ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીમાં કોંગ્રેસ 65 બેઠક જીતશે: અર્જુન મોઢવાડિયા


  • Published By :
  • Published Date : 2022-12-02 21:22:44

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન પૂરૂ થયા બાદ રાજ્યની તમામ પાર્ટીઓના નેતાઓ સૌથી વધુ સીટનો દાવાઓ કરી રહ્યા છે. રાજ્યમાં પહેલા તબક્કામાં કોંગ્રેસ પાર્ટીઓ 89 બેઠકોના મતદાનમાં 55 સીટ જીતવાનો દાવો કર્યો છે. જ્યારે વિપક્ષના પૂર્વ નેતા અર્જુન મોઢવાડીયાએ પણ કોંગ્રેસ પાર્ટી પહેલા ફેઝમાં 65 બેઠક જીતશે એવો દાવો કર્યો છે. 


કોંગ્રેસ સરકાર બનાવશે-પવન ખેરા


આજે અમદાવાદમાં યોજાયેલી પ્રેસ કોન્ફર્ન્સમાં કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડાએ રાજ્યમાં પ્રથમ તબક્કાની 89 સીટમાંથી 55 બેઠક જીતવાનો દાવો કર્યો હતો છે, વળી તેમણે રાજ્યમાં કોંગ્રેસ સરકાર બનાવશે તેવો પણ આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો. કોંગ્રેસે કેબિનેટમાં કયા ચહેરા હશે તેના પરની પણ કવાયત શરુ કરી દીધી છે. ગુજરાત કોંગ્રેસના અગ્રણી નેતા અર્જુન મોઢવાડીયાએ પણ કોંગ્રેસ પાર્ટી પહેલા ફેઝમાં 65 બેઠક જીતશે એવો દાવો કર્યો છે. 


ભાજપના બળવાખોરોથી કોંગ્રેસને ફાયદો


ભાજપે ટિકિટોની વહેંચણી ખોટી રીતે કરતા પાર્ટીમાં મોટા પ્રમાણમાં અસંતોષ છે, અને તેના કારણે જ પાર્ટીમાં બળવાખોરી જોવા મળી છે. ભાજપના બળવાખોરોએ ચૂંટણીમાં ઝંપલાવતા તેનો ફાયદો અંતે કોંગ્રેસને થયો છે.  ભાજપના બળવાખોરોએ જ જેમની ટિકિટ કપાતા કોંગ્રેસની તરફેણમાં મત અપાવ્યા છે. આ કારણથી કોંગ્રેસના ઉમેદવારો વિજેતા બનશે તે નક્કી છે. તેવો દાવો કોંગ્રેસના પ્રવક્તા આલોક શર્માએ તો પત્રકારો સમક્ષ કર્યો હતો.



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.