આમ આદમી પાર્ટી પૈસાના જોરે ટિકિટ આપે છે: AAP નેતા સાકીર શેખ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-14 12:50:46

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજકીય પક્ષોની ટિકિટો મેળવવા માટે નાના-મોટા નેતાઓ અને કાર્યકરો પડાપડી કરી રહ્યા છે. જો કોઈ ટિકિટવાચ્છુ કાર્યકરને ટિકિટ ન મળે ત્યારે આરોપ લગાવતા હોય છે.  આમ આદમી પાર્ટીમાં પણ અસંતોષ બહાર આવવા લાગ્યો છે. આપના એક નેતાએ પાર્ટી પર પૈસાના જોર પર વિધાનસભાની ટિકિટ આપવાનો આરોપ લગાવ્યો છે. 



AAP નેતા સાકીર શેખનો વીડિયો વાયરલ


આપના નેતા અને વેજલપુર વિધાનસભા બેઠકના દાવેદાર સાકીર શેખનો વિડીયો વાયરલ થયો છે. વિડીયોના માધ્યમથી સાકિરે પાર્ટીની ટિકિટ વહેંચણી પર સવાલો કર્યા છે. તેમણે આમ આદમી પાર્ટીમાં પૈસાને જોરે ટિકિટો અપાતી હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. અરવિંદ કેજરીવાલના ગુજરાત પ્રવાસ દરમિયાન જ આપની ટિકિટ વહેચણી પર સવાલો ઉભા થયા છે. સાકીર શેખે આમ આદમી પાર્ટીને આડકતરી રીતે ચેતવણી આપતા કહ્યું છે કે, વેજલપુર બેઠક પર ઉમેદવાર કલ્પેશ પટેલને પૈસાના જોરે  ટિકિટ આપવામા આવી હોવાનો આરોપ લગાવતા તે અંગે ફેરવિચારણા કરવાની વાત કહી છે. તેમણે સારા ઉમેદવારને ટિકિટ આપવા પર ભાર મુકતા કલ્પેશ પટેલને આયાતી ઉમેદવાર ગણાવ્યા છે. જો કે આમ આદમી પાર્ટી ઉમેદવાર અંગે આખ આડા કાન કરી રહી છે. સાકિર શેખએ તેમના પદ પરથી રાજીનામું આપવાની પણ જાહેરાત કરી છે.


આમ આદમી પાર્ટીએ આરોપ ફગાવ્યો


આપના નેતા સાકીર શેખના સનસનીખેજ આરોપ અંગે જ્યારે આપ પ્રવક્તાને પુછવામાં આવ્યું  તો તેમણે પૈસાના જોર પર ટિકિટ આપવાના આરોપ ફગાવી દીધા હતા. તેમણે કહ્યું કે પાર્ટીમાં તમામ  નેતાને વિધાનસભાની ટિકિટ આપવી શક્ય નથી. ટિકિટ ન મળે એટલે પાર્ટીની છબી ખરાબ કરવા આ પ્રકારના આરોપ લગાવવા તે દુર્ભાગ્યપૂર્ણ છે. આમ આદમી પાર્ટીએ અત્યાર સુધી કુલ 29 ઉમેદવારોના નામ AAPએ જાહેર કર્યાં છે. જો કે ક્યાંયથી પણ અસંતોષનો અવાજ સાંભળવા મળ્યો નથી. તેમણે આ પ્રકારના આરોપને પાયાવિહોણા ગણાવ્યા હતા.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.