ફરી એક વખત મોકૂફ રખાઈ GPSCની પરીક્ષા! જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં લેવાવાની હતી પરીક્ષા, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-06 13:00:59

ગુજરાત સરકારમાં નોકરી માટે પરીક્ષાની તૈયારીઓ કરી રહેલા વિદ્યાર્થીઓ માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવાતી પરીક્ષાને મોકૂફ રાખવામાં આવી છે. રાજ્યમાં ભરતી માટેની પરીક્ષાનું આયોજન કરતી ગુજરાત જાહેર સેવા આયોગે ચાર જેટલી પ્રિલિમ પરીક્ષાઓને મોકુફ રાખવાનો નિર્ણય લીધો છે. જે પરીક્ષાઓને મોકૂફ રાખવામાં આવી છે તેમાં ઈજનેર વિભાગના વર્ગ-1,2 અને 3 ની પરીક્ષાનો સમાવેશ થાય છે. આ 4 પ્રિલિમની પરીક્ષા જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં લેવાની હતી. મોકુફ રાખેલી પરીક્ષાઓની નવી તારીખ જીપીએસસી ટૂંક સમયમાં આ અંગેની જાહેરાત કરવામાં આવશે. મહત્વનું છે કે આની પહેલા પણ પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. 

ટૂંક સમયમાં જાહેર થઈ શકે છે નવી તારીખ 

પ્રાપ્ત વિગતો પ્રમાણે ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે જીપીએસસી દ્વારા આગામી જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં યોજાનાર ભૂમિ મોજણી અધિકારી વર્ગ 1 અને 2 તેમજ નાયબ કાર્યપાલક ઈજનેર (યાંત્રિક)- વર્ગ-2  અને અધિક મદદનીશ ઈજનેર (સિવિલ) વર્ગ-3ની પરીક્ષા હાલ મોકુફ રાખવામાં આવી છે. ટૂંક સમયમાં નવી તારીખ જાહેર કરવામાં આવશે તેવી માહિતી સામે આવી છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.