કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી ઉપર શાહી ફેંકવાનો પ્રયત્ન, યુવકની અટકાયત કરાઈ


  • Published By :
  • Published Date : 2022-11-06 17:06:04


ગુજરાત વિધાન સભાની ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ રાજકીય પક્ષોના નેતાઓ એકબીજાને નિશાન બનાવી રહ્યા છે. પાર્ટી નેતાઓના આરોપ-પ્રત્યારોપના કારણે રાજકારણ ગરમાયું છે. આજે કોંગ્રેસનાં નેતા ભરતસિંહ સોલંકી પર કાળા રંગનું લિક્વીડ નાંખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, પોલીસે આ કૃત્ય કરનાર યુવકની અટકાયત કરી લીધી છે. 


ભરતસિંહ સોલંકી પર કોણે શાહી ફેંકી?


ગુજરાત કોંગ્રેસનાં અગ્રણી નેતા ભરતસિંહ સોલંકી પર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યલાય ખાતે બપોરના સમયે શાહી ફેંકવામાં આવી હતી. આ ઘટના ત્યારે બની જ્યારે ભરતસિંહ સોલંકી ગુજરાત સરકાર સામે સત્તાવાર આંકડાના આધારે તોહમતનામું રજૂ કરી રહ્યા હતા. એલિસબ્રિજ વિધાનસભાની ટિકિટ માટે દાવેદારી કરનારા રશ્મિકાંત સુથારના પુત્ર રોમીલ સુથારે ભરતસિંહ સોલંકી પર શાહી ફેંકવાનો પ્રયાસ કર્યો હતો,  આ ઘટના બાદ તેની અટકાયત કરવામાં આવી હતી.




ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.