સિંગતેલમાં 20 રૂપિયાનો ભાવ વધારો, ડબ્બાની કિંમત 3100ને પાર પહોંચી


  • Published By :
  • Published Date : 2023-08-08 20:06:38

દેશમાં મોંઘવારી આસમાને પહોંચી છે, જીવન જરૂરિયાતની લગભગ તમામ ચીજોના ભાવમાં તોંતિગ વધારો થયો છે. અનાજ, કઠોળ, શાકભાજી, ફળો અને ખાદ્યતેલના ભાવમાં કમર તોડ વધારો થયો છે. સામાન્ય માણસ માટે બે છેડા ભેગા કરવા મુશ્કેલ બન્યા છે. રાજ્યમાં આગામી દિવસોમાં તહેવારોની સીઝન શરૂ થવાની છે ત્યારે સિંગતેલના ભાવમાં ફરી એકવખત ભડકો થયો છે. 


સિંગતેલમાં 20 રૂપિયાનો વધારો


રાજ્યમાં તહેવારો પહેલા જ સિંગતેલની કિંમતમાં પ્રતિ ડબ્બે આજે  20 રૂપિયાનો વધારો થતાં ગૃહીણીઓમાં દેકારો બોલી ગયો છે. આજે 20 રૂપિયાનો વધારો થતાંની સાથે જ ડબ્બાની કિંમત 3100ને પાર પહોંચી છે. આ સાથે જ કપાસિયા તેલનો ભાવ 1735 અને સરસવ તેલનો ભાવ 1710 રૂપિયા થયો છે. ખાદ્યતેલના ડબ્બાનો ભાવના ભાવમાં ભાવો વધતા મધ્યમ અને ગરીબ વર્ગના લોકોનું બજેટ ખોરવાઈ ગયું છે.   તેલના ભાવ વધવાના કારણે ફરસાણ પણ મોંઘું બનશે. અધિક શ્રાવણ માસ શરૂ થવાની સાથે જ સિંગતેલના ભાવમાં તેજી આવી છે, તેથી ઉપવાસ પણ મોંઘા બન્યા છે. 


છેલ્લા એક વર્ષથી સતત ભાવ વધ્યા


ગત નવા વર્ષની શરૂઆતથી જ ખાદ્ય તેલોના ભાવો વધી રહ્યા છે. સિંગતેલ, કપાસિયા તેલના ભાવનો ગ્રાફ સતત વધી રહ્યો છે. લોકો માટે તેલ ખાવુ મોંઘુ બની રહ્યું છે. આવામાં ફરી એકવાર મોંઘવારીનો માર પડ્યો છે. તેલના ભાવમાં ફરીથી વધારો ઝીંકાયો છે, ગુજરાતની ગૃહિણીઓનું ફરી એક વખત બજેટ વિખાયું છે. તહેવારોની સિઝન પહેલા જ સિંગતેલના ભાવમાં વધારો થયો છે, સિંગતેલના ભાવમાં રૂપિયા 20નો વધારો થયો છે. તહેવારમાં સિંગતેલની ડિમાન્ડ વધારે રહે છે. મોટાભાગના ફરસાણ લોકો સિંગતેલમાં જ બનાવતા હોય છે. એવામાં સિંગતેલના ભડકે બળતા ભાવના કારણે અનેક લોકો કપાસિયા તેલ તરફ વળવા લાગ્યા છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.