ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીમાં કોંગ્રેસ 65 બેઠક જીતશે: અર્જુન મોઢવાડિયા


  • Published By :
  • Published Date : 2022-12-02 21:22:44

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન પૂરૂ થયા બાદ રાજ્યની તમામ પાર્ટીઓના નેતાઓ સૌથી વધુ સીટનો દાવાઓ કરી રહ્યા છે. રાજ્યમાં પહેલા તબક્કામાં કોંગ્રેસ પાર્ટીઓ 89 બેઠકોના મતદાનમાં 55 સીટ જીતવાનો દાવો કર્યો છે. જ્યારે વિપક્ષના પૂર્વ નેતા અર્જુન મોઢવાડીયાએ પણ કોંગ્રેસ પાર્ટી પહેલા ફેઝમાં 65 બેઠક જીતશે એવો દાવો કર્યો છે. 


કોંગ્રેસ સરકાર બનાવશે-પવન ખેરા


આજે અમદાવાદમાં યોજાયેલી પ્રેસ કોન્ફર્ન્સમાં કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડાએ રાજ્યમાં પ્રથમ તબક્કાની 89 સીટમાંથી 55 બેઠક જીતવાનો દાવો કર્યો હતો છે, વળી તેમણે રાજ્યમાં કોંગ્રેસ સરકાર બનાવશે તેવો પણ આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો. કોંગ્રેસે કેબિનેટમાં કયા ચહેરા હશે તેના પરની પણ કવાયત શરુ કરી દીધી છે. ગુજરાત કોંગ્રેસના અગ્રણી નેતા અર્જુન મોઢવાડીયાએ પણ કોંગ્રેસ પાર્ટી પહેલા ફેઝમાં 65 બેઠક જીતશે એવો દાવો કર્યો છે. 


ભાજપના બળવાખોરોથી કોંગ્રેસને ફાયદો


ભાજપે ટિકિટોની વહેંચણી ખોટી રીતે કરતા પાર્ટીમાં મોટા પ્રમાણમાં અસંતોષ છે, અને તેના કારણે જ પાર્ટીમાં બળવાખોરી જોવા મળી છે. ભાજપના બળવાખોરોએ ચૂંટણીમાં ઝંપલાવતા તેનો ફાયદો અંતે કોંગ્રેસને થયો છે.  ભાજપના બળવાખોરોએ જ જેમની ટિકિટ કપાતા કોંગ્રેસની તરફેણમાં મત અપાવ્યા છે. આ કારણથી કોંગ્રેસના ઉમેદવારો વિજેતા બનશે તે નક્કી છે. તેવો દાવો કોંગ્રેસના પ્રવક્તા આલોક શર્માએ તો પત્રકારો સમક્ષ કર્યો હતો.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.