જૈન સમાજની સમસ્યાનો ઉકેલ લાવવા સરકારનો નિર્ણય, ટાસ્ક ફોર્સની રચના કરી


  • Published By :
  • Published Date : 2023-01-08 13:53:38

જૈન સમાજ દ્વારા પાલિતાણા મુદ્દે વિરોધ કરવામાં આવ્યો હતો. પાલિતાણા જૈન સમાજના આસ્થાનું કેન્દ્ર છે. દેરાસર સહિતના અનેક કારણોને લઈ જૈન સમાજ આંદોલન પર ઉતરી આવ્યું હતું.  ત્યારે વધતા વિવાદને જોતા સરકારે આ મુદ્દાને લઈ ટાસ્ક ફોર્સની રચના કરવાની જાહેરાત કરી હતી. આ જાહેરાત બાદ સરકારે મેમ્બર્સની પણ જાહેરાત કરી દીધી છે. આ ફોર્સમાં રેન્જ આઈજી જિલ્લાના પોલીસ અધિક્ષક,નાયબ વન સંરક્ષકોનો સમાવેશ થાય છે ઉપરાંત આ ફોર્સની અધ્યક્ષતા જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ કરશે. 


જૈન સમાજ દ્વારા કરવામાં આવી હતી આક્રોશ રેલી

થોડા સમય પહેલા અસામાજીક તત્વો દ્વારા પાલિતાણામાં તોડફોડ કરવાામાં આવી હતી. શત્રુંજય પર્વતને લઈ વિવાદ છેડાયો હતો. આ મુદ્દાને લઈ જૈન સમાજ રસ્તા પર ઉતરી આવ્યું હતું અને વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધું હતું. અનેક શહેરોમાં જૈન સમાજનો ભારે આક્રોશ જોવા મળ્યો હતો. અનેક સ્થળો પર જૈન સમાજ દ્વારા રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.


સરકારે સ્પેશિયલ ટાસ્ક ફોર્સમાં સામેલ અધિકારીઓની જાહેરાત કરી 

વધતા વિવાદને કારણે રાજ્ય સરકારે ટાસ્ક ફોર્સ રચવાની જાહેરાત કરી જેમાં 8 સભ્યોનો સમાવેશ થાય છે. ટાસ્ક ફોર્સની જાહેરાત કર્યા બાદ સરકારે સભ્યોના નામની જાહેરાત પણ કરી દીધી છે. જે અંતર્ગત જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ આ ફોર્સની અધ્યક્ષતા કરશે ઉપરાંત રેન્જ આઈજી જિલ્લાના પોલીસ અધિક્ષક, નાયબ વન સંરક્ષકો અને ભૂ-સ્તર શાસ્ત્રીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉચ્ચ સ્તરીય ટાસ્ક ફોર્સમાં જમીન દફ્તર નિરીક્ષક, પાલીતાણા ચિફ ઓફિસરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ઉપરાંત સભ્ય સચિવ તરીકે પાલીતાણાના સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટને નિયુક્ત કરવામાં આવ્યા છે. 


જૈન સમાજની અનેક માગનો કર્યો છે સ્વીકાર

આ સિવાય આ મુદ્દે સરકાર દ્વારા શત્રુંજય પર્વત પર પોલીસ ચોકી બનાવવાનો નિર્ણય કરી દેવામાં આવ્યો છે. ઉપરાંત જૈન સમાજની વધુ એક માગ કેન્દ્ર સરકાર દ્વારા સ્વીકારવામાં આવી છે. ઉપરાંત સમેત શિખર  માટે લેવાયેલા નિર્ણયને પરત લઈ લેવામાં આવ્યો છે. જૈન સમાજની માગણીઓ સરકાર દ્વારા સ્વીકારવામાં આવી ગઈ છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.