GSEBએ બોર્ડની પરીક્ષાની તારીખ જાહેર કરી, આ તારીખે યોજાશે ધો.10 અને ધો.12ની પરીક્ષા


  • Published By :
  • Published Date : 2023-01-03 09:19:06

ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનું ટાઈમટેબલ જાહેર થઈ ગયું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માાધ્યમિક શિક્ષણ બોર્ડ એટલે કે GSEBએ ધો.10 અને ધો.12ની પરીક્ષાનું ટાઈમ ટેબલ બહાર પાડી દીધું છે. ટાઈમ ટેબલ મુજબ માર્ચ મહિનામાં આ પરીક્ષા યોજાશે. શિક્ષણ મંત્રી કૂબેર ડિંડોરે સોશિયલ મીડિયા પર આ વાતની જાણકારી આપી છે.

  


શિક્ષણ મંત્રીએ આપી જાણકારી

માર્ચ મહિનામાં બોર્ડની પરક્ષા યોજાવાની છે જે અંતર્ગત ધોરણ 10ની પરીક્ષા 14 માર્ચથી 28 માર્ચ સુધી રહેશે જ્યારે ધોરણ 12ની સામાન્ય પ્રવાહની પરીક્ષા 14 માર્ચથી 29 માર્ચ સુધી રહેશે.વિજ્ઞાન પ્રવાહની એક્ઝામ 14 માર્ચથી 25 માર્ચ સુધી ચાલશે.


  


CBSE દ્વારા પણ તારીખો જાહેર કરાઈ 

ઉપરાંત કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે ગુરૂવારે બોર્ડના પરીક્ષાની તારીખ જાહેર કરી દીધી છે. તે મુજબ સીબીએસસી બોર્ડ દ્વારા ધોરણ 10ની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી શરૂ થશે. ઉપરાંત દરેક એક્ઝામ વચ્ચે તૈયારી માટે પૂરતો સમય મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.