ગોરધનભાઈ ભાજપમાં છે એટલે સેફ છેઃ ઈસુદાન


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-11 16:00:36

ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે માત્ર ગણતરીનો સમય બાકી રહ્યો છે. ગુજરાતમાં પોતાની પાર્ટી મજબૂત બને તે માટે દરેક પાર્ટી પ્રચાર કરવામાં લાગી ગઈ છે. પ્રચાર દરમિયાન દરેક પાર્ટી બીજી પાર્ટી પર આરોપો લગાવતી હોય છે. ચૂંટણી નજીક આવતા આરોપ-પ્રતિઆરોપની રાજનીતિ શરૂ થઈ ગઈ છે. આપ અને ભાજપ વચ્ચે ઘણા સમયથી વાક યુદ્ધ ચાલી રહ્યું છે. ત્યારે હાલ ગોપાલ ઈટાલીયાનો જૂનો વિડીયો વાયરલ થયો છે જેમાં તેઓ વડાપ્રધાન મોદી માટે અપશબ્દ વાપર્યો હતો. જેને કારણે ફરી એક વખત ભાજપ અને આપ વચ્ચે વિવાદ સર્જાયો છે.

  

ઈસુદાન ગઢવીએ ગોરધનભાઈ પર કર્યા પ્રહાર

ભાજપ દ્વારા આ અંગે પત્રકાર પરિષદ કરવામાં આવી હતી. જેમાં ભાજપે આપના કાર્યકરોને ચેતવણી આપવામાં આવી હતી. ઈસુદાન ગઢવીએ ગોરધન ઝડફિયા પર પ્રહાર કર્યા હતા. ગોપાલ ઈટાલીયાએ ટ્વીટ કરતા કહ્યું કે ગોરધનભાઈ ભાજપમાં ના હોત તો આજે એમને પણ મહિલા આયોગની નોટિસ આવત કે પીએમ વિરુદ્ધ આવું બોલો છો? અને ભાજપના પાટીદાર નેતા એમની વિરુદ્ધ પ્રેસ કરીને કહેત કે આ ભાષા પીએમ વિરૂદ્ધ યોગ્ય નથી. હવે એ ભાજપના ખેમામાં છે એટલે સેફ છે.       




થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .