નેતા નહીં, મુદ્દા મોટા છે... કર્મચારીઓનું એલાન "આંદોલન નહીં સમેટાઈ"


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-17 16:25:28

મુદ્દાઓ કરતા આગેવાનો મોટા નથી. એવો આડકતરો સંદેશ કર્મચારીઓએ આપ્યો, એકબાજુ આગેવાનોએ મંત્રીઓ સાથે બેસીને પત્રકાર પરિષદ કરી, કર્મચારીઓએ બહાર ગીતો ગાયા.


'આજ દિવાળી, કાલ દિવાળી...ભાજપ તારી છેલ્લી દિવાળી'

આ ગીતો ગાતા લોકો સરકારી કર્મચારીઓ છે જે છેલ્લા કેટલાય સમયથી જૂની પેન્શન સ્કીમ ગુજરાતમાં લાગુ કરવા માટે વિરોધ કરી રહ્યા છે, પણ માત્ર સરકારી કર્મચારીઓ જ નહીં ગાંધીનગર ઘેરવામાં તો અનેક લોકો સામેલ છે.


આંદોલનોનું પાટનગર એટલે ગાંધીનગર

ગાંધીનગર હવે રાજ્યના પાટનગર સાથે આંદોલનનું કેન્દ્રબિંદુ છે, ચારેય બાજુથી અસંતુષ્ટોની ભીડ છે, દરરોજ સચિવાલય અને વિધાનસભા ઘેરાવની ધમકીઓ મળે છે, રેપીડ એક્શન ફોર્સ તૈનાત કરાઈ છે, ક્યારેક આરોગ્ય કર્મચારીઓ, ક્યારેક કોન્ટ્રાક્ટ કર્મચારીઓ, ક્યારેક બેરોજગારો, છેલ્લા 22 દિવસથી ખેડૂતો, રિટાયર્ડ આર્મીના જવાનો બધા જ સરકારની સામે મીટ માંડીને બેઠા છે કે એમના મુદ્દાને ગંભીરતાથી લેવામાં આવે


કરગરે ત્યારે જ આપવું એ સરકારની આદત છે

સરકારોને આ આદત હોય છે કે જ્યાં સુધી મોટા આંદોલનો ના થાય, પગ નીચે રેલો ના આવે ત્યાં સુધી ઉફ્ફ પણ નથી કરતા, આ વખતે પણ સરકારનું એવું જ વર્તન છે, પણ આ વખતે ઘેરો ચારેયબાજુથી છે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.