સરકાર સહિષ્ણુતાનો ટેસ્ટ કરે છે ગુજરાતમાં? પાવાગઢમાં છોલેલા શ્રીફળને લઈ જવા તેમજ વધેરવા પર લગાવાયો પ્રતિબંધ


  • Published By :
  • Published Date : 2023-03-14 11:52:46

ગુજરાતમાં સરકાર જાણે ભક્તોના ધીરજની કસોટી લઈ રહી હોય તેવા એક બાદ એક નિર્ણયો સામે આવી રહ્યા છે. અંબાજી મંદિરમાં ચાલતો મોહનથાળ પ્રસાદનો વિવાદ હજી શાંત થયો નથી ત્યારે ગુજરાતના બીજા સુપ્રસિદ્ધ મંદિરના ટ્રસ્ટ દ્વારા શ્રીફળ પ્રસાદને લઈ નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ પાવાગઢ મંદિરમાં શ્રીફળ વધેરવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. આ નવો નિયમ 20 માર્ચથી લાગુ કરવામાં આવશે.   


પાવાગઢ મંદિરમાં નહીં વધેરાય શ્રીફળ

ગુજરાતના પંચમહાલમાં આવેલા પાવાગઢ મંદિરમાં હવે નાળિયેરના પ્રસાદને લઈ વિવાદ શરૂ થયો છે. પાવાગઢ મંદિરમાં નાળિયેર વધેરવા પર પ્રતિબંધ મૂકી દેવામાં  આવ્યો છે. માતાજીને માત્ર આખું શ્રીફળ જ અર્પણ કરવામાં આવશે અને આ શ્રીફળ ભક્ત પોતાના ઘરે પણ લઈ જઈ શકશે. ઉપરાંત પાવાગઢ મંદિરના રસ્તે જો કોઈ વેપારી છોલેલુ નાળિયેર વેચતા દેખાશે તો તેને દંડ કરવામાં આવશે. પાવાગઢ મંદિરના આ નિર્ણયને કારણે ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.   


સ્વચ્છતા રહે તે માટે ટ્રસ્ટે લીધો નિર્ણય!

ભક્તોની લાગણીને ઠેસ પહોંચે તેવા નિર્ણય લેવામાં આવી રહ્યા છે. પહેલા શક્તિપીઠ અંબાજીમાં મોહનથાળ પ્રસાદ બંધ કરી દેવામાં આવ્યો ત્યારે હવે પાવાગઢ મંદિરમાં છોલેલા શ્રીફળને લઈ જવા તેમજ વધેરવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. સ્વચ્છતાનું કારણ બતાવી આ નિર્ણય ટ્ર્સ્ટ દ્વારા લેવામાં આવ્યો છે તેવું ટ્રસ્ટનું કહેવું છે. જો કોઈ વેપારી છોલેલુ શ્રીફળ વહેચતા દેખાશે તો તેને દંડ કરવામાં આવશે તેવો નિર્ણય પણ કરવામાં આવ્યો છે.   




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.