જૂની પેન્શન યોજના લાગુ કરવા Gujaratના સરકારી કર્મચારીઓએ સરકારને આપ્યું આ તારીખ સુધીનું અલ્ટીમેટમ, જો યોજના લાગુ નહીં થાય તો.....


  • Published By :
  • Published Date : 2024-02-26 15:30:52

સરકારી કર્મચારીઓએ ચૂંટણી પહેલા સરકાર સામે બાયો ચઢાવી છે. પોતાની પડતર માગણીઓને લઈ સરકારી કર્મચારીઓએ થોડા દિવસ પહેલા ગાંધીનગરના સત્યાગ્રહ છાવણીમાં ધરણા કર્યા હતા. જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવે, ફિક્સ પગાર સિસ્ટમ નાબુદ કરવામાં આવે જેવા વિવિધ મુદ્દાઓને લઈ સરકારી કર્મચારીઓએ સરકારને અલ્ટીમેટમ આપ્યું છે.જો મુદ્દાઓનું નિરાકરણ નહીં થાય તો છઠ્ઠી માર્ચે રાજ્યમાં તમામ સરકારી ઓનલાઇન કામગીરીનો બહિષ્કાર કરવામાં આવશે જેને કારણે અનેક સરકારી કામગીરી ખોરવાઈ જશે,    

સરકાર સુધી અવાજ પહોંચાડવા માટે કર્મચારીઓએ કર્યો વિરોધ!

છેલ્લા ઘણા સમયથી વિવિધ સરકારી કર્મચારીઓ પોતાની માગને લઈ આંદોલનના માર્ગે જઈ રહ્યા છે. જ્યારે જ્યારે ચૂંટણી નજીક હોય છે ત્યારે પોતાની માગને લઈ સરકારી કર્મચારીઓ આંદોલનનો માર્ગ પકડે છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે ગુજરાતમાં જૂની પેન્શન યોજના માટે આંદોલન છેડવામાં આવ્યું હતું ત્યારે હવે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી હોઈ ગુજરાત સરકાર માટે જુની પેન્શન યોજનાનો મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે. સરકાર સુધી તેમનો અવાજ પહોંચે તે માટે અનેક રીતે તેમણે વિરોધ પ્રદર્શન કર્યું. સરકારી કર્મચારીઓએ કાળા કપડા પહેરી વિરોધ નોંધાવ્યો હતો.


આ તારીખ સુધીનું કર્મચારીઓએ આપ્યું સરકારને અલ્ટીમેટમ!

વિરોધ કરી રહેલા સરકારી કર્મચારીઓનો અવાજ સરકાર સુધી ના પહોંચ્યો હતો. તે બાદ 23મીએ કર્મચારીઓએ પાટનગરમાં સામૂહિક ધરણાંનું આયોજન કર્યું હતું. મોટી સંખ્યામાં સરકારી કર્મચારીઓ ત્યાં હાજર હતા. સરકાર તેમની માગને સ્વીકારે તેવી તેમની માગ છે.  જૂની પેન્શન યોજનાને લાગુ કરવામાં આવે, ફિક્સ પગાર સિસ્ટમ નાબુદ કરવામાં આવે જેવા વિવિધ મુદ્દાઓને લઈ સરકારી કર્મચારીઓએ સરકારને અલ્ટીમેટમ આપ્યું છે. જૂની પેન્શનનો અમલ કરવા માટે કર્મચારી મહામંડળે ચોથી માર્ચ સુધી અલ્ટીમેટમ આપ્યું છે. અને  જો સરકાર પ્રશ્નનો હલ નહીં લાવે તો છઠ્ઠી માર્ચે રાજ્યમાં તમામ સરકારી ઓનલાઇન કામગીરીનો બહિષ્કાર કરવામાં આવશે. જો કર્મચારીઓ કામથી અળગા રહેશે તો સરકારી કામ પર અસર પડશે.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.