રાજ્ય સરકાર શરૂ કરશે ટેકાના ભાવે અનાજની ખરીદી, આ તારીખથી શરૂ થશે નોંધણી પ્રક્રિયા


  • Published By :
  • Published Date : 2023-02-08 13:02:39

રાજ્યના ખેડુતો માટે સારા સમાચાર આવ્યા છે, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળી હતી. જેમાં રાજ્ય સરકાર ટેકાના ભાવે અનાજની ખરીદી શરૂ કરશે તે અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. કેબિનેટની બેઠક બાદ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ અંગે માહિતી આપી હતી. તેમણે ટેકાના ભાવને લઈ કહ્યું હતું કે, સરકાર ચણા, રાયડો, તુવેરની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવા જઈ રહી છે. 


10 માર્ચથી શરૂ થશે ખરીદી


રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલએ જણાવ્યું હતું કે, આગામી 10 માર્ચથી ટેકાના ભાવે ખરીદી શરૂ થશે. સરકાર ચણા, રાયડો, તુવેરની ટેકાના ભાવે ખરીદી શરૂ કરશે, આ માટે આગામી 28 ફેબ્રુઆરી સુધી રજીસ્ટ્રેશન થશે. 


VCEનો ખર્ચ સરકાર ભોગવશે


સમગ્ર રાજ્યના તમામ ઇ-ગ્રામ કેન્દ્રો પર VCE દ્વારા તા.28 ફેબ્રુઆરી- 2023 સુધી નાફેડના ઇ-સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી કરવામાં આવશે. મહત્વની બાબત એ છે કે ખેડૂતો પાસેથી ટેકાના ભાવથી ખરીદી માટે સમગ્ર રાજ્યમાં ગ્રામ્યકક્ષાએ ખેડૂતો આ નોંધણી વિનામૂલ્યે કરાવી શકશે જે માટે VCEના મહેનતાણાનો ખર્ચ રાજય સરકાર ભોગવશે.



પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદન બાદ છેડાયેલો વિવાદ શાંત થવાનું નામ જ નથી લઈ રહ્યું. આજે બેઠક થવાની છે તેની પહેલા કરણી સેનાના મહિલા મોરચાના અધ્યક્ષ પદ્મિનીબાનો એક ઓડિયો ક્લીપ સામે આવ્યો છે.

દીકરી અને પિતાના સંબંધનું વર્ણન થાય તેમ નથી.. દીકરીની ઈચ્છા પૂરી કરવા માટે પિતા ગમે તે હદ સુધી જઈ શકે છે.. ત્યારે સાહિત્યના સમીપમાં દીકરીને સમર્પિત રચના પ્રસ્તુત કરવી છે.

ગુજરાતની 26 બેઠકો માટે ભાજપ દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી ગઈ છે જ્યારે કોંગ્રેસ દ્વારા 7 બેઠકો માટે ઉમેદવાર નથી જાહેર કરવામાં આવ્યા. આવતી કાલે કોંગ્રેસ ઉમેદવારોના નામની જાહેરાત કરી શકે છે તેવી માહિતી સામે આવી છે.

ગુજરાતમાં દારૂબંધી છે. પરંતુ આપણી અનેક વખત એવા દ્રશ્યો સામે આવતા હોય છે જેમાં આ કાયદાના લીરેલીરો ઉડતા હોય છે. ત્યારે કચ્છના ગાંધીધામથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં દેશી દારૂનો અડ્ડો ધમધમી રહ્યો છે.