો સમય બાકી રહ્યો છે. ગુજરાતમાં પોતાની પાર્ટી મજબૂત બને તે માટે દરેક પાર્ટી પ્રચાર કરવામાં લાગી ગઈ છે. પ્રચાર દરમિયાન દરેક પાર્ટી બીજી પાર્ટી પર આરોપો લગાવતી હોય છે. ચૂંટણી નજીક આવતા આરોપ-પ્રતિઆરોપની રાજનીતિ શરૂ થઈ ગઈ છે. આપ અને ભાજપ વચ્ચે ઘણા સમયથી વાક યુદ્ધ ચાલી રહ્યું છે. ત્યારે હાલ ગોપાલ ઈટાલીયાનો જૂનો વિડીયો વાયરલ થયો છે જેમાં તેઓ વડાપ્રધાન મોદી માટે અપશબ્દ વાપર્યો હતો. જેને કારણે ફરી એક વખત ભાજપ અને આપ વચ્ચે વિવાદ સર્જાયો છે.

  

ઈસુદાન ગઢવીએ ગોરધનભાઈ પર કર્યા પ્રહાર

ભાજપ દ્વારા આ અંગે પત્રકાર પરિષદ કરવામાં આવી હતી. જેમાં ભાજપે આપના કાર્યકરોને ચેતવણી આપવામાં આવી હતી. ઈસુદાન ગઢવીએ ગોરધન ઝડફિયા પર પ્રહાર કર્યા હતા. ગોપાલ ઈટાલીયાએ ટ્વીટ કરતા કહ્યું કે ગોરધનભાઈ ભાજપમાં ના હોત તો આજે એમને પણ મહિલા આયોગની નોટિસ આવત કે પીએમ વિરુદ્ધ આવું બોલો છો? અને ભાજપના પાટીદાર નેતા એમની વિરુદ્ધ પ્રેસ કરીને કહેત કે આ ભાષા પીએમ વિરૂદ્ધ યોગ્ય નથી. હવે એ ભાજપના ખેમામાં છે એટલે સેફ છે.       




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે