સિંગતેલના ભાવમાં કરાયો આટલા રુપિયાનો ભાવ વધારો, મોંઘવારી વધતા ખોરવાયું ગૃહિણીનું બજેટ


  • Published By :
  • Published Date : 2023-02-14 12:29:29

મોંઘવારી સતત વધી રહી છે. મોંઘવારીનો માર સહન કરવા લોકો મજબૂર બન્યા છે. જીવનજરૂરિયાતની ચીજ વસ્તુમાં ભાવ વધારો થતા ગૃહિણીનું બજેટ ખોરવાતું રહે છે ત્યારે મોંઘવારીનો વધુ એક ફટકો પડ્યો છે. રાજ્યમાં સિંગતેલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. સિંગતેલના ડબ્બામાં 50 રુપિયાનો ભાવ વધારો ઝીંકાયો છે. જેને કારણે 2800 રુપિયાને પાર સિંગતેલના ડબ્બાની કિંમત પહોંચી છે. 


50 રુપિયાનો કરાયો ભાવ વધારો 

દિવસેને દિવસે મોંઘવારી વધતી જઈ રહી છે. જીવનજરૂરિયાતની વસ્તુઓ સતત મોંઘી થઈ રહી છે. કોઈ વખત દૂધના ભાવ વધે છે તો કોઈ વખત પેટ્રોલના ભાવમાં વધારો થાય છે. ત્યારે આજે સિંગતેલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. સિંગતેલના ડબ્બાના ભાવમાં 50 રુપિયાનો વધારો થયો છે. માત્ર સિંગતેલના ભાવમાં ફેરફાર થયો છે. કપાસીયાના તેલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. એક જ દિવસમાં ભાવ વધારો થતા ગૃહિણીનું બજેટ ખોરવાઈ ગયું છે. 


અન્ય કોઈ તેલના ભાવમાં નથી થયો વધારો 

આ વખતે મગફળીની બમ્પર આવક થઈ છે. મગફળીની બમ્પર આવક હોવા છતાં સિંગતેલના ભાવમાં 50 રુપિયાનો વધારો થયો છે. 15 કિલોના ડબ્બાનો ભાવ 2820 પર પહોંચી ગયો છે. પરંતુ સિંગતેલ સિવાય અન્ય તેલોના ભાવમાં વધારો કરવામાં નથી આવ્યો.              




પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.