પ્રથમ તબક્કામાં ઓછા મતદાને ચિંતા વધારી છે ત્યારે CR પાટીલે આપ્યું આ નિવેદન


  • Published By :
  • Published Date : 2022-12-03 21:42:10


ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં મતદાન તો પૂર્ણ થઈ ગયું પણ ઓછા મતદાને ચિંતા વધારી છે. રાજકીય પક્ષોના નેતાઓ અને ચૂંટણી વિષ્લેષકો પણ ઓછા મતદાનથી કોને લાભ અને નુકસાન થશે તે અંગે વિષ્લેષણ કરવા લાગ્યા છે. જો કે આ વચ્ચે ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના નિવેદને ખાસ્સી ચર્ચા જગાવી છે.


સી આર પાટીલે શું કહ્યું?


પ્રથમ તબક્કામાં થયેવા મતદાન અંગે પાટીલે કહ્યું કે પહેલા તબક્કામાં જે કુલ મતદાન થયું તે 1 કરોડ 51 લાખ મતદાન નોંધાયું છે. 2017માં પણ આ જ 89 બેઠકો પર 1 કરોડ 41 લાખ મતદાન નોંધાયું હતું. જેથી 10 લાખ મત વધુ પડ્યા છે પરંતુ ટકાવારી પ્રમાણે ભલે ઓછું દેખાય છે. નવા મતદારો જોડાયા છે. તેથી મતદાન ઓછું દેખાયું છે. પેજ સમિતિઓ અંગે પાટીલે કહ્યું કે  તેમણે સારી કામગીરી કરી છે અને તેમનું કામ છે ભાજપ તરફેણમાં વધુ મતદાન કરાવવાનું જે તેમણે સારી રીતે પાર પાડ્યું છે. 


બળવાખોરોને ચીમકી


બળવાખોરોને આડે હાથ લેતા પાટીલે કહ્યું કે, અમે અને અમારી પાર્ટી શિસ્તની બાબતમાં ચલાવી લે તેમ નથી એટલે સામે ગયેલા કોઈ પણને ફરીથી ભાજપમાં લઈશું નહીં. વધુમાં તેમણે જણાવ્યું કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વિરોધમાં ગયા અને જીત્યા તો પણ પક્ષમાં નથી લીધા અને આ લોકોનું અશિસ્ત ચલાવી લેવામાં નહીં આવે. તેમણે બળવાખોર નેતાઓને લઈ જણાવ્યું કે, તેવા લોકો પર તાત્કાલિક પગલા લીધા છે અને જે લોકો જીતશે તો પણ પરત લઇશું નહીં તેમણે કહ્યું કે, 4થી 5 લોકોએ ઉમેદવારી કરી છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.