નારાજ ખેડૂતોને રિઝવવા ભાજપ રાજ્યના 14200 ગામમાં યોજશે કિસાન પંચાયત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-19 17:24:26

વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે રાજ્યનાં ખેડૂતો કિસાન સંઘના નેજા હેઠળ આંદોલન કરી રહ્યા છે. ગાંધીનગરમાં ખેડૂતોએ ટ્રેક્ટરો સાથે રેલી યોજી વિરોધ પ્રદર્શન કર્યું હતું. વળી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા ખેડૂતોને આકર્ષવા માટે માટે કરવામાં આવતા પ્રયાસોને ગંભીરતાથી પણ ભાજપનું ટોચનું નેતૃત્વ ખુબ ચિતિંત છે,  જો કે હવે ખેડૂતોના રોષને ઓછો કરવા માટે ભાજપ પ્રયાસોમાં લાગ્યું છે. 


ભાજપ શરૂ કરશે નમો કિસાન પંચાયત અભિયાન 


ભારતીય જનતા પાર્ટી દ્વારા નમો કિસાન પંચાયત અભિયાન હાથ ધરવામાં આવશે. રાજ્યની 143 વિધાનસભા બેઠકના 14200 જેટલા ગામડાઓમાં આ પંચાયતનું આયોજન કરવામાં આવશે અને ખેડૂતો સાથે ચર્ચા કરાશે અને નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રાજ્યના ખેડૂતો માટે કરેલા કામો અને વડાપ્રઘાન બન્યા પછી સતત ખેડૂતોના હિત માટે કરેલા જુદા-જુદા કામોને રાજ્યના વિવિધ ગામડામાં કિસાન મોરચાના કાર્યકરો માહિતી આપશે.


જે.પી.નડ્ડા ઈ –બાઇકને ફ્લેગ ઓફ કરાવશે


ભાજપે પણ ખેડૂતોને પક્ષ તરફી કરવા માટે આ અભિયાન હાથ ધર્યું છે. નમો કિસાન પંચાયત થકી કેન્દ્ર અને રાજય સરકારની વિવિધ ખેડૂત લક્ષી યોજના અને કાર્યો અંગે ઈ –બાઇક મારફતે ખેડૂતોને માહિતી આપશે. રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા 20 સપ્ટેમ્બરના રોજ નમો કિસાન પંચાયત કાર્યક્રમનો પ્રારંભ કરાવી ઈ –બાઇકને ફ્લેગ ઓફ કરાવશે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.