અહો આશ્ચર્યમ: મગફળીનું મબલખ ઉત્પાદન છતાં સિંગતેલના ભાવ વધ્યાં, જાણો કેટલો વધારો થયો


  • Published By :
  • Published Date : 2023-06-27 14:00:46

આગામી દિવસોમાં તહેવારોની સીઝન શરૂ થવાની છે, ત્યારે મોંઘવારી આસમાને પહોંચી છે. અનાજ, શાકભાજી, બાદ ખાદ્યતેલમાં પણ ફરી એક વખત ભાવ વધારો થયો છે. સતત વધી રહેલા ખાદ્યતેલના ભાવથી સામાન્ય માણસ માટે જીવવું મુશ્કેલ બની રહ્યું છે. આજે સીંગતેલ, કપાસિયા અને પામોલિન તેલના ભાવમાં ડબ્બે 20 રૂપિયાનો વધારો થયો છે.


કેટલો વધ્યો ડબ્બાનો ભાવ?


વર્ષ 2023ની શરૂઆતથી જ ખાદ્ય તેલોના ભાવ સતત વધી રહ્યા છે. સિંગતેલ, કપાસિયા તેલના ભાવનો ગ્રાફ સતત વધતો જોવા મળી રહ્યો છે. પહેલાથી જ લોકો માટે રસોઈ માટે તેલનો ઉપયોગ મોંઘો બન્યો છે. ત્યારે ફરી એકવાર મોંઘવારીનો માર પડ્યો છે. આજે સીંગતેલના ડબ્બાનો ભાવ 2800 થી વધી 2820 થયો છે. જ્યારે કપાસિયા ડબ્બાનો ભાવ 1675 થી વધીને 1695 થયો છે. તો પામોલિન તેલનો ભાવ 1420 થી 1440 થયો છે.


કૃત્રિમ ભાવ વધારો છે?


ખાદ્યતેલના ભાવ વધારો પ્રથમ દ્રષ્ટીએ જ કૃત્રિમ હોય તેવું જણાય છે. કારણ કે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ધૂમ આવક છે, તેમ છતાં સિંગતેલના ભાવમાં તેજી જોવા મળી રહી છે. ખેડૂતોને રૂ. 1300 થી 1650 સુધીના ભાવ માર્કેટ યાર્ડમાં મળી રહ્યા છે. દરરોજ 10 થી 12 હજાર ગુણી મગફળીની આવક બેડી માર્કેટ યાર્ડમાં થઈ રહી છે. જોકે સિંગતેલ માટે મગફળી પિલાણ માટે ન આવતી હોવાથી સિંગતેલના ભાવમાં વધારો થઈ રહ્યો હતો. પરંતુ હવે ઉલટી ગંગા વહી રહી છે. 






ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.