સરકાર સહિષ્ણુતાનો ટેસ્ટ કરે છે ગુજરાતમાં? પાવાગઢમાં છોલેલા શ્રીફળને લઈ જવા તેમજ વધેરવા પર લગાવાયો પ્રતિબંધ


  • Published By :
  • Published Date : 2023-03-14 11:52:46

ગુજરાતમાં સરકાર જાણે ભક્તોના ધીરજની કસોટી લઈ રહી હોય તેવા એક બાદ એક નિર્ણયો સામે આવી રહ્યા છે. અંબાજી મંદિરમાં ચાલતો મોહનથાળ પ્રસાદનો વિવાદ હજી શાંત થયો નથી ત્યારે ગુજરાતના બીજા સુપ્રસિદ્ધ મંદિરના ટ્રસ્ટ દ્વારા શ્રીફળ પ્રસાદને લઈ નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ પાવાગઢ મંદિરમાં શ્રીફળ વધેરવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. આ નવો નિયમ 20 માર્ચથી લાગુ કરવામાં આવશે.   


પાવાગઢ મંદિરમાં નહીં વધેરાય શ્રીફળ

ગુજરાતના પંચમહાલમાં આવેલા પાવાગઢ મંદિરમાં હવે નાળિયેરના પ્રસાદને લઈ વિવાદ શરૂ થયો છે. પાવાગઢ મંદિરમાં નાળિયેર વધેરવા પર પ્રતિબંધ મૂકી દેવામાં  આવ્યો છે. માતાજીને માત્ર આખું શ્રીફળ જ અર્પણ કરવામાં આવશે અને આ શ્રીફળ ભક્ત પોતાના ઘરે પણ લઈ જઈ શકશે. ઉપરાંત પાવાગઢ મંદિરના રસ્તે જો કોઈ વેપારી છોલેલુ નાળિયેર વેચતા દેખાશે તો તેને દંડ કરવામાં આવશે. પાવાગઢ મંદિરના આ નિર્ણયને કારણે ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.   


સ્વચ્છતા રહે તે માટે ટ્રસ્ટે લીધો નિર્ણય!

ભક્તોની લાગણીને ઠેસ પહોંચે તેવા નિર્ણય લેવામાં આવી રહ્યા છે. પહેલા શક્તિપીઠ અંબાજીમાં મોહનથાળ પ્રસાદ બંધ કરી દેવામાં આવ્યો ત્યારે હવે પાવાગઢ મંદિરમાં છોલેલા શ્રીફળને લઈ જવા તેમજ વધેરવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. સ્વચ્છતાનું કારણ બતાવી આ નિર્ણય ટ્ર્સ્ટ દ્વારા લેવામાં આવ્યો છે તેવું ટ્રસ્ટનું કહેવું છે. જો કોઈ વેપારી છોલેલુ શ્રીફળ વહેચતા દેખાશે તો તેને દંડ કરવામાં આવશે તેવો નિર્ણય પણ કરવામાં આવ્યો છે.   




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.