અરવલ્લીમાં સર્જાયો ગોઝારો અકસ્માત, દુર્ઘટનામાં થયા ત્રણ લોકોના મોત


  • Published By :
  • Published Date : 2023-02-22 12:22:32

અકસ્માતોની સંખ્યામાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. પ્રતિદિન લોકો અકસ્માતને કારણે પોતાનો જીવ ગુમાવતા હોય છે. એક્સિડન્ટના એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં લોકો મોતને ભેટતા અથવા તો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોય છે. ત્યારે અકસ્માતનો વધુ એક કિસ્સો અરવલ્લીથી સામે આવ્યો છે. જેમાં પરિવારના ત્રણ સભ્યોના મોત થયા છે. કાર અને બાઈક વચ્ચે અકસ્માત થતા આ દુર્ઘટના સર્જાઈ હતી. ત્રણ સભ્યોના જીવ જવાથી પરિવારમાં માતમ છવાઈ ગયો છે.  

 અરવલ્લી: મોડાસા હિંમતનગર હાઈવે પર બુલેટ અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા એક જ પરિવારના ત્રણ લોકોના મોત નિપજ્યા છે. આ ગોઝારા અકસ્માત બાદ સ્ટેટ હાઈવે પર ટ્રાફિકજામ સર્જાયો હતો. સ્થાનિક પોલીસ દ્વારા અકસ્માત અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

 મોડાસાના રસુલપુર પાસે થયેલા અકસ્માતમાં મૃતકોમાં માસી અને ભાણિયા સહિત ત્રણ લોકોના મોત નીપજ્યા છે.

પરિવારમાં વ્યાપી ઉઠી શોકની લાગણી  

રાજ્યમાં અકસ્માતોની સંખ્યા વધી છે. દરરોજ એવા સમાચાર સામે આવતા હોય છે જેમાં અનેક લોકોના મોત થતા હોય છે અથવા તો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોય છે. ત્યારે ગોઝારા અકસ્માતની ઘટના મોડાસા હિંમતનગર હાઈવે પર બની છે. જ્યાં બુલેટ અને કાર વચ્ચે ટક્કર થતાં એક જ પરિવારના ત્રણ સભ્યોના જીવ ગયા છે. જ્યારે એક બાળકની હાલત નાજૂક છે. અકસ્માતમાં માસી ભાણિયા સહિત ત્રણ લોકોના મોત થયા છે. એક સાથે પરિવારના ત્રણ સભ્યોના મોતથી પરિવાર આઘાતમાં છે. પરિવારમાં માતમ છવાઈ ગયું છે. અકસ્માતને પગલે સ્ટેટ હાઈવે પર ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ હતી. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે. 

 આ ગોઝારો અકસ્માત સર્જેલી કાર સિલ્વર રંગની હતી. જેનો નંબર GJ 31R 2568 છે. 

 આ અકસ્માત બાદ આખા રસ્તા પર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઇ હતી. જોકે પોલીસની મદદથી આ પરિસ્થિતિ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો.


ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.