સરકાર સહિષ્ણુતાનો ટેસ્ટ કરે છે ગુજરાતમાં? પાવાગઢમાં છોલેલા શ્રીફળને લઈ જવા તેમજ વધેરવા પર લગાવાયો પ્રતિબંધ


  • Published By :
  • Published Date : 2023-03-14 11:52:46

ગુજરાતમાં સરકાર જાણે ભક્તોના ધીરજની કસોટી લઈ રહી હોય તેવા એક બાદ એક નિર્ણયો સામે આવી રહ્યા છે. અંબાજી મંદિરમાં ચાલતો મોહનથાળ પ્રસાદનો વિવાદ હજી શાંત થયો નથી ત્યારે ગુજરાતના બીજા સુપ્રસિદ્ધ મંદિરના ટ્રસ્ટ દ્વારા શ્રીફળ પ્રસાદને લઈ નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ પાવાગઢ મંદિરમાં શ્રીફળ વધેરવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. આ નવો નિયમ 20 માર્ચથી લાગુ કરવામાં આવશે.   


પાવાગઢ મંદિરમાં નહીં વધેરાય શ્રીફળ

ગુજરાતના પંચમહાલમાં આવેલા પાવાગઢ મંદિરમાં હવે નાળિયેરના પ્રસાદને લઈ વિવાદ શરૂ થયો છે. પાવાગઢ મંદિરમાં નાળિયેર વધેરવા પર પ્રતિબંધ મૂકી દેવામાં  આવ્યો છે. માતાજીને માત્ર આખું શ્રીફળ જ અર્પણ કરવામાં આવશે અને આ શ્રીફળ ભક્ત પોતાના ઘરે પણ લઈ જઈ શકશે. ઉપરાંત પાવાગઢ મંદિરના રસ્તે જો કોઈ વેપારી છોલેલુ નાળિયેર વેચતા દેખાશે તો તેને દંડ કરવામાં આવશે. પાવાગઢ મંદિરના આ નિર્ણયને કારણે ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.   


સ્વચ્છતા રહે તે માટે ટ્રસ્ટે લીધો નિર્ણય!

ભક્તોની લાગણીને ઠેસ પહોંચે તેવા નિર્ણય લેવામાં આવી રહ્યા છે. પહેલા શક્તિપીઠ અંબાજીમાં મોહનથાળ પ્રસાદ બંધ કરી દેવામાં આવ્યો ત્યારે હવે પાવાગઢ મંદિરમાં છોલેલા શ્રીફળને લઈ જવા તેમજ વધેરવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. સ્વચ્છતાનું કારણ બતાવી આ નિર્ણય ટ્ર્સ્ટ દ્વારા લેવામાં આવ્યો છે તેવું ટ્રસ્ટનું કહેવું છે. જો કોઈ વેપારી છોલેલુ શ્રીફળ વહેચતા દેખાશે તો તેને દંડ કરવામાં આવશે તેવો નિર્ણય પણ કરવામાં આવ્યો છે.   




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.