જૈન સમાજની સમસ્યાનો ઉકેલ લાવવા સરકારનો નિર્ણય, ટાસ્ક ફોર્સની રચના કરી


  • Published By :
  • Published Date : 2023-01-08 13:53:38

જૈન સમાજ દ્વારા પાલિતાણા મુદ્દે વિરોધ કરવામાં આવ્યો હતો. પાલિતાણા જૈન સમાજના આસ્થાનું કેન્દ્ર છે. દેરાસર સહિતના અનેક કારણોને લઈ જૈન સમાજ આંદોલન પર ઉતરી આવ્યું હતું.  ત્યારે વધતા વિવાદને જોતા સરકારે આ મુદ્દાને લઈ ટાસ્ક ફોર્સની રચના કરવાની જાહેરાત કરી હતી. આ જાહેરાત બાદ સરકારે મેમ્બર્સની પણ જાહેરાત કરી દીધી છે. આ ફોર્સમાં રેન્જ આઈજી જિલ્લાના પોલીસ અધિક્ષક,નાયબ વન સંરક્ષકોનો સમાવેશ થાય છે ઉપરાંત આ ફોર્સની અધ્યક્ષતા જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ કરશે. 


જૈન સમાજ દ્વારા કરવામાં આવી હતી આક્રોશ રેલી

થોડા સમય પહેલા અસામાજીક તત્વો દ્વારા પાલિતાણામાં તોડફોડ કરવાામાં આવી હતી. શત્રુંજય પર્વતને લઈ વિવાદ છેડાયો હતો. આ મુદ્દાને લઈ જૈન સમાજ રસ્તા પર ઉતરી આવ્યું હતું અને વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધું હતું. અનેક શહેરોમાં જૈન સમાજનો ભારે આક્રોશ જોવા મળ્યો હતો. અનેક સ્થળો પર જૈન સમાજ દ્વારા રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.


સરકારે સ્પેશિયલ ટાસ્ક ફોર્સમાં સામેલ અધિકારીઓની જાહેરાત કરી 

વધતા વિવાદને કારણે રાજ્ય સરકારે ટાસ્ક ફોર્સ રચવાની જાહેરાત કરી જેમાં 8 સભ્યોનો સમાવેશ થાય છે. ટાસ્ક ફોર્સની જાહેરાત કર્યા બાદ સરકારે સભ્યોના નામની જાહેરાત પણ કરી દીધી છે. જે અંતર્ગત જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ આ ફોર્સની અધ્યક્ષતા કરશે ઉપરાંત રેન્જ આઈજી જિલ્લાના પોલીસ અધિક્ષક, નાયબ વન સંરક્ષકો અને ભૂ-સ્તર શાસ્ત્રીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉચ્ચ સ્તરીય ટાસ્ક ફોર્સમાં જમીન દફ્તર નિરીક્ષક, પાલીતાણા ચિફ ઓફિસરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ઉપરાંત સભ્ય સચિવ તરીકે પાલીતાણાના સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટને નિયુક્ત કરવામાં આવ્યા છે. 


જૈન સમાજની અનેક માગનો કર્યો છે સ્વીકાર

આ સિવાય આ મુદ્દે સરકાર દ્વારા શત્રુંજય પર્વત પર પોલીસ ચોકી બનાવવાનો નિર્ણય કરી દેવામાં આવ્યો છે. ઉપરાંત જૈન સમાજની વધુ એક માગ કેન્દ્ર સરકાર દ્વારા સ્વીકારવામાં આવી છે. ઉપરાંત સમેત શિખર  માટે લેવાયેલા નિર્ણયને પરત લઈ લેવામાં આવ્યો છે. જૈન સમાજની માગણીઓ સરકાર દ્વારા સ્વીકારવામાં આવી ગઈ છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.