અરવલ્લીમાં સર્જાયો ગોઝારો અકસ્માત, દુર્ઘટનામાં થયા ત્રણ લોકોના મોત


  • Published By :
  • Published Date : 2023-02-22 12:22:32

અકસ્માતોની સંખ્યામાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. પ્રતિદિન લોકો અકસ્માતને કારણે પોતાનો જીવ ગુમાવતા હોય છે. એક્સિડન્ટના એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં લોકો મોતને ભેટતા અથવા તો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોય છે. ત્યારે અકસ્માતનો વધુ એક કિસ્સો અરવલ્લીથી સામે આવ્યો છે. જેમાં પરિવારના ત્રણ સભ્યોના મોત થયા છે. કાર અને બાઈક વચ્ચે અકસ્માત થતા આ દુર્ઘટના સર્જાઈ હતી. ત્રણ સભ્યોના જીવ જવાથી પરિવારમાં માતમ છવાઈ ગયો છે.  

 અરવલ્લી: મોડાસા હિંમતનગર હાઈવે પર બુલેટ અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા એક જ પરિવારના ત્રણ લોકોના મોત નિપજ્યા છે. આ ગોઝારા અકસ્માત બાદ સ્ટેટ હાઈવે પર ટ્રાફિકજામ સર્જાયો હતો. સ્થાનિક પોલીસ દ્વારા અકસ્માત અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

 મોડાસાના રસુલપુર પાસે થયેલા અકસ્માતમાં મૃતકોમાં માસી અને ભાણિયા સહિત ત્રણ લોકોના મોત નીપજ્યા છે.

પરિવારમાં વ્યાપી ઉઠી શોકની લાગણી  

રાજ્યમાં અકસ્માતોની સંખ્યા વધી છે. દરરોજ એવા સમાચાર સામે આવતા હોય છે જેમાં અનેક લોકોના મોત થતા હોય છે અથવા તો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોય છે. ત્યારે ગોઝારા અકસ્માતની ઘટના મોડાસા હિંમતનગર હાઈવે પર બની છે. જ્યાં બુલેટ અને કાર વચ્ચે ટક્કર થતાં એક જ પરિવારના ત્રણ સભ્યોના જીવ ગયા છે. જ્યારે એક બાળકની હાલત નાજૂક છે. અકસ્માતમાં માસી ભાણિયા સહિત ત્રણ લોકોના મોત થયા છે. એક સાથે પરિવારના ત્રણ સભ્યોના મોતથી પરિવાર આઘાતમાં છે. પરિવારમાં માતમ છવાઈ ગયું છે. અકસ્માતને પગલે સ્ટેટ હાઈવે પર ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ હતી. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે. 

 આ ગોઝારો અકસ્માત સર્જેલી કાર સિલ્વર રંગની હતી. જેનો નંબર GJ 31R 2568 છે. 

 આ અકસ્માત બાદ આખા રસ્તા પર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઇ હતી. જોકે પોલીસની મદદથી આ પરિસ્થિતિ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો.


પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.