નારાજ ખેડૂતોને રિઝવવા ભાજપ રાજ્યના 14200 ગામમાં યોજશે કિસાન પંચાયત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-19 17:24:26

વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે રાજ્યનાં ખેડૂતો કિસાન સંઘના નેજા હેઠળ આંદોલન કરી રહ્યા છે. ગાંધીનગરમાં ખેડૂતોએ ટ્રેક્ટરો સાથે રેલી યોજી વિરોધ પ્રદર્શન કર્યું હતું. વળી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા ખેડૂતોને આકર્ષવા માટે માટે કરવામાં આવતા પ્રયાસોને ગંભીરતાથી પણ ભાજપનું ટોચનું નેતૃત્વ ખુબ ચિતિંત છે,  જો કે હવે ખેડૂતોના રોષને ઓછો કરવા માટે ભાજપ પ્રયાસોમાં લાગ્યું છે. 


ભાજપ શરૂ કરશે નમો કિસાન પંચાયત અભિયાન 


ભારતીય જનતા પાર્ટી દ્વારા નમો કિસાન પંચાયત અભિયાન હાથ ધરવામાં આવશે. રાજ્યની 143 વિધાનસભા બેઠકના 14200 જેટલા ગામડાઓમાં આ પંચાયતનું આયોજન કરવામાં આવશે અને ખેડૂતો સાથે ચર્ચા કરાશે અને નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રાજ્યના ખેડૂતો માટે કરેલા કામો અને વડાપ્રઘાન બન્યા પછી સતત ખેડૂતોના હિત માટે કરેલા જુદા-જુદા કામોને રાજ્યના વિવિધ ગામડામાં કિસાન મોરચાના કાર્યકરો માહિતી આપશે.


જે.પી.નડ્ડા ઈ –બાઇકને ફ્લેગ ઓફ કરાવશે


ભાજપે પણ ખેડૂતોને પક્ષ તરફી કરવા માટે આ અભિયાન હાથ ધર્યું છે. નમો કિસાન પંચાયત થકી કેન્દ્ર અને રાજય સરકારની વિવિધ ખેડૂત લક્ષી યોજના અને કાર્યો અંગે ઈ –બાઇક મારફતે ખેડૂતોને માહિતી આપશે. રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા 20 સપ્ટેમ્બરના રોજ નમો કિસાન પંચાયત કાર્યક્રમનો પ્રારંભ કરાવી ઈ –બાઇકને ફ્લેગ ઓફ કરાવશે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.