નેતા નહીં, મુદ્દા મોટા છે... કર્મચારીઓનું એલાન "આંદોલન નહીં સમેટાઈ"


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-17 16:25:28

મુદ્દાઓ કરતા આગેવાનો મોટા નથી. એવો આડકતરો સંદેશ કર્મચારીઓએ આપ્યો, એકબાજુ આગેવાનોએ મંત્રીઓ સાથે બેસીને પત્રકાર પરિષદ કરી, કર્મચારીઓએ બહાર ગીતો ગાયા.


'આજ દિવાળી, કાલ દિવાળી...ભાજપ તારી છેલ્લી દિવાળી'

આ ગીતો ગાતા લોકો સરકારી કર્મચારીઓ છે જે છેલ્લા કેટલાય સમયથી જૂની પેન્શન સ્કીમ ગુજરાતમાં લાગુ કરવા માટે વિરોધ કરી રહ્યા છે, પણ માત્ર સરકારી કર્મચારીઓ જ નહીં ગાંધીનગર ઘેરવામાં તો અનેક લોકો સામેલ છે.


આંદોલનોનું પાટનગર એટલે ગાંધીનગર

ગાંધીનગર હવે રાજ્યના પાટનગર સાથે આંદોલનનું કેન્દ્રબિંદુ છે, ચારેય બાજુથી અસંતુષ્ટોની ભીડ છે, દરરોજ સચિવાલય અને વિધાનસભા ઘેરાવની ધમકીઓ મળે છે, રેપીડ એક્શન ફોર્સ તૈનાત કરાઈ છે, ક્યારેક આરોગ્ય કર્મચારીઓ, ક્યારેક કોન્ટ્રાક્ટ કર્મચારીઓ, ક્યારેક બેરોજગારો, છેલ્લા 22 દિવસથી ખેડૂતો, રિટાયર્ડ આર્મીના જવાનો બધા જ સરકારની સામે મીટ માંડીને બેઠા છે કે એમના મુદ્દાને ગંભીરતાથી લેવામાં આવે


કરગરે ત્યારે જ આપવું એ સરકારની આદત છે

સરકારોને આ આદત હોય છે કે જ્યાં સુધી મોટા આંદોલનો ના થાય, પગ નીચે રેલો ના આવે ત્યાં સુધી ઉફ્ફ પણ નથી કરતા, આ વખતે પણ સરકારનું એવું જ વર્તન છે, પણ આ વખતે ઘેરો ચારેયબાજુથી છે.



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .