Gandhinagarમાં સરકારી કર્મચારીઓ કરશે વિરોધ પ્રદર્શન! પડતર પ્રશ્નો માટે 1 લાખ શિક્ષકોની યોજાશે મહાપંચાયત..


  • Published By :
  • Published Date : 2024-03-09 12:26:25

લોકસભા ચૂંટણીને લઈ એક તરફ તૈયારીઓ ચાલી રહી છે તો બીજી તરફ પોતાની પડતર માગણીઓને લઈ સરકારી કર્મચારીઓએ સરકાર સામે બાંયો ચઢાવી લીધી છે. એક તરફ દિલ્હીમાં કિસાન આંદોલનને લઈ ચક્કાજામ સર્જાયો છે તો હવે ગાંધીનગરમાં ૯ મી માર્ચથી જૂની પેન્શન યોજનાને લઈ સરકારી કર્મચારીઓ સરકાર સામે વિરોધ દર્શાવાના છે.   વિવિધ પડતર પ્રશ્નો માટે આંદોલન વધુ તેજ બનાવાયું છે . તમને જાણીને નવાઈ લાગશે કે , RSS સાથે જોડાયેલી શૈક્ષણિક સંઘ દ્વારા આ આંદોલન ચલાવાઈ રહ્યું છે . સત્યાગ્રહ છાવણીમાં આજે વિરોધ પ્રદર્શન થવાનું છે. 

એક લાખ શિક્ષકો અને કર્મચારી કરશે સત્યાગ્રહ છાવણીમાં આંદોલન! 

અનેક વખત એવું બનતું હોય છે કે આંદોલન સમેટાઈ જાય માટે સરકાર દ્વારા વચનો આપવામાં આવતા હોય છે. સરકાર દ્વારા પડતર માગણીઓ પણ સ્વીકારી લેવામાં આવતી હોય છે. ત્યારે જૂની પેન્શન યોજનાને લઈને પણ આવું જ કંઈક થયું. અગાઉ સરકારે જૂની પેન્શન યોજના સહિતના પડતર પ્રશ્નો અંગે ગેરંટી આપી હતી , જે ગેરંટી પુરી ન કરતા રાજ્યભરના કર્મચારીઓ ૯ મી માર્ચે ગાંધીનગરના સત્યાગ્રહ છાવણીમાં આંદોલન કરવાના છે. આંદોલનના ભાગરૂપે ૧ લાખ શિક્ષકો અને કર્મચારીઓ ભેગા થઈ મહાપંચાયત કરશે .

Gandhinagar News: જુની પેન્શન સ્કિમ સહિતના પડતર પ્રશ્નો માટે 1 લાખ શિક્ષકોનો સરકાર સામે મોરચો,  ગાંધીનગરમાં મહાપંચાયત

ભગવા વસ્ત્રો, ખેસ પહેરીને કર્મચારીઓ નોંધાવશે વિરોધ!

આપને જણાવી દઈએ કે શિક્ષકો અને કર્મચારીઓએ પડતર પ્રશ્નોને લઈ  ગઈકાલે વિરોધ દર્શાવ્યો હતો. શિક્ષકોએ ચોક વિના જ વાર્તા અને ગીતો મારફતે બાળકોને શિક્ષણ આપી વિરોધ કર્યો હતો . ચોક અને પેનનો ઉપયોગ પણ ટાળ્યો હતો , અને વિદ્યાર્થીઓની હાજરી મોકલવી અને શિક્ષણ સિવાયની કામગીરીનો બહિષ્કાર કર્યો હતો . હવે ૯ મી માર્ચે એટલે કે આજે ગાંધીનગરમાં મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહાપંચાયતમાં ૧ લાખ કરતા વધુ શિક્ષકો ભગવા વસ્ત્રો , ખેસ , જય શ્રીરામની પતાકા અને સાફા પેહરી ગાંધીનગર પહોંચશે . આ શિક્ષકો સરકારને અનેક વખત રજુઆત કરી ચુક્યા છે , પરંતુ સરકાર ટસથી મસ થવા તૈયાર નથી . 

પડતરની માગણીઓ અંગે વાત કરીએ તો.... 

સરકાર સામે બાંયો ચઢાવીને બેઠેલા સરકારી કર્મચારીઓની માગ છે કે તમામ કર્મચારીઓ માટે OPS એટલે કે જૂની પેન્શન યોજના લાગુ કરાય, સરકાર સાથે થયેલા સમાધાન મુજબ ૧-૪-૨૦૦૫ પહેલાના નિયુક્ત શિક્ષક અને કર્મચારીઓનો OPSમાં સમાવેશ કરવામાં આવે , સાતમા પગારપંચ મુજબ તમામ પ્રકારના ભથ્થા તથા લાભ આપવામાં આવે , જુના શિક્ષકોની ભરતીના નિયમોને બદલવામાં આવે , નવી પેન્શન યોજનાવાળા શિક્ષકોને ૩૦૦ રજાના રોકડ રૂપાંતરનો લાભ આપવો. 


તે સિવાય કોન્ટ્રાક્ટ-ફિક્સ પગાર બંધ કરી જ્ઞાન સહાયકની જગ્યાએ કાયમી શિક્ષકોની ભરતી કરવી , પ્રાથમિક સંવર્ગની માતૃશક્તિને ૨૨-૪-૨૦૨૨ ના માતૃત્વ રજાના ઠરાવમાં સુધારો કરવો , ૧૯૯૭થી અત્યારસુધી તથા હવે જોડનાર ફિક્સ પગારીને રજાઓની કપાત ન ગણી ઉચ્ચતર પગાર ધોરણનો લાભ આપવો , HTAT મુખ્ય શિક્ષકોના બદલીના નિયમો ઝડપથી બહાર પાડવા આ સાથે તેમની અન્ય માંગો પણ છે .




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.