અનાજ, ખાદ્યતેલ અને શાકભાજીના ભાવે દઝાડ્યા, ટામેટા, આદું બાદ હવે મરચા વધુ તીખા થયા


  • Published By :
  • Published Date : 2023-07-07 14:15:37

દેશમાં આસમાને પહોંચેલી મોઘવારીના કારણે સામાન્ય લોકોની હાલત કફોડી બની છે. જીવન જરૂરિયાતની તમામ ચીજોના ભાવ પહેલા કરતા બેગણા થઈ ગયા છે. અનાજ, કઠોળ, ખાદ્યતેલ, શાકભાજી, ટામેટા, આદું અને હવે મરચાના ભાવમાં રેકોર્ડ વધારો થયો છે. દેશના વિવિધ ભાગોમાં ભારે વરસાદને કારણે સપ્લાય ચેઇનમાં વિક્ષેપ સર્જાતા આ શાકભાજીના ભાવ વધ્યા છે. 


તમામ શાકભાજીના ભાવ આસમાને


દેશમાં તમામ શાકભાજીના ભાવમાં બેફામ વધારો થયો છે. કોબિજ, મરચા, આદુ, ટામેટા, કોથમિર,ફુલાવર, બટેટા અને ડુંગળી ઉપરાંત અન્ય શાકભાજી પણ સામાન્ય કરતાં મોંઘા થયા છે. ગાઝીપુરના એક શાકભાજી વિક્રેતા અનુસાર, વરસાદને કારણે ટામેટાંનો પુરવઠો ઓછો થયો છે. તેમણે કહ્યું કે લોકો ટામેટાં ખરીદવા પણ આવતા નથી. શાકભાજી વિક્રેતાઓએ કહ્યું કે જો તમે સારી ગુણવત્તાવાળા ટામેટાં ખરીદવા માંગતા હોવ તો તેની કિંમત 120 રૂપિયા પ્રતિ કિલો છે. તેમણે કહ્યું કે તેની કિંમતો ક્યારે ઘટશે તે ખબર નથી.


લીલા મરચા વધુ તીખા થયા


શાકભાજી માર્ટેમાં છૂટક લીલા મરચાની કિંમત રૂપિયા 80-200 સુધી પહોંચી ગઈ છે. જ્યારે કોલકાતામાં મરચાનો ભાવ રૂપિયા 400 થઈ ગયા છે. ટમેટાના ભાવે આર્થિક સ્તર પર સ્થિતિને લાલ કર્યા બાદ હવે મરચાએ સ્વાદમાંથી તિખાશ છીનવી છે. દિલ્હીમાં ટમેટાના ભાવ રૂપિયા 100થી 150 બોલાઈ રહ્યા છે. જ્યારે NCRમાં 120થી 150 રૂપિયા સુધી ભાવ ચાલે છે. શિમલામાં ટામેટા 100 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. આ સિવાય કેપ્સિકમ, કોળું, કોબી અને રીંગણ ઉંચા ભાવે વેચાઈ રહ્યા છે. બીજી બાજુ આદુની કિંમતમાં પણ અચાનક ભાવ વધારો થતા જથ્થાબંધમાં ભાવ ઉછળીને 240 રૂપિયા સુધી થઈ ગયો છે. જ્યારે છૂટક માર્કેટમાં એનો ભાવ 260થી 300 ચાલે છે. 


ભાવમાં હજુ વધારાની આશંકા


દેશમાં મરચાનો પાક નિષ્ફળ ગયો હોવાનું જાણવા મળ્યું છે. જેના કારણે સપ્લાયને અસર પહોંચી છે. સ્ટોક ઓછો અને ભાવ વધારે છે. જેથી કિંમત યુદ્ધના ધોરણે આસમાન સુધી પહોંચી છે. ચોમાસુ સીઝન હોવા છતા શાકભાજીના ભાવ ઘટવાના બદલે વધી રહ્યો છે. એ પાછળનું કારણ ખેતિમાં નુકસાની હોવાનું જાણવા મળે છે. આગામી એક અઠવાડિયા સુધી શાકભાજીની કોમોડિટીમાં ભાવ ઘટાડાના કોઈ સંકેત નથી.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.