ફરી એક વખત મોકૂફ રખાઈ GPSCની પરીક્ષા! જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં લેવાવાની હતી પરીક્ષા, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-06 13:00:59

ગુજરાત સરકારમાં નોકરી માટે પરીક્ષાની તૈયારીઓ કરી રહેલા વિદ્યાર્થીઓ માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવાતી પરીક્ષાને મોકૂફ રાખવામાં આવી છે. રાજ્યમાં ભરતી માટેની પરીક્ષાનું આયોજન કરતી ગુજરાત જાહેર સેવા આયોગે ચાર જેટલી પ્રિલિમ પરીક્ષાઓને મોકુફ રાખવાનો નિર્ણય લીધો છે. જે પરીક્ષાઓને મોકૂફ રાખવામાં આવી છે તેમાં ઈજનેર વિભાગના વર્ગ-1,2 અને 3 ની પરીક્ષાનો સમાવેશ થાય છે. આ 4 પ્રિલિમની પરીક્ષા જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં લેવાની હતી. મોકુફ રાખેલી પરીક્ષાઓની નવી તારીખ જીપીએસસી ટૂંક સમયમાં આ અંગેની જાહેરાત કરવામાં આવશે. મહત્વનું છે કે આની પહેલા પણ પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. 

ટૂંક સમયમાં જાહેર થઈ શકે છે નવી તારીખ 

પ્રાપ્ત વિગતો પ્રમાણે ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે જીપીએસસી દ્વારા આગામી જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં યોજાનાર ભૂમિ મોજણી અધિકારી વર્ગ 1 અને 2 તેમજ નાયબ કાર્યપાલક ઈજનેર (યાંત્રિક)- વર્ગ-2  અને અધિક મદદનીશ ઈજનેર (સિવિલ) વર્ગ-3ની પરીક્ષા હાલ મોકુફ રાખવામાં આવી છે. ટૂંક સમયમાં નવી તારીખ જાહેર કરવામાં આવશે તેવી માહિતી સામે આવી છે. 



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી