આનંદો! GSRTCના ફિક્સ-પે કર્મીઓને સરકારે આપી દિવાળીની ભેટ, પગાર વધી જશે, આંદોલન સમેટાયું


  • Published By :
  • Published Date : 2023-11-07 15:34:21

ગુજરાતના એસટી નિગમના (GSRTC) કર્મચારીઓ તેમની પડતર માંગણીઓને લઈને ધરણા-પ્રદર્શનો કરી રહ્યા હતા. એસટી નિગમના ત્રણેય માન્ય સંગઠનો દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું  હતું. જો કે આજે ગુજરાત સરકાર અને એસટી નિગમ કર્મીઓના સંગઠનોના પ્રતિનિધીઓ વચ્ચે થયેલી બેઠકમાં સરકાર તરફથી મળેલી હૈયાધારણા બાદ ત્રણેય સંગઠનોને આંદોલન સમેટવાની જાહેરાત કરી હતી. રાજ્ય સરકારે અમુક માંગણીઓ પુર્ણ કરવાની હૈયા ધારણા આપી હતી પરંતુ એસટી નિગમના ફિક્સ પેના કર્મચારીઓના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા તેઓ વિરોધ કરી રહ્યાં હતા જે બાદ એસટી નિગમના કર્મચારી મંડળે આ ફિક્સ પેના કર્મચારીઓને સાથે રાખીને સરકાર સાથે બેઠક કરી હતી.


પગાર વધીને 26 હજાર થઈ જશે


ST નિગમના કર્મચારી મંડળ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે આજે ગાંધીનગરમાં બેઠક મળી હતી. આજે સવારે 11 થી 12 વાગ્યા સુધી એસટી નિગમના કર્મચારી મંડળે ફિક્સ પેના કર્મચારીઓને સાથે રાખીને સચિવાલય ખાતે બેઠક કરી હતી. આ બેઠકમાં આવતી 30 તારીખ સુધીમાં મંજૂરીની પ્રક્રિયા પૂર્ણ કરી અમલવારી કરવામાં આવશે જેનાથી ફિક્સ પેના કર્મચારી જેનો હાલ 19 હજાર પગાર છે તે 25 થી 26 હજાર થઈ જશે. જોકે આ બાબતે સરકાર દ્વારા હજુ સુધી કોઈ પરિપત્ર જાહેર થયો નથી પરંતુ આગામી સમયમાં તેની જાહેરાત થશે.


કર્મચારીઓએ માસ CLની આપી હતી ચીમકી


એસટી નિગમના ત્રણેય માન્ય સંગઠનો પોતાના પડતર પ્રશ્નોને લઈને રચનાત્મક વિરોધ પર ઉતરવાના હતા અને ગત તા. 3-11થી નિગમના કર્મચારીઓ માસ CL પર ઉતરી વિવિધ વિરોધ કાર્યક્રમો આપવાના હતા પરંતુ નિગમના કર્મચારી મંડળની સરકાર સાથેની બેઠક બાદ આ આંદોલન મોકૂફ રહ્યું હતું અને તે પછી નિગમના ફિક્સ પેના કર્મચારીઓ મેદાને ઉતર્યાં જેઓની આજે રજૂઆત સાંભળી છે અને સરકાર આ મામલે 30મી નવેમ્બર સુધીમાં નિર્ણય લેશે.



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.