નારાજ ખેડૂતોને રિઝવવા ભાજપ રાજ્યના 14200 ગામમાં યોજશે કિસાન પંચાયત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-19 17:24:26

વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે રાજ્યનાં ખેડૂતો કિસાન સંઘના નેજા હેઠળ આંદોલન કરી રહ્યા છે. ગાંધીનગરમાં ખેડૂતોએ ટ્રેક્ટરો સાથે રેલી યોજી વિરોધ પ્રદર્શન કર્યું હતું. વળી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા ખેડૂતોને આકર્ષવા માટે માટે કરવામાં આવતા પ્રયાસોને ગંભીરતાથી પણ ભાજપનું ટોચનું નેતૃત્વ ખુબ ચિતિંત છે,  જો કે હવે ખેડૂતોના રોષને ઓછો કરવા માટે ભાજપ પ્રયાસોમાં લાગ્યું છે. 


ભાજપ શરૂ કરશે નમો કિસાન પંચાયત અભિયાન 


ભારતીય જનતા પાર્ટી દ્વારા નમો કિસાન પંચાયત અભિયાન હાથ ધરવામાં આવશે. રાજ્યની 143 વિધાનસભા બેઠકના 14200 જેટલા ગામડાઓમાં આ પંચાયતનું આયોજન કરવામાં આવશે અને ખેડૂતો સાથે ચર્ચા કરાશે અને નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રાજ્યના ખેડૂતો માટે કરેલા કામો અને વડાપ્રઘાન બન્યા પછી સતત ખેડૂતોના હિત માટે કરેલા જુદા-જુદા કામોને રાજ્યના વિવિધ ગામડામાં કિસાન મોરચાના કાર્યકરો માહિતી આપશે.


જે.પી.નડ્ડા ઈ –બાઇકને ફ્લેગ ઓફ કરાવશે


ભાજપે પણ ખેડૂતોને પક્ષ તરફી કરવા માટે આ અભિયાન હાથ ધર્યું છે. નમો કિસાન પંચાયત થકી કેન્દ્ર અને રાજય સરકારની વિવિધ ખેડૂત લક્ષી યોજના અને કાર્યો અંગે ઈ –બાઇક મારફતે ખેડૂતોને માહિતી આપશે. રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા 20 સપ્ટેમ્બરના રોજ નમો કિસાન પંચાયત કાર્યક્રમનો પ્રારંભ કરાવી ઈ –બાઇકને ફ્લેગ ઓફ કરાવશે.



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"