ગુજરાત કોંગ્રેસ 8 નવેમ્બરે ચૂંટણી મેનિફેસ્ટો જાહેર કરશે: અશોક ગેહલોત


  • Published By :
  • Published Date : 2022-10-30 16:00:19

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે કોંગેસના નેતાઓ રાજ્યના વિવિધ ભાગોમાં પ્રચાર કરી રહ્યા છે. કોંગ્રેસાના દિગ્ગજ નેતા અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત બનાસકાંઠાના અમીરગઢની મુલાકાતે પહોંચ્યા હતા. અશોક ગેહલોતે આ વિસ્તારમાં ચૂંટણી પ્રચાર કર્યા બાદ એક પ્રેસ કોંન્ફ્રન્સને સંબોધી હતી.  



કોંગ્રેસ 8 તારીખે કોંગ્રેસ મેનિફેસ્ટો જાહેર કરશે


અમીરગઢમાં અશોક ગહેલોતે કોંગ્રેસના ચૂંટણી મેનિફેસ્ટોને લઈ મહત્વની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે ગુજરાત વિધાન સભા ચૂંટણીનો મેનિફેસ્ટો 8 નવેમ્બરે જાહેર કરવામાં આવશે. અશોક ગેહલોતે જણાવ્યું કે જો આ વખતે કોંગ્રેસની સરકાર બનશે તો રાજસ્થાન જેવી યોજનાઓ ગુજરાતમાં લાગુ કરવામાં આવશે. આ સાથે જ ગુજરાતમાં કોંગ્રેસ 500 રૂપિયામાં ગેસનો બાટલો આપશે અને  તમામ લોકોનો ઈલાજ ફ્રી કરવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. અશોક ગેહલોતની સાથે પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અને દાતા ધારાસભ્ય કાંતિ ખરાડી સહિત કોંગ્રેસના આગેવાનો પણ હાજર રહ્યા હતા. રાજસ્થાનમાં સરકારી કર્મચારીઓની જેમ ગુજરાતનાં સરકારી કર્મચારીઓને પણ જુની પેન્સન યોજનાનો લાભ આપવામાં આવશે તેવું વચન આપ્યું હતું.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.