સિંગતેલમાં 20 રૂપિયાનો ભાવ વધારો, ડબ્બાની કિંમત 3100ને પાર પહોંચી


  • Published By :
  • Published Date : 2023-08-08 20:06:38

દેશમાં મોંઘવારી આસમાને પહોંચી છે, જીવન જરૂરિયાતની લગભગ તમામ ચીજોના ભાવમાં તોંતિગ વધારો થયો છે. અનાજ, કઠોળ, શાકભાજી, ફળો અને ખાદ્યતેલના ભાવમાં કમર તોડ વધારો થયો છે. સામાન્ય માણસ માટે બે છેડા ભેગા કરવા મુશ્કેલ બન્યા છે. રાજ્યમાં આગામી દિવસોમાં તહેવારોની સીઝન શરૂ થવાની છે ત્યારે સિંગતેલના ભાવમાં ફરી એકવખત ભડકો થયો છે. 


સિંગતેલમાં 20 રૂપિયાનો વધારો


રાજ્યમાં તહેવારો પહેલા જ સિંગતેલની કિંમતમાં પ્રતિ ડબ્બે આજે  20 રૂપિયાનો વધારો થતાં ગૃહીણીઓમાં દેકારો બોલી ગયો છે. આજે 20 રૂપિયાનો વધારો થતાંની સાથે જ ડબ્બાની કિંમત 3100ને પાર પહોંચી છે. આ સાથે જ કપાસિયા તેલનો ભાવ 1735 અને સરસવ તેલનો ભાવ 1710 રૂપિયા થયો છે. ખાદ્યતેલના ડબ્બાનો ભાવના ભાવમાં ભાવો વધતા મધ્યમ અને ગરીબ વર્ગના લોકોનું બજેટ ખોરવાઈ ગયું છે.   તેલના ભાવ વધવાના કારણે ફરસાણ પણ મોંઘું બનશે. અધિક શ્રાવણ માસ શરૂ થવાની સાથે જ સિંગતેલના ભાવમાં તેજી આવી છે, તેથી ઉપવાસ પણ મોંઘા બન્યા છે. 


છેલ્લા એક વર્ષથી સતત ભાવ વધ્યા


ગત નવા વર્ષની શરૂઆતથી જ ખાદ્ય તેલોના ભાવો વધી રહ્યા છે. સિંગતેલ, કપાસિયા તેલના ભાવનો ગ્રાફ સતત વધી રહ્યો છે. લોકો માટે તેલ ખાવુ મોંઘુ બની રહ્યું છે. આવામાં ફરી એકવાર મોંઘવારીનો માર પડ્યો છે. તેલના ભાવમાં ફરીથી વધારો ઝીંકાયો છે, ગુજરાતની ગૃહિણીઓનું ફરી એક વખત બજેટ વિખાયું છે. તહેવારોની સિઝન પહેલા જ સિંગતેલના ભાવમાં વધારો થયો છે, સિંગતેલના ભાવમાં રૂપિયા 20નો વધારો થયો છે. તહેવારમાં સિંગતેલની ડિમાન્ડ વધારે રહે છે. મોટાભાગના ફરસાણ લોકો સિંગતેલમાં જ બનાવતા હોય છે. એવામાં સિંગતેલના ભડકે બળતા ભાવના કારણે અનેક લોકો કપાસિયા તેલ તરફ વળવા લાગ્યા છે.



ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.

આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે