એસટી તંત્રના ભ્રષ્ટ કંડક્ટરો સામે આકરી કાર્યવાહી, 16 ડિવિઝનના 331 કંડક્ટર ઈન્ક્રીમેન્ટ અટકાવ્યા


  • Published By :
  • Published Date : 2023-10-19 19:38:30

રાજ્ય સરકાર સંયાલિત ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ છેલ્લા ઘણા વર્ષોથી ખોટ ખાય છે. તેનું એક કારણ એસટી તંત્રમાં વ્યાપેલો ભ્રષ્ટાચાર પણ છે. એસટી તંત્રમાં કામ કરતા કર્મચારીઓ સતત ભ્રષ્ટાચાર આચરી એસ વિભાગની ઘોર ખોદી નાખી છે. આ ભ્રષ્ટ કર્માચારીઓના કારણે જ લોકોને સારી સુવિધાઓ મળતી નથી રાજ્ય સરકારે પણ આવા લાંચિયા કર્મચારીઓ સામે આકરા પગલા ભરવાનું શરૂ કર્યું છે. રાજ્યના માર્ગ પરિવહન નિગમ દ્વારા અલગ- અલગ 16 ડિવીઝનમાં 9 મહિના દરમિયાન ઓચિંતુ ચેકિંગ કરવામાં આવ્યું હતું. સરકારની આ કાર્યવાહીમાં 331 કંડકટર કટકી કરતા ઝડપાયા હતા. રાજ્ય સરકારે આ કર્મચારીઓ સામે આકરી કાર્યવાહી  કરી હતી. આટલા મોટા પ્રમાણમાં બસ કંડક્ટરો સામે કાર્યવાહી કરાતા એસ ટી તંત્રમાં ફફડાટ વ્યાપી ગયો છે.


કટકીબાજ કંડકટરો સામે કાર્યવાહી


રાજ્ય સરકાર હસ્તકના ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમે રાજ્યભરમાં કટકીબાજ કંડકટરો સામે કાર્યવાહી કરી છે. અલગ- અલગ 16 ડિવીઝનમાં 9 મહિના દરમિયાન ઓચિંતુ ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં 331 કંડકટર કટકી કરતા ઝડપાયા હતા. જ્યારે 9 મહિના દરમિયાન 2 હજાર 883 મુસાફરો પણ ટિકિટ વગર મુસાફરી કરતા ઝડપાયા હતા. આ તરફ રાજકોટ ડિવીઝનની વાત કરવામાં આવે તો જાન્યુઆરીથી ઓક્ટોબર સુધીમાં કુલ 32 કટકીબાજ કંડકટર ઝડપાયા છે. કટકીબાજ કંડકટરો મુસાફરો પાસેથી ટિકિટના રૂપિયા લઈ લેતા હતા પણ ટિકિટ આપતા ન હતા. એસટી તંત્રએ આવા કટકીબાજ કંડકટરો સામે કાર્યવાહી કરતા તેમની પેનલ્ટીરૂપે વ સહિતના પગલા લેવામાં આવ્યા હતાં.



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.