આનંદો! GSRTCના ફિક્સ-પે કર્મીઓને સરકારે આપી દિવાળીની ભેટ, પગાર વધી જશે, આંદોલન સમેટાયું


  • Published By :
  • Published Date : 2023-11-07 15:34:21

ગુજરાતના એસટી નિગમના (GSRTC) કર્મચારીઓ તેમની પડતર માંગણીઓને લઈને ધરણા-પ્રદર્શનો કરી રહ્યા હતા. એસટી નિગમના ત્રણેય માન્ય સંગઠનો દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું  હતું. જો કે આજે ગુજરાત સરકાર અને એસટી નિગમ કર્મીઓના સંગઠનોના પ્રતિનિધીઓ વચ્ચે થયેલી બેઠકમાં સરકાર તરફથી મળેલી હૈયાધારણા બાદ ત્રણેય સંગઠનોને આંદોલન સમેટવાની જાહેરાત કરી હતી. રાજ્ય સરકારે અમુક માંગણીઓ પુર્ણ કરવાની હૈયા ધારણા આપી હતી પરંતુ એસટી નિગમના ફિક્સ પેના કર્મચારીઓના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા તેઓ વિરોધ કરી રહ્યાં હતા જે બાદ એસટી નિગમના કર્મચારી મંડળે આ ફિક્સ પેના કર્મચારીઓને સાથે રાખીને સરકાર સાથે બેઠક કરી હતી.


પગાર વધીને 26 હજાર થઈ જશે


ST નિગમના કર્મચારી મંડળ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે આજે ગાંધીનગરમાં બેઠક મળી હતી. આજે સવારે 11 થી 12 વાગ્યા સુધી એસટી નિગમના કર્મચારી મંડળે ફિક્સ પેના કર્મચારીઓને સાથે રાખીને સચિવાલય ખાતે બેઠક કરી હતી. આ બેઠકમાં આવતી 30 તારીખ સુધીમાં મંજૂરીની પ્રક્રિયા પૂર્ણ કરી અમલવારી કરવામાં આવશે જેનાથી ફિક્સ પેના કર્મચારી જેનો હાલ 19 હજાર પગાર છે તે 25 થી 26 હજાર થઈ જશે. જોકે આ બાબતે સરકાર દ્વારા હજુ સુધી કોઈ પરિપત્ર જાહેર થયો નથી પરંતુ આગામી સમયમાં તેની જાહેરાત થશે.


કર્મચારીઓએ માસ CLની આપી હતી ચીમકી


એસટી નિગમના ત્રણેય માન્ય સંગઠનો પોતાના પડતર પ્રશ્નોને લઈને રચનાત્મક વિરોધ પર ઉતરવાના હતા અને ગત તા. 3-11થી નિગમના કર્મચારીઓ માસ CL પર ઉતરી વિવિધ વિરોધ કાર્યક્રમો આપવાના હતા પરંતુ નિગમના કર્મચારી મંડળની સરકાર સાથેની બેઠક બાદ આ આંદોલન મોકૂફ રહ્યું હતું અને તે પછી નિગમના ફિક્સ પેના કર્મચારીઓ મેદાને ઉતર્યાં જેઓની આજે રજૂઆત સાંભળી છે અને સરકાર આ મામલે 30મી નવેમ્બર સુધીમાં નિર્ણય લેશે.



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.