નારાજ ખેડૂતોને રિઝવવા ભાજપ રાજ્યના 14200 ગામમાં યોજશે કિસાન પંચાયત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-19 17:24:26

વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે રાજ્યનાં ખેડૂતો કિસાન સંઘના નેજા હેઠળ આંદોલન કરી રહ્યા છે. ગાંધીનગરમાં ખેડૂતોએ ટ્રેક્ટરો સાથે રેલી યોજી વિરોધ પ્રદર્શન કર્યું હતું. વળી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા ખેડૂતોને આકર્ષવા માટે માટે કરવામાં આવતા પ્રયાસોને ગંભીરતાથી પણ ભાજપનું ટોચનું નેતૃત્વ ખુબ ચિતિંત છે,  જો કે હવે ખેડૂતોના રોષને ઓછો કરવા માટે ભાજપ પ્રયાસોમાં લાગ્યું છે. 


ભાજપ શરૂ કરશે નમો કિસાન પંચાયત અભિયાન 


ભારતીય જનતા પાર્ટી દ્વારા નમો કિસાન પંચાયત અભિયાન હાથ ધરવામાં આવશે. રાજ્યની 143 વિધાનસભા બેઠકના 14200 જેટલા ગામડાઓમાં આ પંચાયતનું આયોજન કરવામાં આવશે અને ખેડૂતો સાથે ચર્ચા કરાશે અને નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રાજ્યના ખેડૂતો માટે કરેલા કામો અને વડાપ્રઘાન બન્યા પછી સતત ખેડૂતોના હિત માટે કરેલા જુદા-જુદા કામોને રાજ્યના વિવિધ ગામડામાં કિસાન મોરચાના કાર્યકરો માહિતી આપશે.


જે.પી.નડ્ડા ઈ –બાઇકને ફ્લેગ ઓફ કરાવશે


ભાજપે પણ ખેડૂતોને પક્ષ તરફી કરવા માટે આ અભિયાન હાથ ધર્યું છે. નમો કિસાન પંચાયત થકી કેન્દ્ર અને રાજય સરકારની વિવિધ ખેડૂત લક્ષી યોજના અને કાર્યો અંગે ઈ –બાઇક મારફતે ખેડૂતોને માહિતી આપશે. રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા 20 સપ્ટેમ્બરના રોજ નમો કિસાન પંચાયત કાર્યક્રમનો પ્રારંભ કરાવી ઈ –બાઇકને ફ્લેગ ઓફ કરાવશે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.