અચ્છે દિન ગયે: સિંગતેલના ભાવમાં ભડકો, ડબ્બાની કિંમત 30 રૂપિયા વધીને 2670


  • Published By :
  • Published Date : 2022-12-13 14:51:52

મોંઘવારી આસમાને પહોંચી છે, જીવન જરૂરીયાતની તમામ ચીજોના ભાવ બેફામ રીતે વધી રહ્યા છે. મોંઘવારીના મારથી ત્રસ્ત મધ્યમ વર્ગ માટે જીવવુ મુશ્કેલ બન્યું છે. અસહ્ય મોંઘવારીથી મધ્યમવર્ગની કમર તુટી ગઈ છે. ખાદ્ય ચીજવસ્તુઓના ફુગાવાના દરમાં ધરખમ વધારો થયો છે. જેમ કે સીંગતેલના ડબ્બાની કિંમતમાં પણ આગ લાગી છે.


સિંગતેલના ભાવ કેટલા વધ્યા?


રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પૂરી થતાં જ સિંગતેલના ભાવમાં વધારો થયો છે. સીંગતેલનાં ડબ્બાનો ભાવ 30 રૂપિયા વધીને 2670 થયો છે. ચૂંટણી દરમિયાન ભાવ સ્થિર રહ્યા હતા જો કે હવે 12 દિવસ બાદ ફરી ભાવમાં તેજ વધારો જોવા મળ્યો છે. જોવાની વાત તો એ છે કે સૌરાષ્ટ્રમાં મગફળીનું વિપુલ ઉત્પાદન થયું છે અને રાજકોટમાં ઓઇલ મિલોમાં મગફળીનું પીલાણ થઈ રહ્યું હોવા છતાં ભાવ વધ્યા છે. સિંગતેલના પ્રતિ ડબ્બાએ 30 રૂપિયાનો વધારો થયો છે. સિંગતેલના ડબ્બાનો ભાવ 2645-2650 થી વધીને 2670-2675 સુધી પહોંચ્યો છે. જ્યારે કપાસિયા તેલના ભાવમાં ઘટાડો થયો છે. કપાસિયા તેલનો ડબ્બો 2175 થી 2785ના ભાવે બજારમાં ઉપલબ્ધ છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.