GPSCની મદદનિશ ઈજનેર અને વૈજ્ઞાનિક અધિકારી (ઔષધ)ની પ્રાથમિક કસોટી મોકુફ, આયોગે આપ્યું આ કારણ


  • Published By :
  • Published Date : 2022-12-21 20:27:38

ગુજરાત જાહેર સેવા આયોગે આજે તેની બે કસોટી મોકુફ રાખવાનો મોટો નિર્ણય લીધો છે. અનેક ઉમેદવારો ઘણા લાંબા સમયથી આ પરીક્ષાની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા. આ પરીક્ષાની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે આ બાબત મોટા ઝટકા સમાન છે. 


આયોગે શા માટે પરીક્ષા મોકુફ રાખી?


ગુજરાત જાહેર સેવા આયોગે તેના દ્વારા લેવાતી પ્રાથમિક કસોટી મોકુફ રાખવાનો મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાત સેવા પસંદગી મંડળની જુનિયર ક્લાર્ક( વહીવટ/હિસાબ) સંવર્ગની પરીક્ષા તારીખ 29 જાન્યુઆરી 2023ના દિવસે યોજાનારી ન ઉમેદવારોના હિતને ધ્યાનમાં રાખીને આ દિવસે યોજાનારી જા. ક. 15/ 2022-23 મદદનિશ ઈજનેર (સિવિલ), વર્ગ-2 તથા જા.ક.17/ 2022-23 પ્રવર વૈજ્ઞાનિક અધિકારી (ઔષધ) વર્ગ-1ની પ્રાથમિક કસોટી હાલ પુરતી મોકુફ રાખવામાં આવી છે. આ પરીક્ષાઓની નવી તારીખ નક્કી થયેલી આયોગની વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે. આયોગે સંબંધિત ઉમેદવારોને વેબસાઈટ જોતા રહેવા માટે અનુરોધ કર્યો છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે