GPSCની મદદનિશ ઈજનેર અને વૈજ્ઞાનિક અધિકારી (ઔષધ)ની પ્રાથમિક કસોટી મોકુફ, આયોગે આપ્યું આ કારણ


  • Published By :
  • Published Date : 2022-12-21 20:27:38

ગુજરાત જાહેર સેવા આયોગે આજે તેની બે કસોટી મોકુફ રાખવાનો મોટો નિર્ણય લીધો છે. અનેક ઉમેદવારો ઘણા લાંબા સમયથી આ પરીક્ષાની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા. આ પરીક્ષાની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે આ બાબત મોટા ઝટકા સમાન છે. 


આયોગે શા માટે પરીક્ષા મોકુફ રાખી?


ગુજરાત જાહેર સેવા આયોગે તેના દ્વારા લેવાતી પ્રાથમિક કસોટી મોકુફ રાખવાનો મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાત સેવા પસંદગી મંડળની જુનિયર ક્લાર્ક( વહીવટ/હિસાબ) સંવર્ગની પરીક્ષા તારીખ 29 જાન્યુઆરી 2023ના દિવસે યોજાનારી ન ઉમેદવારોના હિતને ધ્યાનમાં રાખીને આ દિવસે યોજાનારી જા. ક. 15/ 2022-23 મદદનિશ ઈજનેર (સિવિલ), વર્ગ-2 તથા જા.ક.17/ 2022-23 પ્રવર વૈજ્ઞાનિક અધિકારી (ઔષધ) વર્ગ-1ની પ્રાથમિક કસોટી હાલ પુરતી મોકુફ રાખવામાં આવી છે. આ પરીક્ષાઓની નવી તારીખ નક્કી થયેલી આયોગની વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે. આયોગે સંબંધિત ઉમેદવારોને વેબસાઈટ જોતા રહેવા માટે અનુરોધ કર્યો છે. 



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.