અહો આશ્ચર્યમ: મગફળીનું મબલખ ઉત્પાદન છતાં સિંગતેલના ભાવ વધ્યાં, જાણો કેટલો વધારો થયો


  • Published By :
  • Published Date : 2023-06-27 14:00:46

આગામી દિવસોમાં તહેવારોની સીઝન શરૂ થવાની છે, ત્યારે મોંઘવારી આસમાને પહોંચી છે. અનાજ, શાકભાજી, બાદ ખાદ્યતેલમાં પણ ફરી એક વખત ભાવ વધારો થયો છે. સતત વધી રહેલા ખાદ્યતેલના ભાવથી સામાન્ય માણસ માટે જીવવું મુશ્કેલ બની રહ્યું છે. આજે સીંગતેલ, કપાસિયા અને પામોલિન તેલના ભાવમાં ડબ્બે 20 રૂપિયાનો વધારો થયો છે.


કેટલો વધ્યો ડબ્બાનો ભાવ?


વર્ષ 2023ની શરૂઆતથી જ ખાદ્ય તેલોના ભાવ સતત વધી રહ્યા છે. સિંગતેલ, કપાસિયા તેલના ભાવનો ગ્રાફ સતત વધતો જોવા મળી રહ્યો છે. પહેલાથી જ લોકો માટે રસોઈ માટે તેલનો ઉપયોગ મોંઘો બન્યો છે. ત્યારે ફરી એકવાર મોંઘવારીનો માર પડ્યો છે. આજે સીંગતેલના ડબ્બાનો ભાવ 2800 થી વધી 2820 થયો છે. જ્યારે કપાસિયા ડબ્બાનો ભાવ 1675 થી વધીને 1695 થયો છે. તો પામોલિન તેલનો ભાવ 1420 થી 1440 થયો છે.


કૃત્રિમ ભાવ વધારો છે?


ખાદ્યતેલના ભાવ વધારો પ્રથમ દ્રષ્ટીએ જ કૃત્રિમ હોય તેવું જણાય છે. કારણ કે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ધૂમ આવક છે, તેમ છતાં સિંગતેલના ભાવમાં તેજી જોવા મળી રહી છે. ખેડૂતોને રૂ. 1300 થી 1650 સુધીના ભાવ માર્કેટ યાર્ડમાં મળી રહ્યા છે. દરરોજ 10 થી 12 હજાર ગુણી મગફળીની આવક બેડી માર્કેટ યાર્ડમાં થઈ રહી છે. જોકે સિંગતેલ માટે મગફળી પિલાણ માટે ન આવતી હોવાથી સિંગતેલના ભાવમાં વધારો થઈ રહ્યો હતો. પરંતુ હવે ઉલટી ગંગા વહી રહી છે. 






ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.