નેતા નહીં, મુદ્દા મોટા છે... કર્મચારીઓનું એલાન "આંદોલન નહીં સમેટાઈ"


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-17 16:25:28

મુદ્દાઓ કરતા આગેવાનો મોટા નથી. એવો આડકતરો સંદેશ કર્મચારીઓએ આપ્યો, એકબાજુ આગેવાનોએ મંત્રીઓ સાથે બેસીને પત્રકાર પરિષદ કરી, કર્મચારીઓએ બહાર ગીતો ગાયા.


'આજ દિવાળી, કાલ દિવાળી...ભાજપ તારી છેલ્લી દિવાળી'

આ ગીતો ગાતા લોકો સરકારી કર્મચારીઓ છે જે છેલ્લા કેટલાય સમયથી જૂની પેન્શન સ્કીમ ગુજરાતમાં લાગુ કરવા માટે વિરોધ કરી રહ્યા છે, પણ માત્ર સરકારી કર્મચારીઓ જ નહીં ગાંધીનગર ઘેરવામાં તો અનેક લોકો સામેલ છે.


આંદોલનોનું પાટનગર એટલે ગાંધીનગર

ગાંધીનગર હવે રાજ્યના પાટનગર સાથે આંદોલનનું કેન્દ્રબિંદુ છે, ચારેય બાજુથી અસંતુષ્ટોની ભીડ છે, દરરોજ સચિવાલય અને વિધાનસભા ઘેરાવની ધમકીઓ મળે છે, રેપીડ એક્શન ફોર્સ તૈનાત કરાઈ છે, ક્યારેક આરોગ્ય કર્મચારીઓ, ક્યારેક કોન્ટ્રાક્ટ કર્મચારીઓ, ક્યારેક બેરોજગારો, છેલ્લા 22 દિવસથી ખેડૂતો, રિટાયર્ડ આર્મીના જવાનો બધા જ સરકારની સામે મીટ માંડીને બેઠા છે કે એમના મુદ્દાને ગંભીરતાથી લેવામાં આવે


કરગરે ત્યારે જ આપવું એ સરકારની આદત છે

સરકારોને આ આદત હોય છે કે જ્યાં સુધી મોટા આંદોલનો ના થાય, પગ નીચે રેલો ના આવે ત્યાં સુધી ઉફ્ફ પણ નથી કરતા, આ વખતે પણ સરકારનું એવું જ વર્તન છે, પણ આ વખતે ઘેરો ચારેયબાજુથી છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.