મોરબીમાં ભાજપની સેન્સ પ્રક્રિયા, કાર્યાલય પર દાવેદારો અને સમર્થકોના ટોળા ઉમટ્યા


  • Published By :
  • Published Date : 2022-10-28 20:25:29


ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ ભાજપે સેન્સ પ્રક્રિયા શરૂ કરી છે. ભાજપના નિરિક્ષકો તમામ 182 બેઠકો  પર સેન્સ લઈ રહ્યા છે. જો કે આ સેન્સ પ્રક્રિયાના કારણે ભાજપની મુશ્કેલી વધી છે. સેન્સ પ્રક્રિયાના કારણે ભાજપનો આતરિક કલહ સપાટી પર આવ્યો છે. ભાજપની આ સેન્સ પ્રક્રિયા ખરેખર તો નોનસેન્સ સાબિત થઈ રહી છે.

મોરબીની માળીયા વિધાનસભા બેઠકને લઈ આંતરકલહ


આજે મોરબીની માળીયા વિધાનસભા બેઠક પર ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથમાં લેવાઈ છે ત્યારે કાર્યાલય પર દાવેદારો અને તેમના સમર્થકોના ટોળે ટોળા ધસી આવ્યા હતા. અહીં હાલની સ્થિતિએ માળીયા બેઠક ઉપર 15 ભાજપ અગ્રણીઓએ દાવેદારી નોંધાવી છે. 


ભાજપના આ 15 ટિકિટવાંચ્છુંઓ કોણ છે?


મોરબીમાં વિધાનસભા ચૂંટણી માટે ભાજપમાંથી કોને ટિકિટ આપવી તે માટે ઉમેદવારોની શોધ શરૂ કરવામાં આવશે. મોરબીની માળીયા બેઠક માટે મૂરતિયાઓ તેમના સમર્થકો સાથે કાર્યાલય પર પહોંચી ગયા હતા. ટેકેદારોની હાજરી ટોળામાં પરિવર્તિત થઈ ગઈ હતી. અહીં ટિકિટ માટે દાવેદારી નોંધાવનારાઓમાં મંત્રી બ્રિજેશ મેરજા, પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, સિરામિક અગ્રણી મુકેશ કુંડારિયા, મુકેશ ઉધરેજા, જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ રાઘવજી ગડારા, જિજ્ઞેશ કૈલા સહિત 15 દાવેદારોનો સમાવેશ થાય છે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.