Rajkotમાં સરકારી દવાઓ વેચાતી હતી બારોબાર! જાણો કેવી રીતે સમગ્ર કૌભાંડનો થયો પર્દાફાશ, જો સરકારી અધિકારી સરપ્રાઈઝ વીઝિટ કરે તો...


  • Published By :
  • Published Date : 2023-08-10 16:55:46

ગુજરાતમાં અનેક પ્રકારના કૌભાંડ બહાર આવે જો સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ જમીન પર ઉતરીને તેમના નીચેના કાર્યાલયોમાં કે કોઈ ચોક્કસ જગ્યા પર જઈને તપાસ કરે તો. રાજકોટમાં પણ એવો બનાવ સામે આવ્યો છે. પહેલા ગુજરાતમાં સરકારી અનાજના જથ્થા પકડાતા હતા પણ હવે તો ગુજરાતમાં સરકારી દવાનું કૌભાંડ ઝડપાયું છે. દવા કૌભાંડ કરીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે. રાજકોટમાં જ્યારે ગાંધીનગરની સરકારી ટીમે જમીન પર ઉતરીને કંપનીમાં છાપા માર્યા તો સમગ્ર કૌભાંડ બહાર આવ્યું છે.

 રાજકોટ: સરકારી અનાજના જથ્થા બાદ સરકારી દવાનું કૌભાંડ થયાનું સામે આવ્યુ છે. રાજકોટમાં GMSCLના ગોડાઉનમાંથી દવાઓનો જંગી જથ્થો મળી આવ્યો છે. સરકારી દવાઓ પર ભાવના સ્ટિકર લગાવીને બારોબાર વેચાતા હોવાની આશંકા સેવાઇ રહી છે. આ શંકાસ્પદ કૌભાંડ અંગેની તપાસ કરવા માટે ગાંધીનગરની ટીમ રાજકોટમાં પહોંચી.

સરકારી દવા પર લાગતા હતા ભાવના સ્ટિકર

સારા આરોગ્યની સુવિધા મેળવવી દરેક નાગરિકનો અધિકાર છે. સારી સારવાર મેળવવી પણ દરેકનો અધિકાર છે. પરંતુ આજકાલ તો દવાઓમાં પણ કૌભાંડ સામે આવી રહ્યા છે. ગાંધીનગરની આરોગ્ય વિભાગની ટીમ રાજકોટના GMSCLના ગોડાઉનમાં પહોંચી હતી તો તેમને દવાનો મોટા પ્રમાણમાં જથ્થો મળી આવ્યો. આ ગોડાઉનમાં સરકારી દવાઓ પર કિંમતોના સ્ટિકર લગાવીને બજારમાં વેચવાનું કૌભાંડ ચાલી રહ્યું હતું . રાજકોટમાં GMSCLના સૌરાષ્ટ્ર ઝોનના વેરહાઉસમાં સરકારી દવા પર બહારની કંપનીના સ્ટિકર લગાવામાં આવી રહ્યા હતા અને પછી તેને બજારમાં વેચવામાં આવી રહ્યા હતા.. 



જ્યારે સ્ટોક ચોપડે ચઢી જાય તે બાદ સ્ટિકર ઉખાડી દેવાતા અને પછી...

આ કૌભાંડ કેવી રીતે ચાલતું હતું તેની વાત કરીએ તો દવાઓ પર સ્ટિકર ચોપડવામાં આવતું હતું પછી જેવો સ્ટોક લેખિતમાં ચોપડે ચડી જાય તો આ સ્ટિકરને ઉખાડી નાખવામાં આવતા હતા અને સ્ટોકને બહાર બજારમાં વેચી દેવામાં આવતો હતો. આ લોકો રાજકોટના વેરહાઉસમાં ખાનગી કંપનીની દવાઓમાં સ્ટિકર મારી એજન્સીને પેનલ્ટીથી બચાવતા હતા અને જ્યારે સ્ટોક ચોપડે ચડી જતો હતો ત્યારે એ જ સ્ટિકર બહાર ઉખેડીને વેચી દેતા હતા. ગાંધીનગરની ટીમે ગોડાઉનના મેનેજર પ્રતિક રાણપરાને પકડી લીધો છે. પ્રતિક રાણપરા પોતાના કર્મચારીઓ સાથે મળીને સરકારી દવા ખાનગી કંપનીમાં વેચી મારતો હતો. GMSCL એટલે ગુજરાત રાજ્યના સરકારી દવાખાના, આરોગ્ય કેન્દ્ર બધા માટે દવા અને મેડિકલના સાધનો લેવાનું કામ કરે છે. સરકારી દવાખાનામાં અને આરોગ્ય કેન્દ્રમાં GMSCL જ આ તમામ સામગ્રીઓ પહોંચાડતું હોય છે. 


દવાનો ઉપયોગ માત્ર ગુજરાત સરકારના દવાખાનામાં થાય!

આ દવાઓમાં સરકારનું સૂચન હોય છે કે તેના પર કોઈ પણ પ્રકારની દવાની કિંમત ન લખવામાં આવે. ટેન્ડર પ્રક્રિયા દરમિયાન ફાર્મા કંપનીને લેબલ પર લખવાનું હોય છે કે આ દવાનો ઉપયોગ ખાલી ગુજરાત સરકારના ઉપયોગ માટે જ છે. અને તેને ગુજરાત સરકારના દવાખાના અને આરોગ્ય કેન્દ્રમાં જ ઉપયોગ કરવામાં આવતો હોય છે. જો તેને બહાર વેચવામાં આવે છે અને એ પણ પાછા કિંમત વસૂલીને તો તે ગુનો બને છે. અને આ જ પ્રકારનું કાંડ અહીં ગુજરાત આરોગ્ય વિભાગની ટીમે પકડી પાડ્યું છે. કૌભાંડીઓમાં હાલ પ્રતિક રાણપરા જ હાજર છે બાકી તેના કૌભાંડી સહકર્મીઓ ઈન્દ્રજિત સિંહ સોલંકી અને અજય પરમાર ગોડાઉન પર જોવા નહોતા મળ્યા. આ ત્રણેય મળીને આ કૌભાંડ ચલાવી રહ્યા હતા તેવી પણ આશંકાઓ લાગી રહી છે. જો કે બાકીની માહિતી તો તપાસ થશે ત્યાર બાદ જ સામે આવશે. ગાંધીનગરથી કર્મચારીઓ આવ્યા છે તે તપાસ કરી રહ્યા છે કે આ ગોડાઉનમાં કેટલો જથ્થો આવતો હતો અને ક્યાં ક્યાં એ જથ્થો જતો હતો. 


ગોડાઉનમાં પડેલા જથ્થાને કરાયો ફ્રિઝ

પ્રતિક રાણપરા GMSCLનો મેનેજર છે. તેનું કહેવું છે કે અહીં કૌભાંડ ચાલી રહ્યું છે તે વાત સદંતર ખોટી છે. કોઈ તેમને ખોટી રીતે ફસાવી રહ્યા છે તેવું પ્રતિક રાણપરાનું માનવું છે. જો કે તેની સામે જે મજૂર આ બધુ કામ કરતા હતા તેણે કહ્યું હતું કે આ સ્ટિકર લગાવાનું અને ઉખાડવાનું કામ છે તેમાં તેમને રૂપિયા મળતા હતા આ કામના તેમને 500થી અઢીસો રૂપિયા આપવામાં આવતા હતા. હાલ તો કંપની પર જેટલો માલ આવે છે તેના પર ફ્રિઝ લગાવી દેવામાં આવ્યો છે અને કંપનીમાં કોઈ પણ પ્રકારનો માલ નહીં આવે. 


રાજકોટની જેમ રાજ્યના બીજા જિલ્લાઓમાંથી પણ આવી શકે છે કૌભાંડ  

આ દરમિયાન ગાંધીનગરથી આવેલી ટીમ જોશે કે કેટલા રૂપિયાનું કૌભાંડ અત્યાર સુધીમાં થયું છે અને કેવી રીતે કઈ કઈ કંપનીમાં દવા લેવામાં આવતી હતી. એવું માનવામાં આવી રહ્યું છે કે કરોડોનો કૌભાંડ રાજકોટથી બહાર આવી શકે છે. અને શક્યતાઓ એવી પણ છે કે જો રાજકોટમાં આવું કૌભાંડ ચાલતું હોય તો બીજે પણ આવા કૌભાંડ ચાલતા હોઈ શકે છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.