GSEBએ બોર્ડની પરીક્ષાની તારીખ જાહેર કરી, આ તારીખે યોજાશે ધો.10 અને ધો.12ની પરીક્ષા


  • Published By :
  • Published Date : 2023-01-03 09:19:06

ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનું ટાઈમટેબલ જાહેર થઈ ગયું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માાધ્યમિક શિક્ષણ બોર્ડ એટલે કે GSEBએ ધો.10 અને ધો.12ની પરીક્ષાનું ટાઈમ ટેબલ બહાર પાડી દીધું છે. ટાઈમ ટેબલ મુજબ માર્ચ મહિનામાં આ પરીક્ષા યોજાશે. શિક્ષણ મંત્રી કૂબેર ડિંડોરે સોશિયલ મીડિયા પર આ વાતની જાણકારી આપી છે.

  


શિક્ષણ મંત્રીએ આપી જાણકારી

માર્ચ મહિનામાં બોર્ડની પરક્ષા યોજાવાની છે જે અંતર્ગત ધોરણ 10ની પરીક્ષા 14 માર્ચથી 28 માર્ચ સુધી રહેશે જ્યારે ધોરણ 12ની સામાન્ય પ્રવાહની પરીક્ષા 14 માર્ચથી 29 માર્ચ સુધી રહેશે.વિજ્ઞાન પ્રવાહની એક્ઝામ 14 માર્ચથી 25 માર્ચ સુધી ચાલશે.


  


CBSE દ્વારા પણ તારીખો જાહેર કરાઈ 

ઉપરાંત કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે ગુરૂવારે બોર્ડના પરીક્ષાની તારીખ જાહેર કરી દીધી છે. તે મુજબ સીબીએસસી બોર્ડ દ્વારા ધોરણ 10ની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી શરૂ થશે. ઉપરાંત દરેક એક્ઝામ વચ્ચે તૈયારી માટે પૂરતો સમય મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.