Gandhinagarમાં સરકારી કર્મચારીઓ કરશે વિરોધ પ્રદર્શન! પડતર પ્રશ્નો માટે 1 લાખ શિક્ષકોની યોજાશે મહાપંચાયત..


  • Published By :
  • Published Date : 2024-03-09 12:26:25

લોકસભા ચૂંટણીને લઈ એક તરફ તૈયારીઓ ચાલી રહી છે તો બીજી તરફ પોતાની પડતર માગણીઓને લઈ સરકારી કર્મચારીઓએ સરકાર સામે બાંયો ચઢાવી લીધી છે. એક તરફ દિલ્હીમાં કિસાન આંદોલનને લઈ ચક્કાજામ સર્જાયો છે તો હવે ગાંધીનગરમાં ૯ મી માર્ચથી જૂની પેન્શન યોજનાને લઈ સરકારી કર્મચારીઓ સરકાર સામે વિરોધ દર્શાવાના છે.   વિવિધ પડતર પ્રશ્નો માટે આંદોલન વધુ તેજ બનાવાયું છે . તમને જાણીને નવાઈ લાગશે કે , RSS સાથે જોડાયેલી શૈક્ષણિક સંઘ દ્વારા આ આંદોલન ચલાવાઈ રહ્યું છે . સત્યાગ્રહ છાવણીમાં આજે વિરોધ પ્રદર્શન થવાનું છે. 

એક લાખ શિક્ષકો અને કર્મચારી કરશે સત્યાગ્રહ છાવણીમાં આંદોલન! 

અનેક વખત એવું બનતું હોય છે કે આંદોલન સમેટાઈ જાય માટે સરકાર દ્વારા વચનો આપવામાં આવતા હોય છે. સરકાર દ્વારા પડતર માગણીઓ પણ સ્વીકારી લેવામાં આવતી હોય છે. ત્યારે જૂની પેન્શન યોજનાને લઈને પણ આવું જ કંઈક થયું. અગાઉ સરકારે જૂની પેન્શન યોજના સહિતના પડતર પ્રશ્નો અંગે ગેરંટી આપી હતી , જે ગેરંટી પુરી ન કરતા રાજ્યભરના કર્મચારીઓ ૯ મી માર્ચે ગાંધીનગરના સત્યાગ્રહ છાવણીમાં આંદોલન કરવાના છે. આંદોલનના ભાગરૂપે ૧ લાખ શિક્ષકો અને કર્મચારીઓ ભેગા થઈ મહાપંચાયત કરશે .

Gandhinagar News: જુની પેન્શન સ્કિમ સહિતના પડતર પ્રશ્નો માટે 1 લાખ શિક્ષકોનો સરકાર સામે મોરચો,  ગાંધીનગરમાં મહાપંચાયત

ભગવા વસ્ત્રો, ખેસ પહેરીને કર્મચારીઓ નોંધાવશે વિરોધ!

આપને જણાવી દઈએ કે શિક્ષકો અને કર્મચારીઓએ પડતર પ્રશ્નોને લઈ  ગઈકાલે વિરોધ દર્શાવ્યો હતો. શિક્ષકોએ ચોક વિના જ વાર્તા અને ગીતો મારફતે બાળકોને શિક્ષણ આપી વિરોધ કર્યો હતો . ચોક અને પેનનો ઉપયોગ પણ ટાળ્યો હતો , અને વિદ્યાર્થીઓની હાજરી મોકલવી અને શિક્ષણ સિવાયની કામગીરીનો બહિષ્કાર કર્યો હતો . હવે ૯ મી માર્ચે એટલે કે આજે ગાંધીનગરમાં મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહાપંચાયતમાં ૧ લાખ કરતા વધુ શિક્ષકો ભગવા વસ્ત્રો , ખેસ , જય શ્રીરામની પતાકા અને સાફા પેહરી ગાંધીનગર પહોંચશે . આ શિક્ષકો સરકારને અનેક વખત રજુઆત કરી ચુક્યા છે , પરંતુ સરકાર ટસથી મસ થવા તૈયાર નથી . 

પડતરની માગણીઓ અંગે વાત કરીએ તો.... 

સરકાર સામે બાંયો ચઢાવીને બેઠેલા સરકારી કર્મચારીઓની માગ છે કે તમામ કર્મચારીઓ માટે OPS એટલે કે જૂની પેન્શન યોજના લાગુ કરાય, સરકાર સાથે થયેલા સમાધાન મુજબ ૧-૪-૨૦૦૫ પહેલાના નિયુક્ત શિક્ષક અને કર્મચારીઓનો OPSમાં સમાવેશ કરવામાં આવે , સાતમા પગારપંચ મુજબ તમામ પ્રકારના ભથ્થા તથા લાભ આપવામાં આવે , જુના શિક્ષકોની ભરતીના નિયમોને બદલવામાં આવે , નવી પેન્શન યોજનાવાળા શિક્ષકોને ૩૦૦ રજાના રોકડ રૂપાંતરનો લાભ આપવો. 


તે સિવાય કોન્ટ્રાક્ટ-ફિક્સ પગાર બંધ કરી જ્ઞાન સહાયકની જગ્યાએ કાયમી શિક્ષકોની ભરતી કરવી , પ્રાથમિક સંવર્ગની માતૃશક્તિને ૨૨-૪-૨૦૨૨ ના માતૃત્વ રજાના ઠરાવમાં સુધારો કરવો , ૧૯૯૭થી અત્યારસુધી તથા હવે જોડનાર ફિક્સ પગારીને રજાઓની કપાત ન ગણી ઉચ્ચતર પગાર ધોરણનો લાભ આપવો , HTAT મુખ્ય શિક્ષકોના બદલીના નિયમો ઝડપથી બહાર પાડવા આ સાથે તેમની અન્ય માંગો પણ છે .




જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે