GSSSB : 4304 જગ્યાઓ માટે કરાશે ભરતી, જો તમે પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો આ ટોપિક પર આપજો વધારે ધ્યાન, જાણો


  • Published By :
  • Published Date : 2024-01-16 10:38:34

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ અનેક લોકો કરતા હોય છે. સ્પર્ધાત્મક પરીક્ષા આપી સારી નોકરી મળે તેવી આશા દરેક પરીક્ષાર્થીને હોય છે. ત્યારે ભરતીની બમ્પર જાહેરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કરવામાં આવી છે. ગૌણ મંડળ દ્વારા ગુજરાત ગૌણ સેવા વર્ગ-3 જેમાં ગ્રુપ એ અને બીનો સમાવેશ થાય છે તેની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા માટે 4304 જગ્યાઓ માટે ભરતી કરવાની જાહેરાત કરી છે જે માટે આ પરીક્ષા લેવામાં આવશે. સંભવીત રીતે આ પરીક્ષાનું આયોજન માર્ચ-એપ્રિલ 2024 સુધીમાં કરવામાં આવી શકે છે તેવી માહિતી સામે આવી છે.

Image

ગ્રુપ A-B માટે સંયુક્ત રીતે યોજાશે પરીક્ષા!

4304 ભરતી અંગેની જે જાહેરાત કરવામાં આવી છે તેમાં વિવિધ કેડરો માટે કરવામાં આવશે. ભરતી જાહેર કરાઇ છે તેમાં ગ્રૂપ Aમાં હેડ ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ સહિત 18 પોસ્ટ પર ભરતી કરવામાં આવશે.જ્યારે ગ્રૂપ Bમાં જુનિયર ક્લાર્ક અને આસિસ્ટન્ટ/ આસિસ્ટન્ટ ડેપો મેનેજર પોસ્ટ માટેની ભરતી અંગેની જાહેરાત કરી છે.  આ સંયુક્ત પરીક્ષા કમ્પ્યૂટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ પદ્ધતિથી મલ્ટિ સેશન્સમાં લેવાશે અને આવનાર સમયમાં આ અંગંની વિગતવાર માહિતી જાહેર કરવામાં આવશે. 

Image

સૌથી વધારે રિઝનિંગ પર આપજો ધ્યાન! 

પરીક્ષાની તૈયારી જો તમે કરી રહ્યા હોવ તો સૌથી વધારે ધ્યાન રિઝનિંગ પર આપજો કારણ કે સૌથી વધારે તે પેપરમાં પૂછાવાનું છે. રિઝનિંગના પેપરમાં પ્રોબ્લેમ્સ ઓન એજ, વેન ડાયાગ્રામ, વિઝ્યુઅલ રિઝનિંગ, બ્લડ રિલેશન, એરિથમેટિક રિઝનિંગ, ડેટા ઇન્ટરપ્રિટેશન, ડેટા સફીસિયન્સી જેવા વિષયો પૂછાવાના છે. 40 માર્કનું રિઝનિંગ પૂછવામાં આવશે. બીજો ટોપિક હશે ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુટ જે 30 માર્કનો હશે. આમાં એવરેજ, પર્સન્ટેજ, પ્રોફિટ-લોસ, રાશન એન્ડ પ્રોપોર્સન, પાર્ટનરશિપ, ટાઈમ એન્ડ વર્ક, ટાઈમ, સ્પીડ એન્ડ ડિસ્ટન્સ, વર્ક-વેજીસ એન્ડ ચેઈન રુલ,નંબર સિસ્ટમ, સિમ્પલીફિકેશન, એરિથમેટિક એન્ડ જિયોમેટિક પ્રોગ્રેશન પૂછવામાં આવશે. 


ગુજરાતી તેમજ ઈંગ્લિશમાં શું પૂછવામાં આવશે? 

પરીક્ષામાં ન માત્ર રિઝનિંગ તેમજ એપટીટ્યુડને લઈ પ્રશ્ન પૂછવામાં આવશે પરંતુ ભાષાના પણ સવાલો પૂછવામાં આવશે. ઈંગ્લિશ તેમજ ગુજરાતી ભાષાની પરીક્ષા અંગે પણ પ્રશ્નો પૂછવામાં આવશે.  ગુજરાતી ભાષાની વાત કરીએ તો રૂઢિપ્રયોગનો અર્થ અને પ્રયોગ, કહેવતોનો અર્થ, સમાસનો વિગ્રહ અને તેની ઓળખ, સમાનાર્થી શબ્દો/વિરુદ્ધાર્થી શબ્દો, શબ્દસમૂહ માટે એક શબ્દ, વાક્ય પરિવર્તન, સંધિ જોડો કે છોડો, જોડણી શુદ્ધિ, લેખન શુદ્ધિ/ભાષા શુદ્ધિ, ગદ્યસમીક્ષા, અર્થગ્રહણ, ગુજરાતી- અંગ્રેજી ભાષાંતર પૂછવામાં આવશે. ઈંગ્લિશની વાત કરીએ તો ટેન્સ-વોઈસ, ડાયરેક્ટ-ઇનડાયરેક્ટ, યુઝ ઓફ આર્ટિકલ એન્ડ ડેટરમીનર્સ, એડવર્બ-નાઉન-પ્રો નાઉન-વર્બ, યુઝ ઓફ પ્રિપોઝિશન, યુઝ ઓફ ફ્રેઝલ વર્બ, ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સિસ, વન વર્ડ સબ્સ્ટિટ્યૂશન, સિનોનિમ્સ/એન્ટોનિમ્સ, કોમ્પ્રિહેન્શન, જમ્બલ વર્ડ્સ એન્ડ સેન્ટેન્સ, ટ્રાન્સલેશન ફ્રોમ ઈંગ્લિંશના પ્રશ્નો પૂછવામાં આવશે. 

Preparations for competitive exams are done by many people. Every examinee has the hope of getting a good job by clearing the competitive exam. Then the recruitment bumper advertisement has been done by the Secondary Services Selection Board. Gaun Mandal has announced recruitment for 4304 posts for Gujarat Secondary Services Class-3 which includes Group A & B combined competitive examination.


રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.