GPSCએ આ પોસ્ટ માટે ભરતીની કરી જાહેરાત, અરજી કરવાની આ છે છેલ્લી તારીખ, જાણો વિગતો


  • Published By :
  • Published Date : 2023-06-23 12:50:09

ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે જીપીએસસીએ વર્ગ 2ની 88 જેટલી ભરતી બહાર પાડી છે.  ગુજરાત જાહેર સેવા આયોગે વર્ગ 2ની ભરતીની જાહેરાત કરી છે. ગ્રેજન્યુએટ અને પોસ્ટ ગ્રેજન્યુએટની ડિગ્રી ધરાવતા અભ્યાર્થીઓ 30 જૂન સુધીમાં અરજી કરી શકશે. આ પરીક્ષાની પ્રાથમિક કસોટીમાં 300 ગુણ અને રૂબરુ મુલાકાતના 100 ગુણ રહેશે. બંનેની વાત કરીએ તો પ્રાથમિક કસોટીના 50 ટકા અને રુબરુ મુલકાતના 50 ટકા કાઢીને જે ટકા આવે તે મુજબ ગુણના આધારે વિદ્યાર્થીઓને પસંદ કરવામાં આવશે. ટૂંકમાં બંનેના ટકાના વેઈટેજ મુજબ પસંદગી થશે. 


આ ઉમેદવારોને નહીં બોલાવામાં આવે ઈન્ટરવ્યુ માટે 

પ્રાથમિક કસોટીની એટલે કે પ્રીલિમ્સની વાત કરીએ તો 100 ગુણ સામાન્ય અભ્યાસના રહેશે. બાકી 200 ગુણ જે તે વિષયની પરીક્ષા હશે તેના પૂછાશે. જે જૂની સિસ્ટમ છે તે પ્રમાણે જ રહેશે. પ્રાથમિક પરીક્ષામાંથી  જે ઉમેદવારને  25 ટકાથી ઓછા ગુણ આવશે તેને ઈન્ટરવ્યૂ માટે બોલાવામાં નહીં આવે. જેને પ્રિલીમ્સમાં 25 ટકાથી વધુ ગુણ હશે તેને રૂબરુ મુલાકાત માટે બોલાવામાં આવશે.


આ વિષયોનો છે સમાવેશ 

ભરતી માટે ડિગ્રીની લાયકાત, બાકીની તારીખો, પસંદગી પ્રક્રિયાની બાકીની વિગત વગેરે જીપીએસસીની વેબસાઈટ પર મૂકવામાં આવી છે. વિષયોની વાત કરીએ તો કાર્ડિયોલોજી પ્રોફેસર, આસિસ્ટન્ટ મિકેનિકલ એન્જિનિયર વર્ગ 2, ન્યૂરોલોજી પ્રોફેસર, વગેરે જેવી પોસ્ટ પર ભરતી કરવામાં આવશે. ટૂંકમાં મેડિકલ અને એન્જિનિયર વિભાગની ભરતી છે. તો જેટલા પણ મિત્રો આ વિષયો માટે સરકારી પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તે ફરી પુસ્તકો લઈને બેસી જજો. પરીક્ષા આવી ગઈ છે. જો હજુ પણ કોઈ મુંજવણ હોય તો ફરીથી કહું છું જીપીએસસીની વેબસાઈટ પર બધુ મૂકવામાં જ આવ્યું છે ત્યાંથી જોઈ શકાશે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.