આમ આદમી પાર્ટી પૈસાના જોરે ટિકિટ આપે છે: AAP નેતા સાકીર શેખ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-14 12:50:46

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજકીય પક્ષોની ટિકિટો મેળવવા માટે નાના-મોટા નેતાઓ અને કાર્યકરો પડાપડી કરી રહ્યા છે. જો કોઈ ટિકિટવાચ્છુ કાર્યકરને ટિકિટ ન મળે ત્યારે આરોપ લગાવતા હોય છે.  આમ આદમી પાર્ટીમાં પણ અસંતોષ બહાર આવવા લાગ્યો છે. આપના એક નેતાએ પાર્ટી પર પૈસાના જોર પર વિધાનસભાની ટિકિટ આપવાનો આરોપ લગાવ્યો છે. 



AAP નેતા સાકીર શેખનો વીડિયો વાયરલ


આપના નેતા અને વેજલપુર વિધાનસભા બેઠકના દાવેદાર સાકીર શેખનો વિડીયો વાયરલ થયો છે. વિડીયોના માધ્યમથી સાકિરે પાર્ટીની ટિકિટ વહેંચણી પર સવાલો કર્યા છે. તેમણે આમ આદમી પાર્ટીમાં પૈસાને જોરે ટિકિટો અપાતી હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. અરવિંદ કેજરીવાલના ગુજરાત પ્રવાસ દરમિયાન જ આપની ટિકિટ વહેચણી પર સવાલો ઉભા થયા છે. સાકીર શેખે આમ આદમી પાર્ટીને આડકતરી રીતે ચેતવણી આપતા કહ્યું છે કે, વેજલપુર બેઠક પર ઉમેદવાર કલ્પેશ પટેલને પૈસાના જોરે  ટિકિટ આપવામા આવી હોવાનો આરોપ લગાવતા તે અંગે ફેરવિચારણા કરવાની વાત કહી છે. તેમણે સારા ઉમેદવારને ટિકિટ આપવા પર ભાર મુકતા કલ્પેશ પટેલને આયાતી ઉમેદવાર ગણાવ્યા છે. જો કે આમ આદમી પાર્ટી ઉમેદવાર અંગે આખ આડા કાન કરી રહી છે. સાકિર શેખએ તેમના પદ પરથી રાજીનામું આપવાની પણ જાહેરાત કરી છે.


આમ આદમી પાર્ટીએ આરોપ ફગાવ્યો


આપના નેતા સાકીર શેખના સનસનીખેજ આરોપ અંગે જ્યારે આપ પ્રવક્તાને પુછવામાં આવ્યું  તો તેમણે પૈસાના જોર પર ટિકિટ આપવાના આરોપ ફગાવી દીધા હતા. તેમણે કહ્યું કે પાર્ટીમાં તમામ  નેતાને વિધાનસભાની ટિકિટ આપવી શક્ય નથી. ટિકિટ ન મળે એટલે પાર્ટીની છબી ખરાબ કરવા આ પ્રકારના આરોપ લગાવવા તે દુર્ભાગ્યપૂર્ણ છે. આમ આદમી પાર્ટીએ અત્યાર સુધી કુલ 29 ઉમેદવારોના નામ AAPએ જાહેર કર્યાં છે. જો કે ક્યાંયથી પણ અસંતોષનો અવાજ સાંભળવા મળ્યો નથી. તેમણે આ પ્રકારના આરોપને પાયાવિહોણા ગણાવ્યા હતા.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.