ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીમાં કોંગ્રેસ 65 બેઠક જીતશે: અર્જુન મોઢવાડિયા


  • Published By :
  • Published Date : 2022-12-02 21:22:44

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન પૂરૂ થયા બાદ રાજ્યની તમામ પાર્ટીઓના નેતાઓ સૌથી વધુ સીટનો દાવાઓ કરી રહ્યા છે. રાજ્યમાં પહેલા તબક્કામાં કોંગ્રેસ પાર્ટીઓ 89 બેઠકોના મતદાનમાં 55 સીટ જીતવાનો દાવો કર્યો છે. જ્યારે વિપક્ષના પૂર્વ નેતા અર્જુન મોઢવાડીયાએ પણ કોંગ્રેસ પાર્ટી પહેલા ફેઝમાં 65 બેઠક જીતશે એવો દાવો કર્યો છે. 


કોંગ્રેસ સરકાર બનાવશે-પવન ખેરા


આજે અમદાવાદમાં યોજાયેલી પ્રેસ કોન્ફર્ન્સમાં કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડાએ રાજ્યમાં પ્રથમ તબક્કાની 89 સીટમાંથી 55 બેઠક જીતવાનો દાવો કર્યો હતો છે, વળી તેમણે રાજ્યમાં કોંગ્રેસ સરકાર બનાવશે તેવો પણ આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો. કોંગ્રેસે કેબિનેટમાં કયા ચહેરા હશે તેના પરની પણ કવાયત શરુ કરી દીધી છે. ગુજરાત કોંગ્રેસના અગ્રણી નેતા અર્જુન મોઢવાડીયાએ પણ કોંગ્રેસ પાર્ટી પહેલા ફેઝમાં 65 બેઠક જીતશે એવો દાવો કર્યો છે. 


ભાજપના બળવાખોરોથી કોંગ્રેસને ફાયદો


ભાજપે ટિકિટોની વહેંચણી ખોટી રીતે કરતા પાર્ટીમાં મોટા પ્રમાણમાં અસંતોષ છે, અને તેના કારણે જ પાર્ટીમાં બળવાખોરી જોવા મળી છે. ભાજપના બળવાખોરોએ ચૂંટણીમાં ઝંપલાવતા તેનો ફાયદો અંતે કોંગ્રેસને થયો છે.  ભાજપના બળવાખોરોએ જ જેમની ટિકિટ કપાતા કોંગ્રેસની તરફેણમાં મત અપાવ્યા છે. આ કારણથી કોંગ્રેસના ઉમેદવારો વિજેતા બનશે તે નક્કી છે. તેવો દાવો કોંગ્રેસના પ્રવક્તા આલોક શર્માએ તો પત્રકારો સમક્ષ કર્યો હતો.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.