કર્મચારીઓને 34 ટકાના દરે મોંઘવારી ભથ્થાનો લાભ, વિધાનસભામાં સરકારે આપી જાણકારી


  • Published By :
  • Published Date : 2023-03-28 13:56:37

સરકારી કર્મચારીઓ માટે ખુશીના સમાયાર આવ્યા છે, મોંઘવારી ભથ્થાની કાગડોળે રાહ જોઈ રહેલા કર્મચારીઓને લઈ રાજ્ય સરકારે મહત્વની જાણકારી આપી છે. કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ સરકારી કર્મચારીઓને મોંઘવારી ભથ્થું ચૂકવવાનો મુદ્દો વિધાનસભામાં ઉઠાવ્યો હતો. તેમના સવાલનો જવાબ આપતા નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આ જાણકારી આપી હતી કે કર્મચારીઓને 34 ટકાના દર મુજબ મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવે છે. ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં આજે પેન્શન સહિતના નિવૃત્તિ લાભો તથા કર વસૂલાત ખર્ચ અંગે પ્રશ્નોત્તરી કાળમાં ચર્ચાઓ થઈ હતી.


અમિત ચાવડાએ કર્યો સવાલ


ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાએ વિધાનસભામાં સરકારી કર્મચારીઓને તા. 31-01-2023ની સ્થિતીએ કેન્દ્રીય ધોરણો મુજબ કેટલા ટકા મોંઘવારી ભથ્થું ક્યારથી ચૂકવવાનું બાકી છે? તથા તે બાકી રહેવાના કારણો અને ક્યા સુધી તે ચૂકવવામાં આવશ તે અંગે પેટા પ્રશ્ન પુછ્યો હતો.


સરકારે કરી જાહેરાત


ધારાસભ્ય અમિત ચાવડાના પ્રશ્નનો જવાબ આપતા નાણામંત્રી કનુ દેસાઈએ જણાવ્યું કે રાજ્ય સરકારના કર્મચારીઓના કિસ્સામાં, મોંઘવારી ભથ્થું રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવે તે મુજબ ચૂકવવાનું રહે છે. તે અન્વયે હાલ રાજ્ય સરકારના કર્મચારીઓના કિસ્સામાં તા. 1-1-2022થી મૂળ પગારના 34 ટકાના દર મુજબ મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવે છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.