GPSCની મદદનિશ ઈજનેર અને વૈજ્ઞાનિક અધિકારી (ઔષધ)ની પ્રાથમિક કસોટી મોકુફ, આયોગે આપ્યું આ કારણ


  • Published By :
  • Published Date : 2022-12-21 20:27:38

ગુજરાત જાહેર સેવા આયોગે આજે તેની બે કસોટી મોકુફ રાખવાનો મોટો નિર્ણય લીધો છે. અનેક ઉમેદવારો ઘણા લાંબા સમયથી આ પરીક્ષાની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા. આ પરીક્ષાની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે આ બાબત મોટા ઝટકા સમાન છે. 


આયોગે શા માટે પરીક્ષા મોકુફ રાખી?


ગુજરાત જાહેર સેવા આયોગે તેના દ્વારા લેવાતી પ્રાથમિક કસોટી મોકુફ રાખવાનો મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાત સેવા પસંદગી મંડળની જુનિયર ક્લાર્ક( વહીવટ/હિસાબ) સંવર્ગની પરીક્ષા તારીખ 29 જાન્યુઆરી 2023ના દિવસે યોજાનારી ન ઉમેદવારોના હિતને ધ્યાનમાં રાખીને આ દિવસે યોજાનારી જા. ક. 15/ 2022-23 મદદનિશ ઈજનેર (સિવિલ), વર્ગ-2 તથા જા.ક.17/ 2022-23 પ્રવર વૈજ્ઞાનિક અધિકારી (ઔષધ) વર્ગ-1ની પ્રાથમિક કસોટી હાલ પુરતી મોકુફ રાખવામાં આવી છે. આ પરીક્ષાઓની નવી તારીખ નક્કી થયેલી આયોગની વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે. આયોગે સંબંધિત ઉમેદવારોને વેબસાઈટ જોતા રહેવા માટે અનુરોધ કર્યો છે. 



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.