ગુજરાત વિધાનસભા ચૂંટણી: 13 ઉમેદવારો ધરાવે છે બંદુકનું લાઇસન્સ, સૌથી વધુ ભાજપના 6 નેતા હથિયારધારી


  • Published By :
  • Published Date : 2022-12-01 10:04:50

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઉપરાંત અનેક અપક્ષ ઉમેદવારો મેદાને છે . જેમાં કેટલાક બહાદુર ઉમેદવારો તો હથિયારધારી છે. આ ઉમેદવારો પૈકીના 13 પાસે રિવોલ્વરનું પણ લાયસન્સ છે. ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરતી વખતે આ ઉમેદવારોએ તેમના હથિયારો અંગે પણ ચૂંટણી પંચને માહિતી આપી છે. 


કઈ પાર્ટીના ઉમેદવારો છે બંદુકધારી?


વિધાનસભાની ચૂંટણી લડી રહેલા હથિયારધારી ઉમેદવારોમાં મોટાભાગના ભાજપના છે. આ લિસ્ટમાં ભાજપના છ, કોંગ્રેસના પાંચ, આમ આદમી પાર્ટી (AAP)ના એક અને એક અપક્ષ ઉમેદવાર છે. સૌથી પ્રખ્યાત ઉમેદવારોમાં મધુ શ્રીવાસ્તવનો સમાવેશ થાય છે, વાઘોડિયાના છ વખતના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ  વેબલી સ્કોટ રિવોલ્વર ધરાવે છે અને તેમને જાહેર સભામાં ધમકીઓ આપતા સાંભળવામાં આવ્યા હતા. તેમણે વિરોધી પાર્ટીના ઉમેદવારોને લલકારતા કહ્યું હતું કે જો "કોઈ મારા કાર્યકરનો કોલર પકડી લેશે, તો હું તેમના ઘરે જઈશ અને તેમને ગોળી મારી દઈશ”.ભાજપે આ વખતે મધુ શ્રીવાસ્તવને ટિકિટ આપી નથી, તેથી તેઓ વાઘોડિયાથી અપક્ષ ઉમેદવાર તરીકે લડી રહ્યા છે. આ વખતે ભાજપે વાઘોડિયા સીટ પરથી અશ્વિન પટેલને મેદાનમાં ઉતાર્યા છે. અશ્વિન પટેલ પાસે પણ 12 બોરની સિંગલ બેરલ ગનનું લાઇસન્સ છે. હથિયારના લાયસન્સ ધરાવતા અન્ય વર્તમાન ધારાસભ્યોમાં રાધનપુરથી કોંગ્રેસના ઉમેદવાર રઘુ દેસાઈનો પણ સમાવેશ થાય છે. જ્યારે ધાનેરાથી નાથાભાઈ પટેલ ડાંગથી વિજય પટેલ અને નિકોલથી જગદીશ પંચાલનો સમાવેશ થાય છે. ધાનેરાથી ભાજપ અને કોંગ્રેસ બંનેએ ચૌધરી ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે બંને ઉમેદવારો પાસે હથિયારો છે. 2017 માં, કોંગ્રેસના ઉમેદવાર નાથાભાઈ પટેલે ભાજપના માવજી દેસાઈને 2,093 મતોના માર્જિનથી હરાવ્યા બાદ આ બેઠક જીતી હતી. આ વખતે સત્તાધારી પક્ષ ભાજપે 6 બોરની રિવોલ્વર ધરાવતા ભગવાન પટેલને ટિકિટ આપી છે. થરાદના ભાજપના ઉમેદવાર શંકર ચૌધરી પાસે લાયસન્સવાળી રિવોલ્વર છે. શંકર ચૌધરી 2017માં વાવ બેઠક પરથી ગેનીબેન ઠાકોર સામે ચૂંટણી હારી ગયા હતા. કોંગ્રેસે આ વખતે થરાદમાંથી ગુલાબસિંહ રાજપૂતને મેદાનમાં ઉતાર્યા છે. શહેરાથી AAPના ઉમેદવાર તખ્તસિંહ સોલંકી પાસે 0. 32 ઇંચની MK-III રિવોલ્વર છે. સેહરા છેલ્લા પાંચ ટર્મથી ભાજપનો ગઢ છે. સોલંકી 2007 અને 2012માં કોંગ્રેસની ટિકિટ પર જેઠાભાઈ ભરવાડ સામે લડ્યા હતા. આ વખતે તેઓ AAPની ટિકિટ પર ભાજપના જેઠા ભરવાડ સામે લડી રહ્યા છે.  પૂર્વ ધારાસભ્ય ગોવા રબારીના પુત્ર અને ડીસાથી કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટણી મેદાને ઉતરેલા સંજય રબારી પાસે પિસ્તોલ છે. અકોટાના ભાજપના ઉમેદવાર ચૈતન્ય દેસાઈ અને બોટાદ અને ડભોઈના કોંગ્રેસના ઉમેદવાર મનહર પટેલ અને બાલકૃષ્ણ પટેલ પાસે પણ બંદૂકનું લાઇસન્સ છે.


નેતાઓ પાસે હથિયાર શા માટે?


જાહેર જીવનમાં રહેતા વિવિધ પક્ષોના નેતાઓ પર હંમેશા જીવનું જોખમ તોળાતું રહે છે. આ જ કારણે નેતાઓ લાયસન્સવાળા હથિયારો રાખે છે. પોતાના અને પરિવારના જીવન માટે કોઈ જોખમ હોય તો આત્મરક્ષણ શસ્ત્ર રાખવાનો વિકલ્પ છે. પોલીસ કમિશનરેટ હોય ત્યાં ડીએમ અથવા પોલીસ કમિશનર દ્વારા તમને આવા હથિયાર રાખવાની મંજૂરી આપવામાં આવે છે.


લાઇસન્સની પ્રક્રિયા શું છે?


1. સૌ પ્રથમ, ડીએમ અથવા કમિશનરની ઓફિસમાં અરજી કરવાની રહેશે. અરજીની સાથે સાથે હથિયારની જરૂરિયાત એટલે કે કારણ આપવાનું રહેશે.


2. આ પછી તમારી અરજી પોલીસ તપાસ માટે SP ની ઓફિસમાં મોકલવામાં આવે છે. ત્યાંથી તે તમારા પ્રાદેશિક પોલીસ સ્ટેશન પહોંચે છે.


3. અરજદારની ચકાસણી પોલીસ સ્ટેશનમાંથી કરવામાં આવે છે. આમાં પોલીસ તેના કાયમી સરનામા, પૃષ્ઠભૂમિ, કામ અને ગુનાહિત રેકોર્ડ વિશે સંપૂર્ણ માહિતી મેળવે છે.


4. ચકાસણી પછી, અરજી જિલ્લા ક્રાઇમ રેકોર્ડ બ્યુરોને મોકલવામાં આવે છે. ત્યાં અરજદારનો ફોજદારી રેકોર્ડ નિશ્ચિત છે. પોલીસ સ્ટેશનમાંથી રિપોર્ટ ફરી તપાસવામાં આવે છે.  આ પછી, અરજી રિપોર્ટ સાથે એસપી ઓફિસને પરત મોકલવામાં આવે છે.


5. કેટલીક જરૂરી કાગળની ફોર્માલીટી પૂર્ણ કર્યા પછી, એસપી ઑફિસમાંથી અરજી ડીએમ અથવા પોલીસ કમિશનરની ઑફિસમાં આવે છે.


6. આ સાથે, LIU (લોકલ ઇન્ટેલિજન્સ યુનિટ) પણ અરજદાર વિશે તપાસ કરે છે.


7. પોલીસ અને LIU તરફથી મળેલા રિપોર્ટના આધારે DM નક્કી કરે છે કે અરજદારને હથિયારનું લાયસન્સ આપવું જોઈએ કે નહીં.  તે ડીએમના વિવેકબુદ્ધિ પર પણ ઘણો આધાર રાખે છે.  એટલે કે, પોલીસ અને LIU ના રિપોર્ટમાં બધું બરાબર હોવા છતાં તમને લાયસન્સ નહીં મળે.


હથિયાર માટેનું લાઇસન્સ મળી જાય પછી, સરકાર વતી સત્તાવાર દુકાનમાંથી શસ્ત્રો ખરીદી શકાય છે.  લાઇસન્સમાં હથિયારનું કદ, પ્રકાર વગેરે વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવે છે. હથિયાર ખરીદ્યા બાદ તેને વહીવટી તંત્ર પાસે લઈ જવું પડે છે. ત્યાં લાયસન્સ અને ખરીદેલા હથિયારની વિગતો મેળ ખાતી હોય છે અને રેકોર્ડમાં દાખલ કરવામાં આવે છે. આ સાથે, આ માહિતી સંબંધિત પોલીસ સ્ટેશનના રજીસ્ટરમાં દાખલ કરવાની રહેશે. આ બધું કર્યા પછી જ તમે હથિયાર તમારી સાથે ઘરે લઈ જઈ શકો છો.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.