સિંગતેલમાં 20 રૂપિયાનો ભાવ વધારો, ડબ્બાની કિંમત 3100ને પાર પહોંચી


  • Published By :
  • Published Date : 2023-08-08 20:06:38

દેશમાં મોંઘવારી આસમાને પહોંચી છે, જીવન જરૂરિયાતની લગભગ તમામ ચીજોના ભાવમાં તોંતિગ વધારો થયો છે. અનાજ, કઠોળ, શાકભાજી, ફળો અને ખાદ્યતેલના ભાવમાં કમર તોડ વધારો થયો છે. સામાન્ય માણસ માટે બે છેડા ભેગા કરવા મુશ્કેલ બન્યા છે. રાજ્યમાં આગામી દિવસોમાં તહેવારોની સીઝન શરૂ થવાની છે ત્યારે સિંગતેલના ભાવમાં ફરી એકવખત ભડકો થયો છે. 


સિંગતેલમાં 20 રૂપિયાનો વધારો


રાજ્યમાં તહેવારો પહેલા જ સિંગતેલની કિંમતમાં પ્રતિ ડબ્બે આજે  20 રૂપિયાનો વધારો થતાં ગૃહીણીઓમાં દેકારો બોલી ગયો છે. આજે 20 રૂપિયાનો વધારો થતાંની સાથે જ ડબ્બાની કિંમત 3100ને પાર પહોંચી છે. આ સાથે જ કપાસિયા તેલનો ભાવ 1735 અને સરસવ તેલનો ભાવ 1710 રૂપિયા થયો છે. ખાદ્યતેલના ડબ્બાનો ભાવના ભાવમાં ભાવો વધતા મધ્યમ અને ગરીબ વર્ગના લોકોનું બજેટ ખોરવાઈ ગયું છે.   તેલના ભાવ વધવાના કારણે ફરસાણ પણ મોંઘું બનશે. અધિક શ્રાવણ માસ શરૂ થવાની સાથે જ સિંગતેલના ભાવમાં તેજી આવી છે, તેથી ઉપવાસ પણ મોંઘા બન્યા છે. 


છેલ્લા એક વર્ષથી સતત ભાવ વધ્યા


ગત નવા વર્ષની શરૂઆતથી જ ખાદ્ય તેલોના ભાવો વધી રહ્યા છે. સિંગતેલ, કપાસિયા તેલના ભાવનો ગ્રાફ સતત વધી રહ્યો છે. લોકો માટે તેલ ખાવુ મોંઘુ બની રહ્યું છે. આવામાં ફરી એકવાર મોંઘવારીનો માર પડ્યો છે. તેલના ભાવમાં ફરીથી વધારો ઝીંકાયો છે, ગુજરાતની ગૃહિણીઓનું ફરી એક વખત બજેટ વિખાયું છે. તહેવારોની સિઝન પહેલા જ સિંગતેલના ભાવમાં વધારો થયો છે, સિંગતેલના ભાવમાં રૂપિયા 20નો વધારો થયો છે. તહેવારમાં સિંગતેલની ડિમાન્ડ વધારે રહે છે. મોટાભાગના ફરસાણ લોકો સિંગતેલમાં જ બનાવતા હોય છે. એવામાં સિંગતેલના ભડકે બળતા ભાવના કારણે અનેક લોકો કપાસિયા તેલ તરફ વળવા લાગ્યા છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.