ભાજપ હવે 'ભગવાન' ભરોસે!, ભગા ભારડે કોંગ્રેસને બાય બાય કર્યું, કેસરીયો ધારણ કર્યો


  • Published By :
  • Published Date : 2022-11-09 14:13:02

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા પક્ષપલટાની મોસમ પૂરબહારમાં ખીલી છે. કોંગ્રેસ,ભાજપ અને આપના નેતાઓ તેમની રાજકીય વિધાનસભાની ટિકિટ, હોદ્દો, અને પૈસા સહિતની મહત્વાકાંક્ષાઓ સંતોષવા માટે નેતાઓ પક્ષપલટો કરી રહ્યા છે. જો કે આ રાજરમતમાં સૌથી વધુ નુકસાન કોંગ્રેસને થઈ રહ્યું છે. કોંગ્રેસનાં અન્ય એક અગ્રણી નેતા ભગાભાઇ બારડે પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. છેલ્લા ઘણા દિવસોથી કોંગ્રેસનાં દિગ્ગજ નેતાઓનાં રાજીનામાની અટકળો ચાલી રહી હતી જે આજે સાચી પડી છે.


ભગા બારડ ભાજપમાં જોડાયા


સૌરાષ્ટ્ર આહીર સમાજના અગ્રણી અને તાલાલાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ ભાજપમાં જોડાઈ ગયા છે. ભગા બારડે આજે રાજીનામું આપતાં કોંગ્રેસ બે દિવસમાં બીજો મોટો ફટકો લાગ્યો છે. ગઈકાલે મોહનસિંહ રાઠવાએ રાજીનામું આપી કેસરિયો ધારણ કર્યો હતો. તેમણે વિધાનસભા અધ્યક્ષ નિમાબેનને રાજીનામું સોંપ્યું હતું. ભગાભાઈ બારડને ભાજપમાં લાવવાનું ઓપરેશન એક સાંસદે પાર પાડ્યું હતું. ભગાભાઈ બારડ ભાજપની ટિકિટથી તલાલાથી ચૂંટણી લડે તેવી શક્યતા છે.


ભાજપે શા માટે ભગાભાઈનો ખેલ પાડ્યો?


વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં માત્ર 99 સીટમાં સમેટાઈ ગયેલી ભાજપ આ વખતે કોઈ જોખમ લેવા માંગતી નથી. તે કોંગ્રેસના સ્થાનિક પણ મજબુત જનાધાર ધરાવતા ધારાસભ્યોને આકર્ષી સૌરાષ્ટ્ર અને આદીવાસી પટ્ટામાં તેની સ્થિતી મજબુત કરવા માંગે છે. ભાજપના આ ઓપરેશનના ભાગરૂપે આદિવાસી બાદ સૌરાષ્ટ્રની આહિર નેતાઓને ભાજપમાં ખેંચવામાં આવી રહ્યા છે. ભાજપને આહિર સમાજના મોટા નેતાની જરૂર છે. આહિર મતોને ભાજપ તરફ વાળવા આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. વાસણભાઈ આહિરને રિપિટ ન કરવામાં આવે તો ભાજપ ભગાભાઈને ટિકિટ આપી શકે છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.