જૈન સમાજની સમસ્યાનો ઉકેલ લાવવા સરકારનો નિર્ણય, ટાસ્ક ફોર્સની રચના કરી


  • Published By :
  • Published Date : 2023-01-08 13:53:38

જૈન સમાજ દ્વારા પાલિતાણા મુદ્દે વિરોધ કરવામાં આવ્યો હતો. પાલિતાણા જૈન સમાજના આસ્થાનું કેન્દ્ર છે. દેરાસર સહિતના અનેક કારણોને લઈ જૈન સમાજ આંદોલન પર ઉતરી આવ્યું હતું.  ત્યારે વધતા વિવાદને જોતા સરકારે આ મુદ્દાને લઈ ટાસ્ક ફોર્સની રચના કરવાની જાહેરાત કરી હતી. આ જાહેરાત બાદ સરકારે મેમ્બર્સની પણ જાહેરાત કરી દીધી છે. આ ફોર્સમાં રેન્જ આઈજી જિલ્લાના પોલીસ અધિક્ષક,નાયબ વન સંરક્ષકોનો સમાવેશ થાય છે ઉપરાંત આ ફોર્સની અધ્યક્ષતા જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ કરશે. 


જૈન સમાજ દ્વારા કરવામાં આવી હતી આક્રોશ રેલી

થોડા સમય પહેલા અસામાજીક તત્વો દ્વારા પાલિતાણામાં તોડફોડ કરવાામાં આવી હતી. શત્રુંજય પર્વતને લઈ વિવાદ છેડાયો હતો. આ મુદ્દાને લઈ જૈન સમાજ રસ્તા પર ઉતરી આવ્યું હતું અને વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધું હતું. અનેક શહેરોમાં જૈન સમાજનો ભારે આક્રોશ જોવા મળ્યો હતો. અનેક સ્થળો પર જૈન સમાજ દ્વારા રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.


સરકારે સ્પેશિયલ ટાસ્ક ફોર્સમાં સામેલ અધિકારીઓની જાહેરાત કરી 

વધતા વિવાદને કારણે રાજ્ય સરકારે ટાસ્ક ફોર્સ રચવાની જાહેરાત કરી જેમાં 8 સભ્યોનો સમાવેશ થાય છે. ટાસ્ક ફોર્સની જાહેરાત કર્યા બાદ સરકારે સભ્યોના નામની જાહેરાત પણ કરી દીધી છે. જે અંતર્ગત જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ આ ફોર્સની અધ્યક્ષતા કરશે ઉપરાંત રેન્જ આઈજી જિલ્લાના પોલીસ અધિક્ષક, નાયબ વન સંરક્ષકો અને ભૂ-સ્તર શાસ્ત્રીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉચ્ચ સ્તરીય ટાસ્ક ફોર્સમાં જમીન દફ્તર નિરીક્ષક, પાલીતાણા ચિફ ઓફિસરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ઉપરાંત સભ્ય સચિવ તરીકે પાલીતાણાના સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટને નિયુક્ત કરવામાં આવ્યા છે. 


જૈન સમાજની અનેક માગનો કર્યો છે સ્વીકાર

આ સિવાય આ મુદ્દે સરકાર દ્વારા શત્રુંજય પર્વત પર પોલીસ ચોકી બનાવવાનો નિર્ણય કરી દેવામાં આવ્યો છે. ઉપરાંત જૈન સમાજની વધુ એક માગ કેન્દ્ર સરકાર દ્વારા સ્વીકારવામાં આવી છે. ઉપરાંત સમેત શિખર  માટે લેવાયેલા નિર્ણયને પરત લઈ લેવામાં આવ્યો છે. જૈન સમાજની માગણીઓ સરકાર દ્વારા સ્વીકારવામાં આવી ગઈ છે. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.