કર્મચારીઓને 34 ટકાના દરે મોંઘવારી ભથ્થાનો લાભ, વિધાનસભામાં સરકારે આપી જાણકારી


  • Published By :
  • Published Date : 2023-03-28 13:56:37

સરકારી કર્મચારીઓ માટે ખુશીના સમાયાર આવ્યા છે, મોંઘવારી ભથ્થાની કાગડોળે રાહ જોઈ રહેલા કર્મચારીઓને લઈ રાજ્ય સરકારે મહત્વની જાણકારી આપી છે. કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ સરકારી કર્મચારીઓને મોંઘવારી ભથ્થું ચૂકવવાનો મુદ્દો વિધાનસભામાં ઉઠાવ્યો હતો. તેમના સવાલનો જવાબ આપતા નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આ જાણકારી આપી હતી કે કર્મચારીઓને 34 ટકાના દર મુજબ મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવે છે. ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં આજે પેન્શન સહિતના નિવૃત્તિ લાભો તથા કર વસૂલાત ખર્ચ અંગે પ્રશ્નોત્તરી કાળમાં ચર્ચાઓ થઈ હતી.


અમિત ચાવડાએ કર્યો સવાલ


ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાએ વિધાનસભામાં સરકારી કર્મચારીઓને તા. 31-01-2023ની સ્થિતીએ કેન્દ્રીય ધોરણો મુજબ કેટલા ટકા મોંઘવારી ભથ્થું ક્યારથી ચૂકવવાનું બાકી છે? તથા તે બાકી રહેવાના કારણો અને ક્યા સુધી તે ચૂકવવામાં આવશ તે અંગે પેટા પ્રશ્ન પુછ્યો હતો.


સરકારે કરી જાહેરાત


ધારાસભ્ય અમિત ચાવડાના પ્રશ્નનો જવાબ આપતા નાણામંત્રી કનુ દેસાઈએ જણાવ્યું કે રાજ્ય સરકારના કર્મચારીઓના કિસ્સામાં, મોંઘવારી ભથ્થું રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવે તે મુજબ ચૂકવવાનું રહે છે. તે અન્વયે હાલ રાજ્ય સરકારના કર્મચારીઓના કિસ્સામાં તા. 1-1-2022થી મૂળ પગારના 34 ટકાના દર મુજબ મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવે છે.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે