સિંગતેલના ભાવમાં કરાયો આટલા રુપિયાનો ભાવ વધારો, મોંઘવારી વધતા ખોરવાયું ગૃહિણીનું બજેટ


  • Published By :
  • Published Date : 2023-02-14 12:29:29

મોંઘવારી સતત વધી રહી છે. મોંઘવારીનો માર સહન કરવા લોકો મજબૂર બન્યા છે. જીવનજરૂરિયાતની ચીજ વસ્તુમાં ભાવ વધારો થતા ગૃહિણીનું બજેટ ખોરવાતું રહે છે ત્યારે મોંઘવારીનો વધુ એક ફટકો પડ્યો છે. રાજ્યમાં સિંગતેલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. સિંગતેલના ડબ્બામાં 50 રુપિયાનો ભાવ વધારો ઝીંકાયો છે. જેને કારણે 2800 રુપિયાને પાર સિંગતેલના ડબ્બાની કિંમત પહોંચી છે. 


50 રુપિયાનો કરાયો ભાવ વધારો 

દિવસેને દિવસે મોંઘવારી વધતી જઈ રહી છે. જીવનજરૂરિયાતની વસ્તુઓ સતત મોંઘી થઈ રહી છે. કોઈ વખત દૂધના ભાવ વધે છે તો કોઈ વખત પેટ્રોલના ભાવમાં વધારો થાય છે. ત્યારે આજે સિંગતેલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. સિંગતેલના ડબ્બાના ભાવમાં 50 રુપિયાનો વધારો થયો છે. માત્ર સિંગતેલના ભાવમાં ફેરફાર થયો છે. કપાસીયાના તેલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. એક જ દિવસમાં ભાવ વધારો થતા ગૃહિણીનું બજેટ ખોરવાઈ ગયું છે. 


અન્ય કોઈ તેલના ભાવમાં નથી થયો વધારો 

આ વખતે મગફળીની બમ્પર આવક થઈ છે. મગફળીની બમ્પર આવક હોવા છતાં સિંગતેલના ભાવમાં 50 રુપિયાનો વધારો થયો છે. 15 કિલોના ડબ્બાનો ભાવ 2820 પર પહોંચી ગયો છે. પરંતુ સિંગતેલ સિવાય અન્ય તેલોના ભાવમાં વધારો કરવામાં નથી આવ્યો.              




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.