અનાજ, ખાદ્યતેલ અને શાકભાજીના ભાવે દઝાડ્યા, ટામેટા, આદું બાદ હવે મરચા વધુ તીખા થયા


  • Published By :
  • Published Date : 2023-07-07 14:15:37

દેશમાં આસમાને પહોંચેલી મોઘવારીના કારણે સામાન્ય લોકોની હાલત કફોડી બની છે. જીવન જરૂરિયાતની તમામ ચીજોના ભાવ પહેલા કરતા બેગણા થઈ ગયા છે. અનાજ, કઠોળ, ખાદ્યતેલ, શાકભાજી, ટામેટા, આદું અને હવે મરચાના ભાવમાં રેકોર્ડ વધારો થયો છે. દેશના વિવિધ ભાગોમાં ભારે વરસાદને કારણે સપ્લાય ચેઇનમાં વિક્ષેપ સર્જાતા આ શાકભાજીના ભાવ વધ્યા છે. 


તમામ શાકભાજીના ભાવ આસમાને


દેશમાં તમામ શાકભાજીના ભાવમાં બેફામ વધારો થયો છે. કોબિજ, મરચા, આદુ, ટામેટા, કોથમિર,ફુલાવર, બટેટા અને ડુંગળી ઉપરાંત અન્ય શાકભાજી પણ સામાન્ય કરતાં મોંઘા થયા છે. ગાઝીપુરના એક શાકભાજી વિક્રેતા અનુસાર, વરસાદને કારણે ટામેટાંનો પુરવઠો ઓછો થયો છે. તેમણે કહ્યું કે લોકો ટામેટાં ખરીદવા પણ આવતા નથી. શાકભાજી વિક્રેતાઓએ કહ્યું કે જો તમે સારી ગુણવત્તાવાળા ટામેટાં ખરીદવા માંગતા હોવ તો તેની કિંમત 120 રૂપિયા પ્રતિ કિલો છે. તેમણે કહ્યું કે તેની કિંમતો ક્યારે ઘટશે તે ખબર નથી.


લીલા મરચા વધુ તીખા થયા


શાકભાજી માર્ટેમાં છૂટક લીલા મરચાની કિંમત રૂપિયા 80-200 સુધી પહોંચી ગઈ છે. જ્યારે કોલકાતામાં મરચાનો ભાવ રૂપિયા 400 થઈ ગયા છે. ટમેટાના ભાવે આર્થિક સ્તર પર સ્થિતિને લાલ કર્યા બાદ હવે મરચાએ સ્વાદમાંથી તિખાશ છીનવી છે. દિલ્હીમાં ટમેટાના ભાવ રૂપિયા 100થી 150 બોલાઈ રહ્યા છે. જ્યારે NCRમાં 120થી 150 રૂપિયા સુધી ભાવ ચાલે છે. શિમલામાં ટામેટા 100 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. આ સિવાય કેપ્સિકમ, કોળું, કોબી અને રીંગણ ઉંચા ભાવે વેચાઈ રહ્યા છે. બીજી બાજુ આદુની કિંમતમાં પણ અચાનક ભાવ વધારો થતા જથ્થાબંધમાં ભાવ ઉછળીને 240 રૂપિયા સુધી થઈ ગયો છે. જ્યારે છૂટક માર્કેટમાં એનો ભાવ 260થી 300 ચાલે છે. 


ભાવમાં હજુ વધારાની આશંકા


દેશમાં મરચાનો પાક નિષ્ફળ ગયો હોવાનું જાણવા મળ્યું છે. જેના કારણે સપ્લાયને અસર પહોંચી છે. સ્ટોક ઓછો અને ભાવ વધારે છે. જેથી કિંમત યુદ્ધના ધોરણે આસમાન સુધી પહોંચી છે. ચોમાસુ સીઝન હોવા છતા શાકભાજીના ભાવ ઘટવાના બદલે વધી રહ્યો છે. એ પાછળનું કારણ ખેતિમાં નુકસાની હોવાનું જાણવા મળે છે. આગામી એક અઠવાડિયા સુધી શાકભાજીની કોમોડિટીમાં ભાવ ઘટાડાના કોઈ સંકેત નથી.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.