કર્મચારીઓને 34 ટકાના દરે મોંઘવારી ભથ્થાનો લાભ, વિધાનસભામાં સરકારે આપી જાણકારી


  • Published By :
  • Published Date : 2023-03-28 13:56:37

સરકારી કર્મચારીઓ માટે ખુશીના સમાયાર આવ્યા છે, મોંઘવારી ભથ્થાની કાગડોળે રાહ જોઈ રહેલા કર્મચારીઓને લઈ રાજ્ય સરકારે મહત્વની જાણકારી આપી છે. કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ સરકારી કર્મચારીઓને મોંઘવારી ભથ્થું ચૂકવવાનો મુદ્દો વિધાનસભામાં ઉઠાવ્યો હતો. તેમના સવાલનો જવાબ આપતા નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આ જાણકારી આપી હતી કે કર્મચારીઓને 34 ટકાના દર મુજબ મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવે છે. ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં આજે પેન્શન સહિતના નિવૃત્તિ લાભો તથા કર વસૂલાત ખર્ચ અંગે પ્રશ્નોત્તરી કાળમાં ચર્ચાઓ થઈ હતી.


અમિત ચાવડાએ કર્યો સવાલ


ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાએ વિધાનસભામાં સરકારી કર્મચારીઓને તા. 31-01-2023ની સ્થિતીએ કેન્દ્રીય ધોરણો મુજબ કેટલા ટકા મોંઘવારી ભથ્થું ક્યારથી ચૂકવવાનું બાકી છે? તથા તે બાકી રહેવાના કારણો અને ક્યા સુધી તે ચૂકવવામાં આવશ તે અંગે પેટા પ્રશ્ન પુછ્યો હતો.


સરકારે કરી જાહેરાત


ધારાસભ્ય અમિત ચાવડાના પ્રશ્નનો જવાબ આપતા નાણામંત્રી કનુ દેસાઈએ જણાવ્યું કે રાજ્ય સરકારના કર્મચારીઓના કિસ્સામાં, મોંઘવારી ભથ્થું રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવે તે મુજબ ચૂકવવાનું રહે છે. તે અન્વયે હાલ રાજ્ય સરકારના કર્મચારીઓના કિસ્સામાં તા. 1-1-2022થી મૂળ પગારના 34 ટકાના દર મુજબ મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવે છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.