સિંગતેલના ભાવમાં કરાયો આટલા રુપિયાનો ભાવ વધારો, મોંઘવારી વધતા ખોરવાયું ગૃહિણીનું બજેટ


  • Published By :
  • Published Date : 2023-02-14 12:29:29

મોંઘવારી સતત વધી રહી છે. મોંઘવારીનો માર સહન કરવા લોકો મજબૂર બન્યા છે. જીવનજરૂરિયાતની ચીજ વસ્તુમાં ભાવ વધારો થતા ગૃહિણીનું બજેટ ખોરવાતું રહે છે ત્યારે મોંઘવારીનો વધુ એક ફટકો પડ્યો છે. રાજ્યમાં સિંગતેલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. સિંગતેલના ડબ્બામાં 50 રુપિયાનો ભાવ વધારો ઝીંકાયો છે. જેને કારણે 2800 રુપિયાને પાર સિંગતેલના ડબ્બાની કિંમત પહોંચી છે. 


50 રુપિયાનો કરાયો ભાવ વધારો 

દિવસેને દિવસે મોંઘવારી વધતી જઈ રહી છે. જીવનજરૂરિયાતની વસ્તુઓ સતત મોંઘી થઈ રહી છે. કોઈ વખત દૂધના ભાવ વધે છે તો કોઈ વખત પેટ્રોલના ભાવમાં વધારો થાય છે. ત્યારે આજે સિંગતેલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. સિંગતેલના ડબ્બાના ભાવમાં 50 રુપિયાનો વધારો થયો છે. માત્ર સિંગતેલના ભાવમાં ફેરફાર થયો છે. કપાસીયાના તેલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. એક જ દિવસમાં ભાવ વધારો થતા ગૃહિણીનું બજેટ ખોરવાઈ ગયું છે. 


અન્ય કોઈ તેલના ભાવમાં નથી થયો વધારો 

આ વખતે મગફળીની બમ્પર આવક થઈ છે. મગફળીની બમ્પર આવક હોવા છતાં સિંગતેલના ભાવમાં 50 રુપિયાનો વધારો થયો છે. 15 કિલોના ડબ્બાનો ભાવ 2820 પર પહોંચી ગયો છે. પરંતુ સિંગતેલ સિવાય અન્ય તેલોના ભાવમાં વધારો કરવામાં નથી આવ્યો.              




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.