ભાજપ હવે 'ભગવાન' ભરોસે!, ભગા ભારડે કોંગ્રેસને બાય બાય કર્યું, કેસરીયો ધારણ કર્યો


  • Published By :
  • Published Date : 2022-11-09 14:13:02

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા પક્ષપલટાની મોસમ પૂરબહારમાં ખીલી છે. કોંગ્રેસ,ભાજપ અને આપના નેતાઓ તેમની રાજકીય વિધાનસભાની ટિકિટ, હોદ્દો, અને પૈસા સહિતની મહત્વાકાંક્ષાઓ સંતોષવા માટે નેતાઓ પક્ષપલટો કરી રહ્યા છે. જો કે આ રાજરમતમાં સૌથી વધુ નુકસાન કોંગ્રેસને થઈ રહ્યું છે. કોંગ્રેસનાં અન્ય એક અગ્રણી નેતા ભગાભાઇ બારડે પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. છેલ્લા ઘણા દિવસોથી કોંગ્રેસનાં દિગ્ગજ નેતાઓનાં રાજીનામાની અટકળો ચાલી રહી હતી જે આજે સાચી પડી છે.


ભગા બારડ ભાજપમાં જોડાયા


સૌરાષ્ટ્ર આહીર સમાજના અગ્રણી અને તાલાલાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ ભાજપમાં જોડાઈ ગયા છે. ભગા બારડે આજે રાજીનામું આપતાં કોંગ્રેસ બે દિવસમાં બીજો મોટો ફટકો લાગ્યો છે. ગઈકાલે મોહનસિંહ રાઠવાએ રાજીનામું આપી કેસરિયો ધારણ કર્યો હતો. તેમણે વિધાનસભા અધ્યક્ષ નિમાબેનને રાજીનામું સોંપ્યું હતું. ભગાભાઈ બારડને ભાજપમાં લાવવાનું ઓપરેશન એક સાંસદે પાર પાડ્યું હતું. ભગાભાઈ બારડ ભાજપની ટિકિટથી તલાલાથી ચૂંટણી લડે તેવી શક્યતા છે.


ભાજપે શા માટે ભગાભાઈનો ખેલ પાડ્યો?


વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં માત્ર 99 સીટમાં સમેટાઈ ગયેલી ભાજપ આ વખતે કોઈ જોખમ લેવા માંગતી નથી. તે કોંગ્રેસના સ્થાનિક પણ મજબુત જનાધાર ધરાવતા ધારાસભ્યોને આકર્ષી સૌરાષ્ટ્ર અને આદીવાસી પટ્ટામાં તેની સ્થિતી મજબુત કરવા માંગે છે. ભાજપના આ ઓપરેશનના ભાગરૂપે આદિવાસી બાદ સૌરાષ્ટ્રની આહિર નેતાઓને ભાજપમાં ખેંચવામાં આવી રહ્યા છે. ભાજપને આહિર સમાજના મોટા નેતાની જરૂર છે. આહિર મતોને ભાજપ તરફ વાળવા આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. વાસણભાઈ આહિરને રિપિટ ન કરવામાં આવે તો ભાજપ ભગાભાઈને ટિકિટ આપી શકે છે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.