એસટી તંત્રના ભ્રષ્ટ કંડક્ટરો સામે આકરી કાર્યવાહી, 16 ડિવિઝનના 331 કંડક્ટર ઈન્ક્રીમેન્ટ અટકાવ્યા


  • Published By :
  • Published Date : 2023-10-19 19:38:30

રાજ્ય સરકાર સંયાલિત ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ છેલ્લા ઘણા વર્ષોથી ખોટ ખાય છે. તેનું એક કારણ એસટી તંત્રમાં વ્યાપેલો ભ્રષ્ટાચાર પણ છે. એસટી તંત્રમાં કામ કરતા કર્મચારીઓ સતત ભ્રષ્ટાચાર આચરી એસ વિભાગની ઘોર ખોદી નાખી છે. આ ભ્રષ્ટ કર્માચારીઓના કારણે જ લોકોને સારી સુવિધાઓ મળતી નથી રાજ્ય સરકારે પણ આવા લાંચિયા કર્મચારીઓ સામે આકરા પગલા ભરવાનું શરૂ કર્યું છે. રાજ્યના માર્ગ પરિવહન નિગમ દ્વારા અલગ- અલગ 16 ડિવીઝનમાં 9 મહિના દરમિયાન ઓચિંતુ ચેકિંગ કરવામાં આવ્યું હતું. સરકારની આ કાર્યવાહીમાં 331 કંડકટર કટકી કરતા ઝડપાયા હતા. રાજ્ય સરકારે આ કર્મચારીઓ સામે આકરી કાર્યવાહી  કરી હતી. આટલા મોટા પ્રમાણમાં બસ કંડક્ટરો સામે કાર્યવાહી કરાતા એસ ટી તંત્રમાં ફફડાટ વ્યાપી ગયો છે.


કટકીબાજ કંડકટરો સામે કાર્યવાહી


રાજ્ય સરકાર હસ્તકના ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમે રાજ્યભરમાં કટકીબાજ કંડકટરો સામે કાર્યવાહી કરી છે. અલગ- અલગ 16 ડિવીઝનમાં 9 મહિના દરમિયાન ઓચિંતુ ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં 331 કંડકટર કટકી કરતા ઝડપાયા હતા. જ્યારે 9 મહિના દરમિયાન 2 હજાર 883 મુસાફરો પણ ટિકિટ વગર મુસાફરી કરતા ઝડપાયા હતા. આ તરફ રાજકોટ ડિવીઝનની વાત કરવામાં આવે તો જાન્યુઆરીથી ઓક્ટોબર સુધીમાં કુલ 32 કટકીબાજ કંડકટર ઝડપાયા છે. કટકીબાજ કંડકટરો મુસાફરો પાસેથી ટિકિટના રૂપિયા લઈ લેતા હતા પણ ટિકિટ આપતા ન હતા. એસટી તંત્રએ આવા કટકીબાજ કંડકટરો સામે કાર્યવાહી કરતા તેમની પેનલ્ટીરૂપે વ સહિતના પગલા લેવામાં આવ્યા હતાં.



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.