જૂની પેન્શન યોજના લાગુ કરવા Gujaratના સરકારી કર્મચારીઓએ સરકારને આપ્યું આ તારીખ સુધીનું અલ્ટીમેટમ, જો યોજના લાગુ નહીં થાય તો.....


  • Published By :
  • Published Date : 2024-02-26 15:30:52

સરકારી કર્મચારીઓએ ચૂંટણી પહેલા સરકાર સામે બાયો ચઢાવી છે. પોતાની પડતર માગણીઓને લઈ સરકારી કર્મચારીઓએ થોડા દિવસ પહેલા ગાંધીનગરના સત્યાગ્રહ છાવણીમાં ધરણા કર્યા હતા. જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવે, ફિક્સ પગાર સિસ્ટમ નાબુદ કરવામાં આવે જેવા વિવિધ મુદ્દાઓને લઈ સરકારી કર્મચારીઓએ સરકારને અલ્ટીમેટમ આપ્યું છે.જો મુદ્દાઓનું નિરાકરણ નહીં થાય તો છઠ્ઠી માર્ચે રાજ્યમાં તમામ સરકારી ઓનલાઇન કામગીરીનો બહિષ્કાર કરવામાં આવશે જેને કારણે અનેક સરકારી કામગીરી ખોરવાઈ જશે,    

સરકાર સુધી અવાજ પહોંચાડવા માટે કર્મચારીઓએ કર્યો વિરોધ!

છેલ્લા ઘણા સમયથી વિવિધ સરકારી કર્મચારીઓ પોતાની માગને લઈ આંદોલનના માર્ગે જઈ રહ્યા છે. જ્યારે જ્યારે ચૂંટણી નજીક હોય છે ત્યારે પોતાની માગને લઈ સરકારી કર્મચારીઓ આંદોલનનો માર્ગ પકડે છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે ગુજરાતમાં જૂની પેન્શન યોજના માટે આંદોલન છેડવામાં આવ્યું હતું ત્યારે હવે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી હોઈ ગુજરાત સરકાર માટે જુની પેન્શન યોજનાનો મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે. સરકાર સુધી તેમનો અવાજ પહોંચે તે માટે અનેક રીતે તેમણે વિરોધ પ્રદર્શન કર્યું. સરકારી કર્મચારીઓએ કાળા કપડા પહેરી વિરોધ નોંધાવ્યો હતો.


આ તારીખ સુધીનું કર્મચારીઓએ આપ્યું સરકારને અલ્ટીમેટમ!

વિરોધ કરી રહેલા સરકારી કર્મચારીઓનો અવાજ સરકાર સુધી ના પહોંચ્યો હતો. તે બાદ 23મીએ કર્મચારીઓએ પાટનગરમાં સામૂહિક ધરણાંનું આયોજન કર્યું હતું. મોટી સંખ્યામાં સરકારી કર્મચારીઓ ત્યાં હાજર હતા. સરકાર તેમની માગને સ્વીકારે તેવી તેમની માગ છે.  જૂની પેન્શન યોજનાને લાગુ કરવામાં આવે, ફિક્સ પગાર સિસ્ટમ નાબુદ કરવામાં આવે જેવા વિવિધ મુદ્દાઓને લઈ સરકારી કર્મચારીઓએ સરકારને અલ્ટીમેટમ આપ્યું છે. જૂની પેન્શનનો અમલ કરવા માટે કર્મચારી મહામંડળે ચોથી માર્ચ સુધી અલ્ટીમેટમ આપ્યું છે. અને  જો સરકાર પ્રશ્નનો હલ નહીં લાવે તો છઠ્ઠી માર્ચે રાજ્યમાં તમામ સરકારી ઓનલાઇન કામગીરીનો બહિષ્કાર કરવામાં આવશે. જો કર્મચારીઓ કામથી અળગા રહેશે તો સરકારી કામ પર અસર પડશે.  



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે