GPSCની મદદનિશ ઈજનેર અને વૈજ્ઞાનિક અધિકારી (ઔષધ)ની પ્રાથમિક કસોટી મોકુફ, આયોગે આપ્યું આ કારણ


  • Published By :
  • Published Date : 2022-12-21 20:27:38

ગુજરાત જાહેર સેવા આયોગે આજે તેની બે કસોટી મોકુફ રાખવાનો મોટો નિર્ણય લીધો છે. અનેક ઉમેદવારો ઘણા લાંબા સમયથી આ પરીક્ષાની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા. આ પરીક્ષાની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે આ બાબત મોટા ઝટકા સમાન છે. 


આયોગે શા માટે પરીક્ષા મોકુફ રાખી?


ગુજરાત જાહેર સેવા આયોગે તેના દ્વારા લેવાતી પ્રાથમિક કસોટી મોકુફ રાખવાનો મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાત સેવા પસંદગી મંડળની જુનિયર ક્લાર્ક( વહીવટ/હિસાબ) સંવર્ગની પરીક્ષા તારીખ 29 જાન્યુઆરી 2023ના દિવસે યોજાનારી ન ઉમેદવારોના હિતને ધ્યાનમાં રાખીને આ દિવસે યોજાનારી જા. ક. 15/ 2022-23 મદદનિશ ઈજનેર (સિવિલ), વર્ગ-2 તથા જા.ક.17/ 2022-23 પ્રવર વૈજ્ઞાનિક અધિકારી (ઔષધ) વર્ગ-1ની પ્રાથમિક કસોટી હાલ પુરતી મોકુફ રાખવામાં આવી છે. આ પરીક્ષાઓની નવી તારીખ નક્કી થયેલી આયોગની વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે. આયોગે સંબંધિત ઉમેદવારોને વેબસાઈટ જોતા રહેવા માટે અનુરોધ કર્યો છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.