અચ્છે દિન ગયે: સિંગતેલના ભાવમાં ભડકો, ડબ્બાની કિંમત 30 રૂપિયા વધીને 2670


  • Published By :
  • Published Date : 2022-12-13 14:51:52

મોંઘવારી આસમાને પહોંચી છે, જીવન જરૂરીયાતની તમામ ચીજોના ભાવ બેફામ રીતે વધી રહ્યા છે. મોંઘવારીના મારથી ત્રસ્ત મધ્યમ વર્ગ માટે જીવવુ મુશ્કેલ બન્યું છે. અસહ્ય મોંઘવારીથી મધ્યમવર્ગની કમર તુટી ગઈ છે. ખાદ્ય ચીજવસ્તુઓના ફુગાવાના દરમાં ધરખમ વધારો થયો છે. જેમ કે સીંગતેલના ડબ્બાની કિંમતમાં પણ આગ લાગી છે.


સિંગતેલના ભાવ કેટલા વધ્યા?


રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પૂરી થતાં જ સિંગતેલના ભાવમાં વધારો થયો છે. સીંગતેલનાં ડબ્બાનો ભાવ 30 રૂપિયા વધીને 2670 થયો છે. ચૂંટણી દરમિયાન ભાવ સ્થિર રહ્યા હતા જો કે હવે 12 દિવસ બાદ ફરી ભાવમાં તેજ વધારો જોવા મળ્યો છે. જોવાની વાત તો એ છે કે સૌરાષ્ટ્રમાં મગફળીનું વિપુલ ઉત્પાદન થયું છે અને રાજકોટમાં ઓઇલ મિલોમાં મગફળીનું પીલાણ થઈ રહ્યું હોવા છતાં ભાવ વધ્યા છે. સિંગતેલના પ્રતિ ડબ્બાએ 30 રૂપિયાનો વધારો થયો છે. સિંગતેલના ડબ્બાનો ભાવ 2645-2650 થી વધીને 2670-2675 સુધી પહોંચ્યો છે. જ્યારે કપાસિયા તેલના ભાવમાં ઘટાડો થયો છે. કપાસિયા તેલનો ડબ્બો 2175 થી 2785ના ભાવે બજારમાં ઉપલબ્ધ છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.