પોલીસ તોડકાંડ: ગુજરાત HCમાં સરકારનું સોગંદનામું, હાઈકોર્ટે લીધો ઉધડો, જાણો સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-11-03 21:55:48

અમદાવાદ શહેરમાં બે મહિનાં પહેલા થયેલા સોલા પોલીસ તોડકાંડમાં આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થઇ હતી. આ સુઓમોટોની સુનાવણીમા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલે સુનાવણી કરી હતી અને ગુજરાત સરકારને ફટકાર લગાવી હતી. આજે તોડકાંડ કેસમાં ગુજરાત સરકારે હાઇકોર્ટ સમક્ષ સોગંદનામું રજૂ કર્યું હતું. સોગંદનામામાં કહેવામાં આવ્યું છે કે સરકારી અને પોલીસ અધિકારીઓ વિરુદ્ધ ફરિયાદ માટે 1064 નંબર જાહેર કરાયો છે, જે કમ્પ્લેન સેલને મળશે. જાહેર સ્થળો પર હોર્ડિંગ્સ, નોટિસ બોર્ડ અને બેનર પર ફરિયાદ નંબર દર્શાવવા નિર્દેશ અપાયા છે. 


હાઈકોર્ટે સવાલ ઉઠાવ્યાં


જો કે ગુજરાત સરકારના આ સોગંદનામા પર ગુજરાત હાઈકોર્ટે સવાલ ઉઠાવ્યાં હતા અને કહ્યું હતું કે સરકારનું સોગંદનામુ કન્ફ્યુઝનવાળુ છે. હાઇકોર્ટે કહ્યું કે પોલીસ મદદ કે ફરિયાદ માટે આ  નહીં પણ પોલીસ સામે ફરિયાદ માટે આ નંબર પર કોલ કરો એવું લખો. હાઇકોર્ટે કહ્યું કે 1064 નંબર એ ભ્રષ્ટાચાર સામે ફરિયાદ નોંધાવવા માટેનો નંબર છે, પણ પોલીસ સામે ફરિયાદ નોંધાવવા માટે છે એ કોઈને ખ્યાલ નથી. પોલીસ સામે ફરિયાદ નોંધાવવા કોઈ એક અલગ ડેડીકેટેડ નંબર હોવો જોઈએ. સરકારે કહ્યું કે ભ્રષ્ટાચાર રોકવા પોલીસ નહીં પણ તમામ સરકારી અધિકારીઓ સામે કાર્યવાહી કરવા પગલા લઈ રહ્યાં છીએ. હાઇકોર્ટે કહ્યું કે ઓટો રિક્ષા અને ટેક્સી માટે 1064 નંબર નથી લખાયો. કોર્ટ મિત્રએ કહ્યું કે 1064 એ કમ્પલેન લાઈન હોવાથી ફરિયાદ ACBમાં જશે, સુપ્રીમ કોર્ટના જજમેન્ટ મુજબ રાજ્યમાં 2 કમ્પ્લેન કમિટી હોવી જોઈએ. 1064 નંબર સાથે કમ્પલેન કમિટીને લિંક કરી શકાય છે.


સરકારને લગાવી ફટકાર


ગુજરાત હાઇકોર્ટે સરકારને ફટકાર લગાવતા કહ્યું કે કલેક્ટર અને પોલીસ કમિશ્નરની ઓફિસમાં જવુ એ સામાન્ય લોકો માટે સ્વપ્ન સમાન છે. સામાન્ય લોકો સરકારી ઓફિસની બહાર પણ ઉભા રહી શકતા નથી એવામાં એ લોકોને અંદર પ્રવેશ કેવી રીતે મળશે, તમારા પોલીસ કમિશ્નર અને કલેક્ટર ભગવાન હોય એ રીતે વર્તી રહ્યાં છે, અમને વધુ બોલવા માટે મજબૂર ન કરશો. ચીફ જસ્ટિસે કહ્યું કે લોકોને ફરિયાદ માટે કેમ જવું, ક્યાં જવું અને કોને મળવું  એ વાત સ્પષ્ટ કરો. એક વાત સ્પષ્ટ છે કે તમારે કોર્ટના નિર્દેશો લાગુ કરવા પડશે.


શું છે સોલા પોલીસ તોડકાંડ?


અમદાવાદ એરપોર્ટથી બોપલ જઈ રહેલ એક દંપતી પર કેસ કરવાની ધમકી આપી તેની પાસે કેસ ન કરવા પૈસાની માંગણી કરી હતી. જે બાદ પૈસા આપવાનું નક્કી થતા પોલીસ યુવકને ગાડીમાં બેસાડી એટીએમ પાસે લઈ જતા યુવકે રૂપિયા 60 ઉપાડતા પોલીસ દ્વારા યુવક પાસેથી રૂપિયા પડાવી લીધા હતા. જે બાદ આ પોલીસકર્મીઓની લૂંટનો ભાગ બનનારા બોપલના વેપારી મિલન કેલાએ ફરિયાદ કરતા સોલા પોલીસે ટ્રાફીકનાં 3 પોલીસકર્મી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તોડ કાંડમાં સોલા પોલીસે 3 આરોપીઓ પોલીસ કર્મચારીઓની ધરપકડ કરી હતી. ટ્રાફિક એ ડિવિઝનમાં ફરજ બજાવતા ASI મુકેશ ચૌધરી, પોલીસ કોન્સ્ટેબલ અશોક ચૌધરી અને ટીઆરબી જવાન વિશાલ સોલંકીની ધરપકડ કરવામાં આવી હતી. જો કે બાદમાં આ મામલો હાઈકોર્ટમાં પહોંચ્યા હતો. ત્યાર બાદ આજે રાજ્ય સરકાર દ્વારા હાઈકોર્ટમાં સોગંદનામું કર્યું હતું.



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.