GPSC પ્રિલિમરી પરીક્ષા મામલે હાઈકોર્ટનો મોટો ચુકાદો, પરિણામ હવે થશે રિવાઈઝ, કેટલાક ઉમેદવારો મેઈન્સમાં બેસી શકશે


  • Published By :
  • Published Date : 2023-09-20 22:29:45

ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC)ની પરીક્ષા આપનાર ઉમેદવારોના હિતમાં ગુજરાત હાઈકોર્ટે મોટો ચુકાદો આપ્યો છે.  ગુજરાત જાહેર સેવા આયોગની પ્રિલિમરી પરીક્ષાનું પરિણામ હવે રિવાઈઝ કરવાનો હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે. ગુજરાત હાઈકોર્ટના ચુકાદા બાદ પરિણામને રિવાઈઝ કરવાની GPSCને ફરજ પડશે. GPSC દ્વારા ફાઈનલ આન્સર કી જાહેર કર્યા બાદ પરિણામ જાહેર કરવાનો પણ હાઈકોર્ટે આદેશ કર્યો છે. હાઈકોર્ટના આ ચુકાદાથી વધુ કેટલાક ઉમેદવારો મેઈન્સની પરીક્ષામાં બેસી શકશે.


ઉમેદવારોના હિતમાં મોટો ચુકાદો


હોઈકોર્ટનો આ ચુકાદાથી GPSC પરીક્ષા આપતા ઉમેદવારોને મોટો ફાયદો થશે. પ્રિલિમરી પરીક્ષાનું પરિણામ રિવાઈઝ થવાથી વધુ ઉમેદવારો મેઈન્સ પરીક્ષામાં આપી શકશે. આ સમગ્ર બાબતની ઉમેદવારોની પણ લાંબા સમયથી માંગ હતી.  


ઉમેદવારોએ કરી હતી હાઈકોર્ટમાં અરજી


હાઈકોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે નેગેટિવ માર્કિંગના કારણે ઉમેદવારોના ખોટી રીતે માર્ક કપાયા હતા. એટલું જ નહીં ફાઈનલ આન્સર કીના જવાબોમાં પણ વિસંગતતા હોવાનો પણ દાવો કરાયો હતો. જે બાદ આ મામલે આજે હાઈકોર્ટમાં સુનાવણી યોજાઈ હતી. જેમાં કોર્ટે અરજદારોની પ્રાથમિક રજૂઆતોને સાંભળી હતી. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.