કર્મચારીઓને 34 ટકાના દરે મોંઘવારી ભથ્થાનો લાભ, વિધાનસભામાં સરકારે આપી જાણકારી


  • Published By :
  • Published Date : 2023-03-28 13:56:37

સરકારી કર્મચારીઓ માટે ખુશીના સમાયાર આવ્યા છે, મોંઘવારી ભથ્થાની કાગડોળે રાહ જોઈ રહેલા કર્મચારીઓને લઈ રાજ્ય સરકારે મહત્વની જાણકારી આપી છે. કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ સરકારી કર્મચારીઓને મોંઘવારી ભથ્થું ચૂકવવાનો મુદ્દો વિધાનસભામાં ઉઠાવ્યો હતો. તેમના સવાલનો જવાબ આપતા નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આ જાણકારી આપી હતી કે કર્મચારીઓને 34 ટકાના દર મુજબ મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવે છે. ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં આજે પેન્શન સહિતના નિવૃત્તિ લાભો તથા કર વસૂલાત ખર્ચ અંગે પ્રશ્નોત્તરી કાળમાં ચર્ચાઓ થઈ હતી.


અમિત ચાવડાએ કર્યો સવાલ


ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાએ વિધાનસભામાં સરકારી કર્મચારીઓને તા. 31-01-2023ની સ્થિતીએ કેન્દ્રીય ધોરણો મુજબ કેટલા ટકા મોંઘવારી ભથ્થું ક્યારથી ચૂકવવાનું બાકી છે? તથા તે બાકી રહેવાના કારણો અને ક્યા સુધી તે ચૂકવવામાં આવશ તે અંગે પેટા પ્રશ્ન પુછ્યો હતો.


સરકારે કરી જાહેરાત


ધારાસભ્ય અમિત ચાવડાના પ્રશ્નનો જવાબ આપતા નાણામંત્રી કનુ દેસાઈએ જણાવ્યું કે રાજ્ય સરકારના કર્મચારીઓના કિસ્સામાં, મોંઘવારી ભથ્થું રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવે તે મુજબ ચૂકવવાનું રહે છે. તે અન્વયે હાલ રાજ્ય સરકારના કર્મચારીઓના કિસ્સામાં તા. 1-1-2022થી મૂળ પગારના 34 ટકાના દર મુજબ મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવે છે.



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.